ગમે તેટલો ખરાબ સમય હોય, 4 મિનિટનો સમય કાઢીને આ વાંચી લો, પછી તમે...

કેશુભાઈ કામ ની શોધ માં ફરતા ફરતા બાજુ ના રાજા ના રાજ્ય માં પહોંચી ગયા.

તે અત્યંત ગરીબ પરિવાર ના સભ્ય હતા તેથી આજુ બાજુ ના ગામ માં ફરી અને મજૂરીકામ મળે તેમાંથી તેનું ઘર ચલાવતા હતા.

અને ત્યારે તે રાજ્ય માં એક સમારોહ ચાલી રહ્યો હતો જેમાં હાથી ને પોતાની સૂંઢ માં વિજય માળા લઇ અને ફેરવવા માં આવે અને હાથી જે વ્યક્તિ ને તે વિજય માલા પહેરાવે તેને પાંચ વર્ષ માટે તે રાજ્યના રાજા ઘોષિત કરવામાં આવતા.

કેશુભાઈ પણ તે સમારોહ નો આનંદ માણવા માટે ત્યાં ઉભા રહી ગયા અને કોઈ દિવસ કલ્પના પણ ના કરી શકે તેવું થયું હાથી એ કેશુભાઈ ને વિજય માળા પહેરાવી અને કેશુભાઈ નો જય જયકાર થવા લાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને તેને પાંચ વર્ષ માટે રાજા ઘોષિત કરવામાં આવ્યા કેશુભાઈ ના રાજતિલક પહેલા રાજ્યના પુરોહિતે તે રાજ્ય ના નિયમ જણાવતા કહ્યું કે આપને ફક્ત પાંચ વર્ષ માટે રાજા બનાવવા માં આવે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને પાંચ વર્ષ પુરા થાય ત્યારે રાજ્ય ની બહાર, મગર થી ભરેલી નદી છે તે તમારે તમારી તાકાત થી પાર કરી અને તમારે નદી પાર આવેલા ગામ માં વસવાટ કરવાનો અને ફરી ને ક્યારેય આ રાજ્ય માં આવવાનું નહિ.

પોતાની ગરીબ પરિસ્થિતિ ના હિસાબે કેશુભાઈ વિચારમાં પડી ગયા પણ તેના હાથ માં પાંચ વર્ષ હતા, એટલે કંઈક રસ્તો મળી જશે તેવું વિચારી અને રાજા બની ગયા અને પાંચ વર્ષ સુધી ઈમાનદારી થી રાજ્યનું સંચાલન કર્યું.

જેમાં રાજ્યના વિકાસ માટે ના અનેક કામો પણ કરેલા અને રાજ્ય માં વ્યાપાર ધંધા રોજગાર વધે તેની ખાસ કાળજી રાખવામાં આવી જેથી કરીને ભવિષ્યમાં રાજ્ય ના લોકો ને કોઈ દિવસ આર્થિક બાબતે તકલીફ પડે નહિ.

અને લોકોની પ્રગતિ સતત વધતી રહે જેના પરિણામ સ્વરૂપે રાજ્યના લોકો નો વિશ્વાસ પણ જીતી લીધો અને પ્રજાજનો ના દિલ માં વસી ગયા.

કારણ કે રાજ્ય ને આવા કુશળ અને પ્રજા નું ધ્યાન રાખવા વાળા પ્રજાવત્સલ રાજા હજુ સુધી મળ્યા નહોતા આમ પાંચ વર્ષ પુરા થતા નિયમ અનુસાર કેશુભાઈ નો વિદાય સમારંભ ગોઠવાયો.

અને હાથી ની અંબાડી માં બેસાડી અને રાજા કેશુભાઈ ને વિદાય આપવા માટે આખું ગામ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ને ઉમટી પડ્યું અને બધા લોકો ની આંખ માં આંસુ હતા બધા લોકોની રજા લેતા કેશુભાઈ એ કહ્યું કે હું આ રાજ્ય ના નિયમો નું સન્માન કરું છું.

અને હવે નદી પાર કરી અને સામે ના ગામ માં જઈ અને વસવાટ કરીશ પણ અહીંયા પણ રાજ્ય ના લોકો માટે એક સગવડતા કરવા માં આવી છે મેં નદી ઉપર એક પુલ બનાવ્યો છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેથી કરીને અત્યાર સુધી આપણા રાજ્યના લોકો ત્યાં કામ ધંધો કરી શકતા નહોતા. તે કરી શકશે અને પોતે બનાવેલ પુલ રાજ્ય ના લોકો ને નજરે ચડતા જ લોકો ખુશી થી નાચવા લાગ્યા.

કારણ કે રાજા નદી પાર ના ગામ માં સહી સલામત પહોંચી શકશે અને ત્યાં આવવા જવાની લોકો ને સગવડતા થઇ અને કામ ધંધા ને પણ વેગ મળે રાજા તો શાંતિ થી પુલ પરથી ચાલતા ચાલતા નદી પાર કરી અને સામે ના ગામ માં ચાલ્યા ગયા.

આ વાર્તા માંથી આપણે એટલી શીખ લેવાની કે જીવન માં આવેલા સારા સમય નો ઉપયોગ કરી અને એવા કાર્ય કરવા કે કરાવવા જોઈએ જે આપણે અને આપણા પછી ના લોકો ને કામ લાગે દરેક લોકો ના જીવન માં સારો કે નબળો સમય આવે જ છે.
પરંતુ સારા સમય માં બનાવેલ પુલ જ નબળા સમય માં આપણને નદી પાર કરાવી શકે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team