જ્યારે પણ તમે જીવનથી કંટાળીને નિરાશ થઈ જાઓ ત્યારે આ વાંચી લેજો, મુંબઇમાં બનેલી અત્યંત પ્રેરણાદાયી સત્ય ઘટના છે…

એક વૃદ્ધ માણસ, ૭૫ વર્ષની ઉંમરના આ માણસને બે દીકરા હતા અને એ બે દીકરાઓને કુલ મળીને ચાર બાળકો હતા. ૭ વર્ષ પહેલા તેનો મોટો દીકરો ઘરેથી કામે ગયા પછી પાછો જ ના આવ્યો અને અઠવાડિયા પછી ખબર પડી કે તેનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. માત્ર ૪૦ વર્ષની ઉંમરમાં તેનું દેહાંત થઈ ગયું.

મોટા દીકરા ના અવસાન સાથે જાણે કે બાપુજીનો એક હિસ્સો મરી ગયો હોય એવું થઇ ગયું. પરંતુ જવાબદારીના બોજને કારણે તે વૃદ્ધ માણસને સરખી રીતે શોક મનાવવાનો પણ સમય ના મળ્યો અને બીજા જ દિવસે તેઓ તેની રિક્ષા લઈને રોડ ઉપર હતા. ઘણા વર્ષોથી રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા સાથે સાથે મોટો દીકરો જતો રહ્યો એટલે તેના બાળકો અને તેની વહુ ની જવાબદારી પણ પોતાના માથે આવી પડી.

હજુ આ વાતને બે વર્ષ પણ નહોતા થયા કે ફરી પાછું દુઃખ આ વૃદ્ધ માણસને દ્વારે આવી પડ્યું. બે વર્ષ પછી તેના બીજા દીકરાને પણ તેને ગુમાવી દીધો. એક સાધારણ દિવસે તે પોતાની રિક્ષા ચલાવી રહ્યા હતા ત્યારે જ તેઓ ઉપર એક ફોન આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે તમારા દીકરાની બોડી અહીંયા રેલવે સ્ટેશન પર મળી છે તેઓએ આત્મહત્યા કરી લીધી છે.

નાના દીકરાને પણ ગુમાવ્યા પછી તેની વહુ અને ચાર બાળકોની જવાબદારી એ જ એ વૃદ્ધ માણસને જીવતા રાખ્યા, દીકરા ના અંતિમ સંસ્કાર પછી તેની દીકરી એટલે કે બાપુજી ની પૌત્રી જે નવમા ધોરણમાં ભણી રહી હતી તેને તેના દાદાને પૂછ્યું દાદા, હવે મારી સ્કૂલ છૂટી જશે ને? ત્યારે એ ૭૫ વર્ષના દાદા એ બધી જ હિંમત ભેગી કરીને તેની પૌત્રીને જવાબ આપતા કહ્યું… બેટા તારું ભણતર ક્યારેય નહી છૂટે. તારે જેટલું ભણવું હોય એટલું ભણી શકે છે.

આ બધી ઘટના પછી તે વૃદ્ધ માણસ જે ઉંમર માં માણસ નિવૃત્ત થઈને ઘરે બેઠો હોય એ ઉંમરમાં પહેલાંથી પણ વધારે સમય સુધી રિક્ષા ચલાવવા લાગ્યા, સવારે છ વાગ્યે ઘરની બહાર નીકળી જતા અને મોડી રાત્રી સુધી તેઓ રિક્ષા ચલાવતા. આટલું કર્યા છતાં પણ તેઓનો મહિનાનો ખર્ચો માંડ માંડ નીકળતો અને મોટાભાગના દિવસોમાં એવું બનતું કે તેની પાસે રાત્રે ખાવા માટે મુશ્કેલીથી થોડું-ઘણું હોય અથવા ન પણ હોય.

એક વખત જ્યારે તેની પત્ની બીમાર પડી ત્યારે તેની પાસે તેની દવા લેવા માટે પણ પૈસા નહોતા એટલા માટે આજુબાજુમાં ઘરે જઈને પણ તેને પૈસા માંગ્યા હતા. આ બધું તેઓએ હસતા મોઢે સહન કર્યા પછી જ્યારે બે વર્ષ પહેલા તેની પૌત્રીને બારમા ધોરણમાં 80% માર્ક આવ્યા ત્યારે તે બાપુજી ને લાગ્યું કે જાણે પોતે પોતાની ઓટો રીક્ષા જમીન પર નહીં પરંતુ અવકાશમાં ઉડાવી રહ્યા છે.

જે દિવસે તેની પુત્રી નું રિઝલ્ટ આવ્યું હતું એ દિવસે તેના રિક્ષામાં મુસાફરી કરી રહેલા દરેક લોકો પાસેથી કોઈપણ પૈસા ન લીધા અને દરેકને મફત સવારી કરાવી હતી. ત્યાર પછી તેની પૌત્રી તેને આવીને કહ્યું હતું કે દાદા મારે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એડ નો કોર્સ કરવો છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel