શું તમારું જીવન દુઃખથી ભરાયેલું છે, તો આ વાંચી લો તમારો જીવન જીવવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે

હું ખુશ છું કે દરરોજ વહેલી સવારે જ્યારે અલાર્મ નો અવાજ આવે ત્યારે તરત જ હું જાગી જવું છું. એટલે કે મને દરરોજ સવારે એક નવી સવાર જોવા મળે છે આ ભગવાનની કૃપા જ કહેવાય.

હું એટલા માટે પણ ખુશ છું કે કોઈ વખતે હું બીમાર પડી જાઉં છું એનો મતલબ કે મોટાભાગે તો હું સ્વસ્થ જ હોવું છું.

હું ખુશ છું કે મારા સંતાનો દિવસ માં ઘણો સમય સુધી બહાર રમતા રહે છે, એટલે કે તેઓ એકદમ સ્વસ્થ છે અને શરીરની તંદુરસ્તી ખેલકૂદ થી જાળવી રહ્યા છે. હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર.

આટલું લખ્યા પછી તે સ્ત્રી ડાયરી બંધ કરીને બેડ પાસે રાખીને, લાઈટ બંધ કરી અને સુઈ ગઈ.

કદાચ આ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ સ્ટોરીમાં થી એટલું તો સમજી જ શકાય કે જો આપણે પણ આપણા જીવનમાં આ સ્ત્રીની જેમ કંઈક એવો ફોર્મ્યુલા અપનાવી શકીએ કે જેનાથી આપણને બધી વસ્તુ માં કંઈક સારું પણ દેખાવા લાગે તો આપણું જીવન પહેલા જેવું ન રહે.

અલબત્ત આપણા જીવનમાં પહેલાં કરતાં પણ વધારે ખુશીઓ સામેલ થઈ જાય. પરેશાનીઓ તમારા જ જીવનમાં છે અથવા મારા જ જીવનમાં છે એવું નથી પરેશાનીઓ તો દરેકના જીવનમાં રહેવાની જ છે પરંતુ નાની મોટી મુશ્કેલીઓ માંથી પણ આપણે આપણી રીતે ખુશીઓ શોધતા શીખી જઈએ તો આપણી જિંદગી અલબત પહેલા કરતા ખૂબ જ ખુશખુશાલ બની જાય. અને હા ભગવાનનો આભાર તો માનવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ.

ઘણી વખતે આપણા ખરાબ સમયમાં અથવા મુશ્કેલી ના સમયે ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ છીએ પરંતુ એ મુશ્કેલીમાંથી પાર પડી જઈએ ત્યારે બહુ ઓછા લોકો એવા હોય છે જે ભગવાનનો આભાર માને છે, આથી નાની નાની વસ્તુઓમાં પણ ભગવાનનો આભાર માનતા શીખી જવું જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને જણાવજો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરી ને શેર કરજો તેમજ કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel