જે લોકોને ખુબ જ ગુસ્સો આવતો હોય તમને આ વંચાવજો, પછી તેઓનો ગુસ્સો પીગળી જશે...!
રાત્રે લગભગ આઠેક વાગ્યે રમેશ ભોજન કરી અને સ્કૂલ નું લેસન કરવા માટે બેઠો હતો.
અત્યંત સાધારણ પરિસ્થિતિ માં જીવન જીવી રહ્યા હતા તેના પિતા છૂટક મજૂરી કામ કરીને ઘરે આવ્યા અને ભોજન કરવા માટે બેઠા હતા.
ત્યારે રમેશ ને થયું કે હમણાં જ પિતાજી તેની માતા સાથે ઝગડો કરશે કારણ કે રસોઈ બનતી હતી ત્યારે લાઈટ ચાલી ગઈ હતી અને તેની માતા એ ભૂલ થી શાક માં બે વખત નમક નાખી દીધું હતું અને તેના પિતા નો સ્વભાવ એકદમ ગરમ હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેના પિતા એ ભોજન કરવાનું શરૂ કર્યું અને રમેશ લેસન કરતા કરતા ફફડી રહ્યો હતો અને પિતાજી ની સામે જોઈ રહ્યો હતો કે હમણાં જ ઝઘડો શરુ થશે કારણ કે શાક માં નમક વધુ પડી ગયું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ તેના વિચાર થી વિપરીત તેના પિતા એકદમ શાંતિથી ભોજન કરી રહ્યા હતા અને તેના અભ્યાસ વિષે પૂછપરછ કરી રહ્યા હતા પિતા એ ભોજન કર્યા પછી તેની માતા જ્યારે ભોજન કરવા માટે બેઠા ત્યારે તેને ખબર પડી કે શાક માં નમક વધારે પડી ગયું છે.
ત્યારે તેને દુઃખ થયું અને માફી માંગી એટલે તેના પિતા એ કહ્યું કે કઈ વાંધો નહિ મને ભોજન કરવા માં જરા પણ તકલીફ પડી નથી અને ભોજન કરવા માં આનંદ પણ આવ્યો.
પિતા નો હળવો મિજાજ જોઈ ને રમેશે પિતાને પૂછ્યું કે તમે આજે માતા ઉપર ગુસ્સે થવાને બદલે શાંતિ થી વર્તન કર્યું એટલે મને તમને એક વાત પુછવી છે કે તમે આજે કેમ આટલી બધી શાંતિ રાખી અને વર્તન કર્યું ?
એટલે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે આજે હું એક શિક્ષક ના ઘરે સામાન ઉતારવા માટે ગયો હતો તેને મને કામ પત્યા પછી થોડી વાર બેસાડી અને ચા પાણી પીવડાવ્યા અને સલાહ આપી કે તમારો સ્વભાવ ગુસ્સાવાળો અને ઉતાવળીયો છે.
તમે તેને સુધારી અને થોડા શાંતિ થી વાતચીત કરો જેથી તમારી જિંદગી માં પણ શાંતિ મળે અને શાંતિ થી જીવન જીવી શકો અને તે શિક્ષક ની વાત મને મનમાં અસર કરી ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને એ માટે જ મેં અત્યારે ભોજન કરવામાં શાક માં નમક વધારે હતું તો પણ કઈ કહ્યું નહિ કે ગુસ્સો કર્યો નહિ કારણ કે એક વખત નું વધારે નમક વાળું શાક ખાવાથી માણસ ને કોઈ નુકસાન નથી થતું.
પરંતુ ગુસ્સો કરી અને બોલેલા ખરાબ શબ્દો અને કરેલું અપમાન માણસ ને અંદર સુધી દુઃખી કરવા માટે ઘણું છે આ દુનિયા આપણને પસંદ ના હોય તેવા અનેક કારણો થી ભરેલી છે.
અને હું પણ તેમાં આવી જાવ છું તેમ આપણી આજુબાજુ વાળા ની પણ ભૂલ હોઈ શકે છે અને આપણી પણ પરંતુ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે બધા ની નાની મોટી થયેલી ભૂલો ને સ્વીકારી અને સંબંધો નિભાવતા શીખી જવું.
કારણ કે આ નાની જિંદગી માં જેટલો લઇ શકાય એટલો આનંદ મેળવી લેવો બાકી બીજા ની ભૂલો જ જોયા કરશું તો આપણે ક્યાં દિવસે આપણી જિંદગી નો આનંદ માણીશું?? આપણા અભિમાન ને અને ગુસ્સા ને ભૂલી અને જીવન જીવો બધા લોકો આપણા લાગશે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.