જીવનથી ઉદાસ હોવ તો 3 મિનિટનો સમય કાઢી આ વાંચી લો, દુઃખ ગાયબ થઈ જશે...
લગભગ બધા માણસો માં એક વિચાર કાયમ ના માટે હોય છે કે આપણે કાયમ માટે પોતાને દુઃખી અને બીજા લોકો ને આપણા થી વધુ સુખી સમજતા હોય છીએ જયારે હકીકત તો એ છે કે ભગવાન બધાને પોતાના કર્મો અનુસાર સુખ અને દુઃખ આપતા હોય છે.
આવો જ એક ભક્ત ભગવાન ના મંદિરે જાય છે અને ભગવાન ને પ્રાર્થના કરે છે અને ફરિયાદ પણ કે તમે મારુ ધ્યાન નથી રાખતા હું આટલા વર્ષો થી રોજ મંદિરે તમારા દર્શન કરવા માટે આવું છું અને રાત દિવસ તમારા નામ નું સ્મરણ કરું છું તેમ છતાં મારી જિંદગી માં આટલું દુઃખ શા માટે છે.
ભગવાને તેની ફરિયાદ સાંભળતા જ પ્રગટ થયા અને કહ્યું જેવું તું વિચારે છે તેવું નથી પણ દરેક ના જીવન માં અલગ અલગ દુઃખ અને પરેશાનીઓ રહેલી હોય જ છે બધા ને પોતાના કર્મો અનુસાર તેનું સારું અને ખરાબ ફળ પ્રાપ્ત થતું રહેતું હોય છે અને તારો એ ખોટો વહેમ છે કે હું એકલો જ દુઃખી છું.
પરંતુ ભગવાનનો ભક્ત જવાબ સાંભળી ને રાજી થયો નહિ ત્યારે ભગવાને તેને એક ઉપાય બતાવ્યો અને કહ્યું કે આજે હું તને તારી કિસ્મત બદલવાનો એક મોકો આપું છું મંદિરની બહાર એક મોટું ઝાડ છે તેની ડાળી ઉપર તારું બધું દુઃખ દર્દ તમામ પ્રકાર ની પરેશાની તકલીફો દરિદ્રતા બીમારી અને ચિંતા બધું એક પોટલી માં બાંધીને લટકાવી દે...
અને તારી પહેલા પણ અનેક માણસો એ ત્યાં આવી જ પોટલી બાંધી અને લટકાવેલી છે ભક્ત તો ખુશ થઇ ગયો અને ભગવાન ને કહેવા લાગ્યો કે ચાલો હું હવે મારી બધી તકલીફો ની પોટલી બાંધી ને તે ઝાડ ની ડાળી પર લટકાવવા માટે જાવ છું આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે ભગવાને તેને કહ્યું કે ત્યાં તું જ પણ મારી એક શર્ત છે તે તારે પુરી કરવી પડશે બકતે કહ્યું કે કેવી શર્ત ભગવાન ?એટલે ભગવાને જવાબ આપતા કહ્યું કે તું તારી પોટલી લટકાવીશ ત્યાં પહેલેથી લટકાવેલી પોટલી માંથી કોઈ પણ એક પોટલી પસંદ કરી... અને તારી સાથે... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
લઇ જવી પડશે ભક્ત ને આશ્ચર્ય થયું પણ કહ્યું કે સારું ચાલો હું તેમાંથી એક પોટલી પસંદ કરી લઈશ ભક્ત તો તેની બધી સમસ્યા ની પોટલી બાંધી અને ઝાડ પર લટકાવી હવે વાત આવી પહેલે થી ટાંગેલી પોટલી માંથી એક પોટલી પસંદ કરવાની હવે તે અસમંજસ માં મુકાયો.
એક તરફ પોતાની પોટલી ટીંગાડવાનો આનંદ હતો તો બીજી તરફ બીજી પોટલી પસંદ કરવાની ચિંતા હવે તે પહેલે થી ટીંગાઈ રહેલી પોટલી તરફ જોઈ રહ્યો હતો પોટલી પસંદ કરતા જ મન માં વિચાર આવતો કે મારા કરતા વધારે દુઃખ અને બીમારીઓ વળી પોટલી હશે તો ?
આમ અનેક પોટલી પસંદ કરવા છતાં તે એક પણ પોટલી ને લઇ શક્યા નહિ ઘણો સમય વીતી ગયો પણ તે કોઈ નિર્ણય ના લઇ શક્યો એટલે છેલ્લે તેને ભગવાન ને અવાજ કર્યો કે હે ભગવાન હું તો પાગલ થઇ જઈશ ભગવાન તુરંત જ આવ્યા, આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને કહ્યું કે તને ગમે તે પોટલી ઉઠાવી લે તેમાં આટલું બધું વિચારવાનું શું હોય ?અને અંતે તેને પોતે ટીંગાડેલી પોટલી જ ઉતારી લીધી અને ભગવાનને કહ્યું કે હવે હું મારા જીવન માં ક્યારેય દુઃખી નહિ થાવ અને મેં મારી પોટલી એટલા માટે પસંદ કરી,
કારણ કે મને મારા દુઃખ અને ચિંતા ની તો ખબર જ છે અને હું તેની સાથે જ જીવન જીવી રહ્યો હતો પણ બીજા ના દુઃખ ચિંતા અને તકલીફો વિષે તો કઈ જાણતો જ નથી હવે હું કોઈ દિવસ નિરાશ નહિ થાવ અને મારી તકલીફો નો હિંમત થી સામનો કરીશ.
અને આગળ વધીશ અને તમારા પર ભરોસો રાખી અને મારા જીવનના શ્રેષ્ઠ કર્મો કરતો રહીશ અને સુખ દુઃખ નું ચક્ર તો જીવનભર ચાલતું જ રહેવાનું છે હવે હું તેનાથી જરા પણ વિચલિત નહીં થાવ.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.