જો ભગવાનને જીવન વિશે ફરિયાદ કરતા હોય તો આ વાંચી લો પછી કોઈ દિવસ ફરિયાદ નહીં કરવી પડે...

મેઘજીભાઈ પથ્થર તોડવાનું કામ કરતા હતા. તેમાંથી જે કઈ મળે, તેમાંથી તેના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ટૂંકી આવક માં ચલાવતા હતા. જેથી જીવન પ્રત્યે તેને ઘણો અસંતોષ હતો. એક દિવસ પથ્થર તોડતા તોડતા તેમાંથી એક નાનો પથ્થર નીકળો જે બધા પથ્થર થી અલગ હતો.

મેઘજીભાઈ ની નજર પડતા તેને પણ આકર્ષણ થયું અને તેને તે પથ્થર ઉઠાવીને પોતાની પાસે રાખી લીધો, મેઘજીભાઈ ને ખબર નહોતી, પણ તે પથ્થર ચમત્કારી હતો. તે જયારે મજૂરી કામે થી ઘરે આવી રહ્યા હતા.

ત્યારે એક વેપારી ની દુકાન પાસે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે વેપારી ની રહેણી કરણી થી અતિ પ્રભાવિત થયા. અને મન માં અને મન માં વિચાર કર્યો હું પણ આવો વેપારી બની જાવ તો કેવી મજા આવે? અને અચાનક તેની ઇરછા પુરી થવા લાગી.

તેની પાસે ધન મકાન દુકાન નોકર ચાકર બધું આવી ગયું, અને પોતે મજૂરી કામ કરવાને બદલે દુકાન પર જવા લાગ્યા, અને ઠાઠ થી રહેવા લાગ્યા. હવે તેને મળેલા પથ્થર ને પોતાની પાસે જ રાખતા, થોડા દિવસ પછી તેની દુકાન પાસે થી એક સેનાપતિ તેના અંગરક્ષકો ની સાથે રુઆબ થી જઈ રહ્યા હતા.

અને તે મેઘજીભાઈ ની દુકાન પાસે થી નીકળ્યા, ત્યારે દરેક દુકાનદાર અને રસ્તા પર ચાલી રહેલા બધા સેનાપતિ ને નમી ને વંદન કરતા હતા. એ જોઈ ને મેઘજીભાઈ ને થયું કે ગમે એટલા મોટા વેપારી કે મોટા માણસો હોય, તો પણ તેને સેનાપતિ ની સામે ઝૂકી ને વંદન કરવા પડે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મારે પણ સેનાપતિ બનવું જોઈએ, તેની પાસે રહેલા પથ્થર ની શક્તિ થી તે સેનાપતિ પણ બની ગયા. હવે પોતે સિંહાસન પર બેસી ને હુકમ ચલાવતા હતા. જનતા તેની સામે જુકી ને જ આવતી જતી હતી. ઉનાળા માં મેઘજીભાઈ ખુલા ફળીયા માં પોતાનું સિંહાસન ગોઠવાવ્યું ને બેઠા હતા.

પણ આકરા તડકા ના હિસાબે તેને ત્યાં થી ઉભા થવું પડ્યું, ત્યારે સૂર્ય ની સામે જોઈ ને વિચાર્યું કે મને પણ અહીંયા થી બેઠા થવા મજબુર કર્યો. આ તો મારા થી પણ તાકાતવર છે. અને પોતે સૂર્ય બનવાનું વિચાર્યું. અને થોડા દિવસ મા સૂર્ય બની ગયા.

અને પોતાને મન પડે એમ ગરમી વધારતા ગયા, અને ધરતી પર ગરમી ના કારણે બધા ને બેહાલ કરી દીધા, ખેતર માં લહેરાતો પાક પણ બળી ગયો. અને પોતાની શક્તિ ના અહંકાર માં ખુશ રહેવા લાગ્યા. પણ એક મોટું વાદળ સૂર્ય અને ધરતી ની વચ્ચે આવી અને ત્યાં ઉભું રહી ગયું.

એટલે મેઘજીભાઈ ને થયું કે મારા કરતા તો આ વાદળ માં વધારે શક્તિ છે, હવે મારે વાદળ બનવું છે અને તે વાદળ બની ગયા, અને ગરજતાં ગરજતાં જોરશોર થી વરસાદ કરવા લાગ્યા, ત્યાં અચાનક જ એક હવા ની લહેર આવી. અને વાદળ ને દૂર ખસેડી દીધું.

એટલે મેઘજીભાઈ ને એમ થયું કે વાદળ કરતા તો હવા બનવું વધારે તાકાતવર છે, તેથી તે હવા બની ગયા, અને જોર થી પવન ફૂંકવા લાગ્યા. અને વાવાજોડું બની ત્રાટકવા લાગ્યા. ત્યારે વચ્ચે એક મોટો પથ્થર આવ્યો. જે તેની તાકાત થી જરા પણ ડગ્યો નહિ.

હવે તેને મોટો પથ્થર બનવું હતું અને પથ્થર બની ગયા, થોડા દિવસ માં બીજો એક પથ્થર તોડવા વાળો મજુર તેની પાસે આવી ગયો, અને તેને તોડવા લાગ્યો. ત્યારે વિચારવા લાગ્યા કે મારા કરતા તો આ પથ્થર તોડવાવાળો મજુર વધારે તાકાતવર છે.

થોડી વાર માં તેની આખો ખુલી ગઈ હતી. અને હવે તે તેની જિંદગી થી ખુશ હતો. કારણ કે દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ હતો. દરેક માણસ માં કઈ ને કઈ ખૂબી કુદરતે મુકેલી છે, આપણે તેના પર નજર રાખવાને બદલે બીજા પર અને બીજા ની ખૂબી કે ખામી માં વધુ ધ્યાન દઈએ છીએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેથી આપણને આપેલી ખૂબી ની કદર કરવાને બદલે બીજા નું જોઈ ને અને અનુકરણ કરી ને આપણું જીવન દિશાહીન બનાવી નાખીયે છીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team