જ્યોતિષીએ કહ્યું હાથ બતાવ તો ખેડૂતે જમીન તરફ હથેળી રાખીને હાથ બતાવ્યો જ્યોતિષીએ કારણ પુછ્યુ તો ખેડૂતે એવો જવાબ આપ્યો કે જ્યોતિષ…

એટલે ખેડૂતે જ્યોતિષી બાજુ હાથ ધર્યો. પરંતુ સામાન્ય રીતે કોઈપણ લોકો તમને હાથ બતાવવાનું કહે એટલે આપણે હથેળી બતાવીએ છીએ હથેળી આકાશ તરફ રાખીને હાથ બતાવીએ છીએ પરંતુ એથી ઊલટું ખેડૂતે હથેળી જમીન તરફ રાખી હતી એટલે જ્યોતિષી તો રીતસરના ગુસ્સે થઈ ગયા અને બોલી ઉઠ્યા કે અરે મૂર્ખ તને ખબર નથી પડતી કે હથેળી જમીન તરફ રાખીને હાથ ન બતાવી શકાય આ તે વળી કઈ હાથ બતાવવાની રીત છે?

આ સાંભળીને ખેડૂત મરક મરક હસવા લાગ્યો પછી તેને હસતા હસતા જવાબ આપ્યો કે તમે જાણો છો મહારાજ કે હથેળી કોણ ફેલાવે છે? જે લોકોને મહેનત કર્યા વગર કોઈપણ વસ્તુ મેળવી લેવી હોય એવા લોકો જ બીજા સામે હથેળી લંબાવે છે. મને તો આ મારી ધરતીમાતા બધું જ આપે છે એટલે સ્વાભાવિક રીતે મારી હથેળી તો એની તરફ જ લંબાઈને.

આ બધી વાત સાંભળીને જ્યોતિષી તો વધુ ગુસ્સે થવા જઇ રહ્યો હતો પરંતુ રાજાએ પરિસ્થિતિ પારખી લીધી અને તેને બધું જ સમજાઈ ગયું. રાજાએ તરત જ જ્યોતિષીને ત્યાંથી પાછા વળી જવા માટે કહી દીધું પરંતુ એ તો જ્યોતિષ હતા એને તરત જ કહ્યું કે પણ મહારાજ આજે તો ગુરૂવાર છે જવાબમાં રાજા પણ હસવા લાગ્યા કારણ કે તેની પણ હવે વિવેકબુદ્ધિ જાગી ચૂકી હતી. રાજાએ કહ્યું આપણને કંઈ જ નહીં નડે ચલો જલ્દી કરો રાજ્ય નું કામકાજ ખોટી થાય છે.

આ સ્ટોરી માં થી સમજવા મળે છે કે કોઈપણ સંજોગો હોય કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ જો આપણામાં રહેલી વિવેકબુદ્ધિ જાગી જાય તો એ હંમેશા આપણને સાચા રસ્તે લઈ જાય છે.

બીજું કે આત્મશ્રદ્ધા એટલે કે પોતાની ઉપર નો ભરોસો પણ આપણને સતત કાર્યરત રાખે છે અને આવો જ આત્મા ભરોસો મુશ્કેલીમાંથી અથવા કોઈ પણ વણસી ગયેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે મદદરૂપ થાય છે અને તમારા પ્રયાણ પ્રગતિના પંથે કરાવે છે.

જો આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી કેવી લાગી તે માટે કમેન્ટ માં રેટીંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel