ગામના બધા લોકોને રાજાએ એક-એક હજાર સોનામહોરો આપી, 10 દિવસ પછી ગામમાં એવું થયું કે રાજા…

એક રાજા પોતાના મંત્રી અને રાજ દરબાર ના બધા મહાનુભાવો ની સાથે દરબાર ભરીને બેઠા હતા રાજા પ્રજા માટે નસીબદાર હતા જ્યારે થી રાજપાઠ સંભાળ્યું ત્યાર થી રાજ માં નાના માં નાના કારીગર મજુર થી લઇને ખેડૂત કે વેપારી બધા ને કામકાજ બહુ ચાલતું. અને પ્રજા ના બધા વર્ગ ના લોકો ખુબ જ ખુશ હતા.

બધા લોકો ને એકદમ સંતોષ હતો જેના હિસાબે રાજા ને કર ની આવક એટલી બધી સારી હતી કે હવે કર આવે તો તેનું શું કરવું તે વિચારવું પડે તેમ હતું. એવા માં રાજા એ મંત્રી ને કહ્યું કે રાજ ના ભંડોળ માં હવે કર ના રૂપિયા સાચવવાની જગ્યા નથી તો આપણે પ્રજા ના દરેક પરિવાર ને એમાં થી એક હજાર સોનામહોર ભેટ માં આપી દઈએ.

એક દિવસ વિચાર કરી ને મંત્રીજી એ કહ્યું કે આપનો સુજાવ મને યોગ્ય નથી લાગતો, કારણ કે પ્રજા ના કર માંથી આવેલા રૂપિયા આપ તેના કલ્યાણ માં વાપરી શકો છો પરંતુ તેને રોકડા કે સોનામહોર ના સ્વરૂપ માં પાછા આપવા યોગ્ય નથી.

ત્યારે રાજા એ મંત્રી ને જવાબ આપ્યો કે પ્રજા ની જરૂરિયાત ના કોઈ કામ બાકી નથી. પ્રજા માં કોઈ ને કંઈ પણ મદદ ની જરૂર નથી. તો હવે આ રૂપિયા નું આપણે શું કરીએ અને પાછો આ વર્ષ નો કર આવે તે આપણે ક્યાં સાચવીશું?

આ બધી ચર્ચા ના અંતે રાજા એ કહ્યું કે આપણે દરેક ને સોનામહોર આપી દઈએ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. રાજા પોતાની વાત પર કાયમ રહ્યા અને ગામ માં ઢંઢેરો પીટાવ્યો કે આવતી અમાસે આખા ગામ ના દરેક પરિવારો ના વડીલ ની હાજરી ફરજીયાત છે. તો બધા વડીલો એ હાજર રહેવું ગામ માં તો દરેક જગ્યાએ બધે ચર્ચા થવા લાગી કે એવું તે શું કારણ હશે કે રાજા એ દરેક પરિવાર ના વડીલો ને બોલાવ્યા છે?

આજે અમાસ ના દિવસે રાજ દરબાર માં રાજા, મંત્રી, મહાનુભાવો ની સાથે સાથે બધા ઘર ના વડીલો ની પણ હાજરી હતી. અને રાજા એ એલાન કર્યું કે રાજ તરફથી આજે દરેક પરિવાર ને એક એક હજાર સોનામહોર ભેટ આપવામાં આવશે. અને પ્રજા માં જાણે આનંદ નું મોજું ફરી વળ્યું. અને રાજા નો જય હો જેવા સૂત્રો બોલાવવા લાગ્યા.

દરેક પરિવાર ના વડીલો ના હાથ માં એક એક હજાર સોના મહોર આપી દેવા માં આવી. અને બધા રાજ દરબારમાંથી પોતાના ઘરે ગયા. આખા ગામ માં બધા ખુશ હતા. પણ એક મંત્રી રાજા થી ખુબ જ નારાજ હતા, પણ રાજા એ જે નક્કી કરી નાખ્યું તેની સામે કોઈથી કંઈ બોલાય નહિ.

હવે ગામ ના બધા લોકો સોનામહોર મળ્યા નો આનંદ માણવા લાગ્યા અને ઉજવણી કરવા લાગ્યા. હવે તો દરેક ઘર માં વગર મહેનતે એક હજાર સોના મહોર આવી ગઈ છે. ત્રણ ચાર દિવસ પછી ગામ માં એવું થયું કે વેપારી ની દુકાન માં કોઈ ખરીદી કરવા જાય તો કોઈ જાત નો માલ હજાર નથી તેવું કહેવા માં આવે કારણ કે બધા મજુર રાજા ઉપર ઉતરી ગયા.

ધીમે ધીમે ગામ માં ઘણી દુકાન બંધ થવા લાગી, વાણંદની દુકાન બંધ ચા-નાસ્તા વાળા ની દુકાન બંધ, શાકભાજી વાળા ની રેંકડી બંધ, જીવન જરૂરિયાત ની કોઈ વસ્તુ પણ મળે નહિ. અને ખેતીવાડી માં મજુર રજા ઉપર ઉતરી જતા તૈયાર થયેલો પાક કોણ ઉતારે? અને ઉભો પાક કે જે તૈયાર થઇ ગયો હતો તે બગડવા લાગ્યો. આમને આમ બે ત્રણ મહિના વીતી ગયા.

અને બધી ચીજ વસ્તુ ના ભાવ આસમાને પહોંચી ગયા વેપારી વેપાર તો કરી શકે પણ માલ તેના ગોડાઉન માંથી દુકાન પર કોણ લાવે? એમ જ ખેડૂત એકલા હાથે કેટલું કામ કરી શકે? મજુર વગર તો મોટા ભાગ ભાગ નું કામ અટકી પડે અને વેપાર ને ખેતીવાડી તેમાં નાના મોટા દરેક ધંધા માં માણસો ને નુકશાન જવા માંડ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આઠ-દસ દિવસ પછી ગામ માં હાહાકાર થઇ ગયો કારણ કે નાના નાના ભૂલકાઓ માટે ગાય નું દૂધ પણ મળવાનું બંધ થઇ ગયું. કોઈ બીમાર હોય તો તેના માટે દવા પણ મળે નહીં આ બધી હાલત જોઈને રાજા દુઃખી દુઃખી થઇ ગયા અને મંત્રી જી ને બોલાવ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મંત્રીજી એ આવી ને રાજા ને કહ્યું કે બોલો મહારાજ શું હુકમ છે? રાજા એ કહ્યું કે દરેક પરિવાર ને સોના મહોર દેવાની વાત નો કોઈ એ વિરોધ કર્યો નહિ. અને તમે એક જ એવા હતા કે આ નિર્ણય થી નારાજ હતા અને ગામ ની જે પરિસ્થિતિ નું નિર્માણ થયું એ મારા થી જોવાતી નથી.

ત્યારે જવાબ માં મંત્રીજી એ કહ્યું કે જે માણસો મહેનત મજૂરી કરી ને ખાતા પિતા હતા અને આનંદ માં હતા એ બધા લોકો ને આ એક હજાર સોના મહોરે આળસુ કરી દીધા છે. અને મફત માં મળેલી સંપત્તિ માંથી કોઈ માણસ ને કામ કાજ સુજે નહિ એટલે નાના થી મંડી ને મોટા સુધી બધા જલસા કરવા માં પડી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દરેક માણસો નું કામ કાજ ચાલતું હતું એ બધું વેરવિખેર થઇ ગયું છે વેપારીઓ ને નુકશાન ખેડૂતો નો પાક બગડી ગયો. અને બધા લોકો ને કંઈક ને કંઈક નુકશાન થયું.

અને મહારાજ હવે આ વર્ષે તમે જેમ કહેતા હતા ને કે કર ના રૂપિયા આવશે તે ક્યાં રાખીશુ તો હવે સાંભળી લો કે આ વર્ષે કર ના રૂપિયા જ નહિ આવે, કારણ કે જે લોકો મહેનત મજૂરી કરી ને ખાતા હતા એ લોકો ને હવે કંઈ કરવાની જરૂર નથી કારણકે તેઓ પાસે સોનામહોરો છે ત્યાં સુધી તો જલસા કરશે.

પરંતુ સોનામહોરો પૂરી થઈ ગયા પછી પણ કોઈ ને કામ ધંધો સુજસે નહિ. અને આમાંથી ઘણા માણસો બેકાર થઇ જશે અને ઘણા લોકો ખોટા કામ ના રવાડે ચડી જશે જે મને પહેલે થી ખબર હતી જેથી હું આપણી આ વાત નો વિરોધ કરતો હતો અને નારાજ હતો.

આ વાત તો રાજાશાહી ની હતી પરંતુ અત્યારે પણ આપણા જીવન માં લાગુ પડે છે આપણે આપણી આજુબાજુ ના માણસો માંથી જ જોઈ શકતા હોય કે આવી રીતે મફત માં મળતી સગવડતા ભોગવવા ની ટેવ પડી જાય ત્યારે મહેનત કરવાનું સુજતુ નથી.

એક મોટા સંત પણ કહેતા કે તમારા વંશજો ને શેઠ કે શાહુકાર બનાવવા હોય તો ખવડાવવા વાળો વિચાર રાખો અને બધાને ખવડાવો પરંતુ તમે ખાવા વાળો વિચાર રાખશો અને એવી ટેવ રાખશો તો તમે અને
તમારા વંશજો ને ગુલામી ની આદત પડી જશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team