ગામડા અને શહેર વચ્ચે શું તફાવત હોય છે? તે આ 14 વર્ષના દીકરાએ એવું વર્ણવ્યું કે બધા લોકો…

આઠમા ધોરણ ના ક્લાસ માં શિક્ષકે કહ્યું કે આવતી કાલે બધા ને એક એક નિબંધ લખવાનો છે, કાલે નિબંધ ની હરીફાઈ છે, અને જે પહેલા નંબર પર આવશે, તેને પાંચસો એક રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે.

બીજા દિવસે ક્લાસ ના બધા વિદ્યાર્થીઓ એ નિબંધ લખ્યો અને શિક્ષક ને આપ્યો તેમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનો નિબંધ વાંચીને શિક્ષક અત્યંત પ્રભાવિત થઈ ચૂક્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

શિક્ષકે તેને તે વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે તારા મનમાં નિબંધનો આ વિષય કઈ રીતે આવ્યો?ક્લાસમાં શિક્ષકે કહ્યું કે આ છોકરાએ ગામડા અને શહેર વચ્ચે નો તફાવત વિષય ઉપર નિબંધ લખ્યો છે. પરંતુ આ નિબંધ વાંચીને હું ભાવુક થઈ ગયો.

વિદ્યાર્થીએ જવાબ આપતા કહ્યું કે મારા પિતાને ગામડે ખેતર હોવાથી અમારે અવાર-નવાર ગામડે જવાનું થતું હોય છે. અને મને જ્યારે પણ પિતા પૂછે કે તને ગામડું ગમે કે શહેર ત્યારે હું તરત જ તેને જવાબ આપતો કે મને તો ગામડું પસંદ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આવી રીતે અવારનવાર ગામડે જવાથી મને ગામડા વિશે ઘણી ખબર છે અને એટલા માટે ગામડા અને શહેર માં શું તફાવત હોય છે તેના વિશે નિબંધ લખ્યો હતો.

તે નિબંધમાં તેણે લખ્યું હતું કે…

ગામ અને શહેર માં એટલું અંતર છે કે ગામ માં ગાય માતા ને પાળવામાં આવે છે, અને કુતરા રખડતા હોય છે. જ્યારે શહેર માં કુતરા પાળવામાં આવે છે. ગાય માતા માતા આખા શહેરમાં રખડતી હોય છે.

પણ એક બીજી અગત્ય ની વાત એ છે કે કુતરા તો ઘર માં રહે છે, પણ તેના માં બાપ તેના ઘર માં પોસાતા નથી. અને જયારે સગા માં બાપ વૃદ્ધાશ્રમ માં રહે છે.

જયારે ગામ ના એક પણ ઘર ના માં બાપ તેના દીકરાઓ થી અલગ રહેતા નથી. અને તેનું માન સન્માન પૂરેપૂરું રાખવામાં આવે છે/ જયારે શહેર માં માં બાપ ને માન સન્માન દેવામાં પણ દીકરાઓ ને ગુલામી જેવું લાગે છે.

ઘર ના કુતરા ને તો સવાર સાંજ મોટર માં કે સ્કૂટર માં ફરવા માટે લઇ જશે, પણ મહિને બે મહિને એક વાર પણ માતા પિતા ને ફરવા લઇ જવા નો તેની પાસે સમય નથી.

વૃદ્ધ માં બાપ ની કોઈ પણ જાત ની સેવા કરવા માટે શહેર ના દીકરાઓ ને જરા પણ સમય નથી હોતો, માતા પિતા બીમાર હોય કે પથારીવશ હોય, તેના દીકરા કે વહુ ને કોઈ જ ફરક નથી પડતો.

વૃદ્ધ માતા પિતા ને બાથરૂમ જવું હોય તો મહા મહેનતે લાકડી નો ટેકો લઇ ને અથડાતા ભટકાતા માંડ માંડ જાય છે. અને પાછા પથારી પર આવે ત્યાં તો શ્વાસ ચડી ગયો હોય.

આવી દયા જનક સ્થિતિ માં પણ માતા પિતા નો હાથ પકડી ને સાથે ચાલે નહિ તે દીકરા વહુ શહેર ના છે. અને ગામ ના દીકરા અને વહુ આ બધી સેવા પ્રેમ ભાવ થી કરે આટલો ફરક છે.

ગામ અને શહેર ના સંસ્કાર માં જીવન નું સત્ય છે કે અનાથ આશ્રમમાં બાળકો મળે છે ગરીબોના અને વૃદ્ધાશ્રમ માં વડીલો મળે છે પૈસાવાળાના.

નિબંધ જયારે શિક્ષકે વાંચ્યો ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ કારણ કે તે તેના માતાપિતાને ગુમાવી ચુક્યા હતા. તરત જ બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે લોકો માતા પિતાની બને તેટલી સેવા કરજો નહીં તો ગુમાવ્યા પછી મારી જેમ મનમાં વસવસો રહી જશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team