ગામડા અને શહેર વચ્ચે શું તફાવત હોય છે? તે આ 14 વર્ષના દીકરાએ એવું વર્ણવ્યું કે બધા લોકો…

આઠમા ધોરણ ના ક્લાસ માં શિક્ષકે કહ્યું કે આવતી કાલે બધા ને એક એક નિબંધ લખવાનો છે, કાલે નિબંધ ની હરીફાઈ છે, અને જે પહેલા નંબર પર આવશે, તેને પાંચસો એક રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે.

બીજા દિવસે ક્લાસ ના બધા વિદ્યાર્થીઓ એ નિબંધ લખ્યો અને શિક્ષક ને આપ્યો તેમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનો નિબંધ વાંચીને શિક્ષક અત્યંત પ્રભાવિત થઈ ચૂક્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

શિક્ષકે તેને તે વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે તારા મનમાં નિબંધનો આ વિષય કઈ રીતે આવ્યો?ક્લાસમાં શિક્ષકે કહ્યું કે આ છોકરાએ ગામડા અને શહેર વચ્ચે નો તફાવત વિષય ઉપર નિબંધ લખ્યો છે. પરંતુ આ નિબંધ વાંચીને હું ભાવુક થઈ ગયો.

વિદ્યાર્થીએ જવાબ આપતા કહ્યું કે મારા પિતાને ગામડે ખેતર હોવાથી અમારે અવાર-નવાર ગામડે જવાનું થતું હોય છે. અને મને જ્યારે પણ પિતા પૂછે કે તને ગામડું ગમે કે શહેર ત્યારે હું તરત જ તેને જવાબ આપતો કે મને તો ગામડું પસંદ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આવી રીતે અવારનવાર ગામડે જવાથી મને ગામડા વિશે ઘણી ખબર છે અને એટલા માટે ગામડા અને શહેર માં શું તફાવત હોય છે તેના વિશે નિબંધ લખ્યો હતો.

તે નિબંધમાં તેણે લખ્યું હતું કે…

ગામ અને શહેર માં એટલું અંતર છે કે ગામ માં ગાય માતા ને પાળવામાં આવે છે, અને કુતરા રખડતા હોય છે. જ્યારે શહેર માં કુતરા પાળવામાં આવે છે. ગાય માતા માતા આખા શહેરમાં રખડતી હોય છે.

પણ એક બીજી અગત્ય ની વાત એ છે કે કુતરા તો ઘર માં રહે છે, પણ તેના માં બાપ તેના ઘર માં પોસાતા નથી. અને જયારે સગા માં બાપ વૃદ્ધાશ્રમ માં રહે છે.

જયારે ગામ ના એક પણ ઘર ના માં બાપ તેના દીકરાઓ થી અલગ રહેતા નથી. અને તેનું માન સન્માન પૂરેપૂરું રાખવામાં આવે છે/ જયારે શહેર માં માં બાપ ને માન સન્માન દેવામાં પણ દીકરાઓ ને ગુલામી જેવું લાગે છે.

ઘર ના કુતરા ને તો સવાર સાંજ મોટર માં કે સ્કૂટર માં ફરવા માટે લઇ જશે, પણ મહિને બે મહિને એક વાર પણ માતા પિતા ને ફરવા લઇ જવા નો તેની પાસે સમય નથી.

વૃદ્ધ માં બાપ ની કોઈ પણ જાત ની સેવા કરવા માટે શહેર ના દીકરાઓ ને જરા પણ સમય નથી હોતો, માતા પિતા બીમાર હોય કે પથારીવશ હોય, તેના દીકરા કે વહુ ને કોઈ જ ફરક નથી પડતો.

વૃદ્ધ માતા પિતા ને બાથરૂમ જવું હોય તો મહા મહેનતે લાકડી નો ટેકો લઇ ને અથડાતા ભટકાતા માંડ માંડ જાય છે. અને પાછા પથારી પર આવે ત્યાં તો શ્વાસ ચડી ગયો હોય.

આવી દયા જનક સ્થિતિ માં પણ માતા પિતા નો હાથ પકડી ને સાથે ચાલે નહિ તે દીકરા વહુ શહેર ના છે. અને ગામ ના દીકરા અને વહુ આ બધી સેવા પ્રેમ ભાવ થી કરે આટલો ફરક છે.

ગામ અને શહેર ના સંસ્કાર માં જીવન નું સત્ય છે કે અનાથ આશ્રમમાં બાળકો મળે છે ગરીબોના અને વૃદ્ધાશ્રમ માં વડીલો મળે છે પૈસાવાળાના.

નિબંધ જયારે શિક્ષકે વાંચ્યો ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ કારણ કે તે તેના માતાપિતાને ગુમાવી ચુક્યા હતા. તરત જ બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે લોકો માતા પિતાની બને તેટલી સેવા કરજો નહીં તો ગુમાવ્યા પછી મારી જેમ મનમાં વસવસો રહી જશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team