કરિયાણાની દુકાનમાં ચકચૂર નશામાં એક ગ્રાહક આવ્યો, થોડા સમય પછી એક સ્ત્રી આવી જેને તે વ્યક્તિને જોઈને કહ્યું તમે તો...
કરિયાણાની દુકાન માં એક ગ્રાહક ખરીદી કરવા આવેલ હતો, તેને લગભગ પંદર જેટલી વસ્તુ ના ભાવ પૂછ્યા. અને બધી ખરીદ કરી, પણ તે મદિરાના ચકચૂર નશામાં હતો, દુકાનદાર જયારે બધા માલ ના પડીકા તૈયાર કરી અને હિસાબ કરતો હતો.
ત્યાં જ તેને કહ્યું કે ત્રણસો પાંત્રીસ રૂપિયા થયા, દુકાનદાર કેલ્ક્યુલેટર માં હિસાબ કર્યો, ત્યારે એટલાજ રૂપિયા થયા! તેને આશ્ચર્ય થયું કે આટલા નશા માં પણ તેનો હિસાબ એકદમ સાચો હતો. દુકાનદાર મન માં અને મન માં હસી રહ્યો હતો. ત્યાં જ એક પચીસેક વર્ષ ની છોકરી કરિયાણું લેવા માટે આવી.
અને તે શરાબી ની સામે એકદમ ધ્યાન થી જોવા લાગી, ત્યારે દુકાનદાર ને પણ આશ્ચર્ય થયું કે આ છોકરી એક શરાબી ની સામે એકીટશે કેમ જુવે છે, શરાબી માં એવું શું છે, એ શરાબી જવા માટે પગ ઉપાડે તે પહેલા જ તે છોકરી એ કહ્યું કે તમે ગણિત ભણાવતા વર્મા સાહેબ જ છો ને?
ત્યારે શરાબી એ કહ્યું કે હા હું વર્મા સાહેબ જ છું, તમે કોણ છો? ત્યારે એ છોકરી વર્મા સાહેબ ને પગે લાગી, અને બોલી હું નંદિની છું સાહેબ, અહીંયા નજીક માં જ રહુ છું અને તમારા ટ્યૂશન માં ભણવા માટે તમારા ઘરે આવતી. અને તમે મને ગણિત શીખડાવી, અને હોશિયાર બનાવી છે.
અને આજે મારી જિંદગી ઘણી સારી બની ગઈ છે, પરંતુ સાહેબ તમે આવા બેહાલ કેમ? કેટલા દુબળા થઇ ગયા છો? ઓળખવા માં પણ તકલીફ પડે છે હવે વર્મા સાહેબ ને તેની દીકરી સમાન વિદ્યાર્થીની સામે આવી જતા, હાથ માં રહેલી બોટલ સંતાળી અને કશું બોલ્યા વિના જ જવા લાગ્યા.
ત્યારે નંદિની એ વર્મા સાહેબ નો હાથ પકડી લીધો, અને વર્મા સાહેબ ને પૂછ્યું કે મેડમ કે તમારો દીકરો સૌરભ પણ તમને કઈ કહેતા નથી? ત્યારે વર્મા સાહેબ ની આખો માંથી આંસુ નીકળી રહ્યા હતા. અને જવાબ આપ્યો કે એ બંને હવે આ દુનિયા માં નથી રહ્યા.
મેં મારી આખો ની સામે બંને ને પ્રાણ ત્યાગતા જોયા છે, એક અકસ્માત માં બંને નો જીવ ચાલ્યો ગયો. મારી આખો માંથી એ દ્રશ્ય હજુ દૂર થતું નથી. નંદિની એ વર્મા સાહેબ ને હાથ પકડી ને રસ્તા પર એક બાંકડા પર બેસાડી દીધા.
નશા ના કારણે તેની આખો લાલઘૂમ થયેલી હતી. અને તેમાં સાથે પત્ની અને પુત્ર સાથે બનેલો બનાવ નું દર્દ છલકી રહ્યું હતું, પરંતુ નંદિની એ સાહેબ ને સમજાવતા કહ્યું કે તમને આવી હાલત માં જોઈ ને મેડમ કે સૌરભ નો આત્મા કેવી રીતે ખુશ રહી શકે?
મને ખબર છે કે પત્ની અને પુત્ર ની જગ્યા કોઈ નહિ લઇ શકે. પણ હું તો તમારી દીકરી જેવી જ છું, જયારે હું ટ્યૂશન માં આવતી ત્યારે તમે મને હંમેશા તમારી દીકરી હોય તેમજ રાખી છે. ત્યારે એ સાહેબે નંદિની ના હાથ ને ઝટકો મારી અને દૂર ખસેડી દીધો.
અને બોલ્યા કે નહિ આ દુનિયા માં હવે મારુ કોઈ નથી, અને બોટલ ખોલી ને પીવા લાગ્યા, ત્યારે નંદિની એ કહ્યું કે હું જઈ રહી છું સાહેબ. પણ એ બંને લોકો નો આત્મા બહુ દુઃખી હશે. અને રડી રહ્યો હશે. તમારી આ હાલત જોઈ ને!
તે બંને તમને આ હાલત માં જોઈ ને હજુ પણ રોજ રોજ મરી રહ્યા હશે, આમ બોલી ને નંદિની ત્રણ ચાર પગલાં ચાલી ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો કે નંદિની તું મારી દીકરી જેવી નહિ મારી દીકરી જ છો. અને તેને જમીન પર બોટલ અથડાવી અને ફોડી નાખી.
અને વર્મા સાહેબ ને એક દીકરી મળી ગઈ, જેને સાહેબ નું જીવન પહેલા જેવું બની શકે એ માટે બે વર્ષ સુધી મહેનત કરી જયારે નંદિની ના લગ્ન થયા ત્યારે નંદિની ના પરિવાર ના સભ્યો કરતા પણ વધારે અને નાનું બાળક રડે તેમ વર્મા સાહેબ ને રડવું આવ્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કારણ કે એક માં જેમ દીકરા ને મોટો કરે અને સારા સંસ્કાર આપે તે બધી વાત નંદિની એ સાહેબ ને ફરી થી સમજાવી, અને તેનું જીવન ની ગાડી ને પાટે ચડાવી હતી, માણસ ના જીવન માં આવેલ સારી ખરાબ પરિસ્થિતિ ના હિસાબે તે અવનવા નશા કરવાની ખરાબ આદત માં ફસાય જતો હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ તેને શરૂઆત માં તેની નજીક ના માણસો સમજાવે. અને પ્રેમ થી વર્તન કરે, તો નશો ત્યાં ને ત્યાં જ ખતમ થઇ જાય છે. માણસ માત્ર લાગણી નો ભૂખ્યો હોય છે, તેની માનસિક રીતે મદદ કરવી તે પરિવાર ના અને મિત્રો ની પ્રથમ ફરજ છે. તેને બસ એક શબ્દ કહેવા વાળા ની જરૂરત હોય છે “હું બેઠો છું ને તું શા માટે મૂંઝવણ રાખે છે” મિત્રો આ જાદુઈ શબ્દ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.