ઘડપણ નો સાચો સહારો કોણ દીકરો હોય છે કે વહુ? આ વાંચીને પછી તમે પણ...
સામાન્ય રીતે લોકો ને પોતાના ઘર માં એક દીકરા નો જન્મ થઇ જાય તેવી અપેક્ષા હોય છે. કારણ કે દીકરા ને લોકો વૃદ્ધાવસ્થા ની લાકડી સમાન ગણતા હોય છે. અને પોતાના જીવન ની વૃદ્ધાવસ્થા નો સમય માં ટેકો રહે તે માટે દરેક લોકો દીકરા ની અપેક્ષા રાખતા હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને પોતાનો વંશ વેલો ચાલુ રહે પરંતુ એ દીકરા ના લગ્ન થતા જ તે બધી જવાબદારી તેની પત્ની ને સોંપી આપતો હોય છે. અને એ કારણે દીકરા ની બદલે દીકરા ની વહુ વૃદ્ધાવસ્થા ની લાકડી બની જતી હોય છે અને તે વહુ જ હોય છે કે જેના સાથ થી તેના સાસુ સસરા તેનું વૃદ્ધાવસ્થા નો સમય વ્યતીત કરે છે.
આખા ઘર માં એક વહુ જ હોય છે. જેને તેના સાસુ સસરા ને ક્યાં સમયે ચા નાસ્તો આપવો અને સવારે કઈ દવા આપવી બપોરે જમવાનું બનાવવા માં બંને ની તબિયત ને અનુકૂળ આવે તેવી રસોઈ બનાવવી સાંજે ચા નાસ્તો અને રાતે સમયસર જમાડી ને દવા આપવી.
સાથે સાથે ઘર ના અન્ય સભ્યો માટે પણ તેને ભાવતા ભોજન બનાવવા અને સાસુ સસરા ને કઈ બીમારી આવી જાય તો સાથે સાથે તેમની સેવા પણ કરવી પરંતુ એક દિવસ પણ વહુ બીમાર પડી જાય અથવા તો ક્યાંય બહાર જવાનું હોય તો આખું ઘર રમણ ભમણ થઇ જાય છે.
પરંતુ દીકરા ને પંદર દિવસ માટે પણ ધંધા કે નોકરી ના કામે જવાનું થાય તો ઘર ની વ્યવસ્થા માં કશું ફરક પડતો નથી. અને વહુ બધું વ્યવસ્થિત રીતે ચલાવે છે. ઘર માં વહુ ની હાજરી ના હોય ત્યારે સાસુ સસરા ને તેની વૃદ્ધાવસ્થા ની લાકડી ક્યાંય ખોવાઈ ગઈ હોય તેવું લાગે છે.
જયારે દીકરા ને તો એ પણ ખબર હોતી નથી કે માતા પિતા ને સવાર થી સાંજ સુધી માં ક્યાં સમયે શું જમવા માટે આપવું કે ક્યાં સમયે કઈ દવા આપવી આમ દીકરા ની અપેક્ષા હોય છે. પણ દીકરો માતા પિતા ની સેવા કરી શકે તેના કરતા અનેક ગણી સેવા વહુ કરે છે વહુ ની કદર કરો.
એક વડીલ ખુબજ શ્રીમંત પરિવાર ના જયારે અવસાન પામ્યા ત્યારે તેને અગાઉ થી જ ઘર માં તેના પુત્રો ને કહી દીધું હતું કે મારો અગ્નિદાહ મારા એકેય દીકરાઓ નહિ કરે, મને મારા દીકરા ની વહુ જ અગ્નિદાહ આપશે. અને બધા સભ્યોએ આ વાત માન્ય રાખી હતી.
અને જયારે તે વડીલ નું અવસાન થયું. ત્યારે તેના દીકરા ની વહુ એ જ અગ્નિદાહ આપેલો તેની સામે અત્યારે એવું પણ જોવા મળે છે કે સાસુ ના કોઈ સગા કે ઘર ના કોઈ સગા આવે તો સાસુ ચા પાણી નાસ્તો કરાવે પોતે દોડાદોડી કરે પછી તેની તબિયત ભલે ખરાબ હોય પણ વહુ ના પિયર માંથી કોઈ આવે તો જ વહુ તેના રૂમ માંથી બહાર આવતી હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને આ બધા સંસ્કાર અને કુ સંસ્કાર તેના નાનપણ માં તેની સાથે કરવામાં આવતા વર્તન માંથી ઉત્પન્ન થઇ છે. આવી વહુ તેના સાસુ સસરા ની શું સેવા કરવાની હતી? તેના સાસુ સસરા ને તેના હાથે બનાવેલી ચા પણ મળતી નથી. સંસાર માં બધી પ્રકારની પ્રકૃતિ ધરાવતા લોકો મળી રહે છે.
જે વહુ પોતાના પરિવાર સાથે પ્રેમ લાગણી થી રહે છે. તેને વૃદ્ધાવસ્થા માં તેનું સારું પરિણામ મળી રહે છે કારણ કે તેના સંતાનો અને વહુ જે જુવે છે તેજ વર્તન તેની સાથે કરે છે. અને જે આવું નથી કરી શકતા તેને તેના કર્મ મુજબ મળી રહે છે અને આવા અનેક દાખલ આપણી આજુબાજુ માંથી જ આપણને મળી જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.