જ્યોતિષીએ કહ્યું હાથ બતાવ તો ખેડૂતે જમીન તરફ હથેળી રાખીને હાથ બતાવ્યો જ્યોતિષીએ કારણ પુછ્યુ તો ખેડૂતે એવો જવાબ આપ્યો કે જ્યોતિષ…

એક રાજા જ્યોતિષવિદ્યામાં ખૂબ માનતા એટલા માટે જ તેના રાજ્યમાં રહેલા વિખ્યાત જ્યોતિષને રાજ જ્યોતિષ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને રાજા જ્યાં પણ જાય ત્યાં તેની સાથે રાજ જ્યોતિષી એ રહેતા.

ઘણી વખત એવું પણ બનતું કે રાજ્યની પરિસ્થિતિ કેવી છે અથવા લોકો કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે તે જોવા માટે વેશ પલટો કરીને રાજા રાજ્યમાં નીકળતા અને આ સમયે પણ રાજ જ્યોતિષ રાજાની સાથે વેશપલટો કરીને નીકળતા. એક વખત આવું જ બન્યું બંને રાજા અને રાજા ની સાથે રાજ જ્યોતિષ બંને વેશ પલટો કરીને રાજ્ય ના પ્રવાસે ગયા.

થોડા સમય સુધી તેઓ આગળ જઈ રહ્યા હતા એવામાં સામેથી કોઈ એક ખેડૂત આવી રહ્યો હતો પરંતુ રાજાએ અને રાજ જ્યોતિષી બંને વેશપલટો કરી નાખ્યો હતો એટલે ખેડૂત ચાહે તો પણ ઓળખી ન શકે કે આ કોણ છે.

જ્યોતિષી એ ખેડૂતને ઊભો રાખ્યો અને તેને ખેડૂતને પૂછ્યું કે અરે ભાઈ આ રીતે ઉતાવળે ઉતાવળે કઈ બાજુ જઈ રહ્યો છે? તને ખબર તો છે કે આ દક્ષિણ દિશા છે અને એમ પણ આજે ગુરૂવાર છે આજે તો આ સામો કાળ કહેવાય.

જ્યાં પણ જઈ રહ્યો હોય એક કામ કર અહીંથી પાછો વળી જા અને શુભ ચોઘડિયું જોઈને આવતીકાલે ઘરેથી નીકળી જજે.

ખેડૂત ને તો ખબર હતી નહીં કે સામે રાજા અને રાજ જ્યોતિષી ઉભા છે તેને તરત જ જવાબ આપી દીધો કે મહારાજ જો આ સામો કાળ મને નડવાનો હોત તો હું ઘણા સમય પહેલાં જ એનો ભોગ બની ગયો હોત કારણકે આજે હું પહેલી વખત આ દિશામાં ગુરુવારે જઈ રહ્યો હોવ તેવું નથી બની રહ્યું હકીકતમાં તો હું દરરોજ આ દિશામાં જાઉં છું અને ગુરુવારે પણ આ જ દિશામાં થી ચાલતો હોઉં છું.

ખેડૂતની વાત સાંભળીને જ્યોતિષી મૂંઝાયા તે અંદરોઅંદર વિચારવા લાગ્યા કે ખેડૂત આવી રીતે સામે જવાબ આપી દીધો એટલે જ્યોતિષીની વાતની તેના પર જરા પણ અસર થઈ નથી અને જો આ વાત રાજા પણ માની લેતો શું થાય એટલે રાજા પાસે પોતાનું સાચું દેખાડવા માટે તેને ખેડૂતને કહ્યું મને જરા તારો હાથ બતાવતો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel