ખુશી છે શું? કઈ રીતે મળે? લોકો ખુશ છે, આપણે ખુશ કેમ નથી? આ વાંચી લો એટલે બધા જવાબ મળી જશે…

સામાન્ય રીતે માણસો એ જાણતા જ નથી કે, ખુશી ક્યાં થી મળે? અને ખુશી શું છે? જરૂરત થી અનેક ગણા રૂપિયા, વૈભવ, આરામ હોવા છતાં પણ માણસ ખુશ નથી. અને જેના પાસે કંઈ નથી તેમ છતાં તે લોકો ખુશ છે.

સાચી વાત તો એ છે કે ખુશી આપણી અંદર દરેક સમયે હોય જ છે, જેને આપણે જોઈ શકતા નથી. પણ અનુભવ કરી શકીએ છીએ. માણસ સમજે છે કે ખુબ રૂપિયા અને મોટર અને મહેલ જેવા મકાન થી ખુશી મળશે. પણ એ લોકો પણ ખુશ નથી, જેની પાસે આ બધું છે, તેઓના ચહેરા માં જરા પણ રોનક નથી. અને જેના પાસે બિલકુલ સગવડતા નથી, એ લોકો અનેક ગણી ખુશી માં જીવન જીવે છે.

જે લોકો ખુશી માં નથી રહેતા એ લોકો નકારાત્મકતા પર વધારે ધ્યાન દેતા હોય છે. અને એવું વિચારતા હોય છે, કે આ વસ્તુ બીજા પાસે છે પણ મને હજુ સુધી મળી નથી. નકારાત્મક વિચાર આપણા જીવનમાં દુઃખ અસંતોષ અને અશાંતિ જ આપે છે. જયારે સકારાત્મક વિચાર આપણને આંતરિક ખુશી, શાંતિ અને સંતોષ આપે છે.

ખુશી બજાર માં મળતી ચીજ વસ્તુ નથી કે જેને આપણે રૂપિયા ખર્ચી ને મેળવી લઈએ. ખુશી તો જિંદગી ની નાની નાની વસ્તુ માં પણ મળી રહે છે. સવાલ એ જ છે કે જો આપણે તેને મેળવી શકીયે તો!

ખરેખર તો આપણે મોટી મોટી ખુશી મેળવવાની લાલચ માં નાની ખુશી નો ડગલે ને પગલે ભોગ દેતા હોય છીએ. અને આ રીતે આપણે વર્તમાન માં ખુશી નથી ભોગવી શકતા કે ના તો ભવિષ્ય માં પણ ખુશ નથી રહી શકતા. અને નકારાત્મકતા વધતી જાય છે. અને આપનો સ્વભાવ પણ ખરાબ થતો જાય છે. અને આપણે જાણતા કે અજાણતા મળતી ખુશી માણી શકતા નથી, અને કાયમ માટે દુઃખી રહેવા નો સ્વભાવ બનાવી લઈએ છીએ.

એક વખત જયારે બગીચા માં ગયો ત્યારે એક જગ્યા એ નિરાંતે બેઠો હતો સામે જ હીંચકા લપસીયા માં નાના છોકરાઓ મોજ કરતા હતા, જેમાં બે ત્રણ છોકરા ને તો શર્ટ ના બટન પણ તૂટી ગયેલા હતા. અને અડધો શર્ટ પણ ખુલ્લો હતો. ત્યાં જ એક મોંઘી ગાડી ત્યાં આવી અને ડ્રાઈવર તેમાંથી શેઠ ના છોકરા ને હીંચકા ખવડાવતો હતો. સાંજ પડતા ડ્રાઈવર તે છોકરા ને લઇ ને મોટર માં બેસાડતો હતો, ત્યારે તે છોકરો રડતો રડતો ઘરે જતો હતો. અને પેલા તૂટેલા બટન વાળા છોકરા જાણે દુનિયા જીતી ને ઘેર જતા હોય તેમ જતા હતા.

ખરેખર તો ખુશી દેવાની ચીજ છે, આપણે જેટલી બીજા ને આપીશું, એટલી જ આપણી પાસે વધારે આવશે અને કાયમ ખુશ રહી શકીશું. જે લોકો પોતેજ અસંતુષ્ટ હોય છે, એ લોકો કાયમ બીજા લોકો નો વાંક-વાંધા કાઢતા હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરમ કૃપાળુ પરમાત્મા એ દરેક મનુષ્યમાં કોઈ ને કોઈ વિશેષતા આપેલી છે. જેને ઓળખવી અને તેમાંથી કંઈક નવું મેળવવું, કારણ કે બધા ની પાસે અલગ અલગ વિશેષતા છે. કોઈ કોઈ ના મન માં એ હીન ભાવના હોઈ છે કે પોતે દેખાવ માં સુંદર નથી, પણ સુંદર બનવું એ મનુષ્યના હાથમાં નથી. પરંતુ પોતાના વિચાર વાણી અને વર્તન સુંદર બનાવવું એ તો આપણા હાથ માં છે. આવી જ રીતે ખુશ થવા માટે બહાર ની ખુશીથી પણ વિશેષ આપણી અંદર ની ખુશી જ છે જે આપણને આનંદ આપે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team