કોઈપણ મુશ્કેલી માંથી બહાર કાઢે એવા ચમત્કારિક હનુમાનજી, બધા સ્વરૂપમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે...

માન્યતા છે કે માણસ જ્યારે ચારે તરફ થી સંકટ થી તકલીફ થી ઘેરાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો સૂઝતો ના હોય ત્યારે પંચમુખી હનુમાનજી મહારાજ ના શરણ માં જાય છે. પંચમુખી હનુમાનજી મહારાજ ની પૂજા કરવાથી ગ્રહ ના નડતર પણ નાશ પામે છે. કારણ કે હનુમાનજી ના બધા સ્વરૂપ માંથી પંચમુખી હનુમાનજી મહારાજ ને બધા સ્વરૂપ થી વધારે શક્તિશાળી માનવામાં આવે છે.

આ સ્વરૂપ હનુમાન એ રાવણ ની સામે યુદ્ધ કરતા સમયે રાવણ ની માયા ને ખતમ કરવા માટે ધારણ કર્યું હતું આપણા પુરાણોમાં પણ હનુમાનજી ના પંચમુખી હનુમાનજી મહારાજ નું સ્વરૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું તેનો ઉલ્લેખ પણ છે તો આજે આપણે તેના વિશે જાણીએ આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

રાવણ ને જયારે એમ લાગ્યું કે ભગવાન શ્રી રામ ની સામે નું યુદ્ધ તે હારી રહ્યા છે, ત્યારે તને તેની માયાવી શક્તિ નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, કારણ કે રાવણ જાણતો હતો કે તે માયાવી શક્તિ નો ઉપયોગ નહિ કરે તો તેની હાર નિશ્ચિત છે. એટલા માટે તેના ભાઈ અહિરાવણ ની યુદ્ધ માં મદદ લીધી અહિરાવણ માં ભવાની ના તંત્ર મંત્ર નો જાણકાર છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અહિરાવણ દ્વારા તંત્ર મંત્ર કરાવી અને એવી ચાલ કરી કે ભગવાન શ્રી રામ ની સેનાએ ધીરે ધીરે નિંદ્રાધીન થઇ અને યુદ્ધ ના મેદાન માં જ બધા યોદ્ધા સુઈ ગયા એટલું જ નહિ પણ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી પણ નિંદ્રા માં આવી ગયા અને ત્યારે અહીં રાવણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી નું અપહરણ કરી અને પાતાળ લોક માં લઇ ગયો.

થોડા સમય પછી જ્યારે માયા નો પ્રભાવ ઘટવા લાગ્યો ત્યારે કોઈ ને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી કોઈ ને દેખાય નહિ ત્યારે વિભીષણ સમજી ગયા કે આ માયાવી કાર્ય રાવણે અહિરાવણ દ્વારા જ કરાવેલું છે. અને ત્યારે વિભીષણે હનુમાનજી ને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ને બચાવવા માટે પાતાળ લોક માં જવાનું કહ્યું.

હનુમાનજી જયારે પાતાળ લોક માં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે દરવાજા પર તો તેનો પુત્ર મકરધ્વજ છે મકરધ્વજ દ્વારા હનુમાનજી ને ત્યાં રોકવામાં આવ્યા, અને બંને વચ્ચે યુદ્ધ થયું અને મકરધ્વજ ને હરાવી અને હનુમાનજી એ અંદર જઈને જોયું તો ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ને બાંધી ને રાખવામાં આવ્યા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને પાંચ દિશામાં પાંચ દીવા કર્યા છે હનુમાનજી એ જાણતા હતા કે પાંચેય દિવા ને એક સાથે અને એક જ વ્યક્તિ દ્વારા ઓલવી નાખવાથી જ અહિરાવણ નો અંત આવે એટલા માટે હનુમાનજી એ પંચમુખી હનુમાનજી મહારાજ નું રૂપ ધારણ કર્યું અને માયાવી અહિરાવણ નો વધ કર્યો.

અને ભગવાન શ્રી રામ અને લક્ષમણજી ને મુસીબત માંથી છોડાવ્યા અને આ કારણે પંચમુખી હનુમાનજી મહારાજ ની પૂજા કરવાથી મનુષ્ય ના દરેક સંકટ એક સાથે જ ખતમ થઇ જાય છે.

હનુમાનજી દાદાની જય, આ લેખને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team