એક વ્યક્તિ બે વખત તેના વેવાઈ ના ઘરે ગયો, ત્યાર પછી અચાનક સગાઈ તોડી નાખી, કારણ પૂછ્યું તો જણાવ્યું કે...

એક જજ સાહેબ હતા જે વર્ષોથી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કામ કરતા હતા. સંતાનમાં તેને એક દીકરો હતો. જે દીકરાની ઉંમર હવે લગ્ન કરવા જેવી થઈ ચૂકી હતી. થોડા સમય પછી દીકરા નો સંબંધ નક્કી કર્યો. અને દીકરા અને દીકરી બંને એકબીજાને પસંદ કરતા હતા. બંનેને એકબીજા સાથે મુલાકાત કરાવી ત્યાર પછી સંબંધ નક્કી કર્યો હતો.

થોડા દિવસો પછી બંનેની સગાઇ કરી દેવામાં આવી અને લગ્ન એકાદ વર્ષમાં નિર્ણય લઈને કરાવવાનું નક્કી થયું. સગાઈ થયા પછી થોડા દિવસો પછી એક વખત જજ સાહેબ તેના વેવાઈ ના ઘરે ગયા ત્યાં જઈને જોયું તો તેના વેવાણ રસોઈ કરી રહ્યા હતા બીજા બાળકો ટીવી જોઈ રહ્યા હતા અને તેની થનારી વહુ પણ ટીવી જોઈ રહી હતી.

તેના વેવાઈ સાથે બેસીને ચા પાણી પીધા એકબીજાના ખબર અંતર પૂછ્યા અને થોડા સમય પછી જજ સાહેબ પાછા પોતાના ઘરે જવા રવાના થઈ ગયા.

આ વાતને લગભગ 20-25 દિવસ જેટલો સમય વિતી ગયો. ફરી પાછું એક વખત જજ સાહેબ પોતાના વેવાઈ ના ઘરે ગયા. ત્યાં જઈને જોયું તો સાંજનો સમય હતો વેવાણ કચરો સાફ કરી રહ્યા હતા, તેની થનારી વહુ સૂઇ રહી હતી અને જજ સાહેબને તેના વેવાઈ ના ઘરે માત્ર પાંચ મિનિટ નું જ કામ હોવાથી ત્યાંથી તે ફરી પાછા નીકળી ગયા.

એ જ દિવસે ફરી પાછું વેવાઈનું કંઈક કામ પડ્યું હોવાથી તેઓ ફરી પાછા વેવાઈની ઘરે ગયા અને જોયું તો બધા લોકો જમીને બેઠા હતા, બાળકો જમીને ટીવી જોઈ રહ્યા હતા. તેઓના વેવાણ રસોડામાં વાસણ સાફ કરી રહ્યા હતા. અને તેના દીકરાની થનારી વહુ ફળિયા પાસે જ બેસી ને પોતાના હાથ માં નેલ પોલીસ કરી રહી હતી.

જજ સાહેબ ને પોતાનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી ત્યાં રહ્યા... પછી ફરી પાછા પોતાની ઘરે પાછા ફરી ગયા.

એક બે દિવસ સુધી જજ સાહેબ વિચાર કરતા રહ્યા, એક દિવસ બે દિવસ એમ કરતા કરતા પાંચ દિવસ સુધી જજ સાહેબ અત્યંત ઊંડાણ પૂર્વક વિચાર કરતા રહ્યા. પછી ખૂબ જ સમજી-વિચારીને તેઓએ દીકરી વાળા ના ઘરે સમાચાર પહોંચાડ્યા કે તેઓને આ સંબંધ મંજૂર નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે સ્વાભાવિક છે કે સામે તેનું કારણ પૂછે, કારણ પૂછતા જજ સાહેબે જવાબમાં કહ્યું કે મારી દીકરા ની સગાઈ થયા પછી હું મારા વેવાઈ ના ઘરે અંદાજે ત્રણ વખત ગયો હતો. એક વખત લગભગ એકાદ મહિના પહેલાં ગયો હતો અને હમણાં પાંચ સાત દિવસ પહેલાં જ મારે કામ હોવાથી એક જ દિવસમાં બે વખત વેવાઈ ના ઘરે જવાનું થયું.

તેઓએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું હું ત્રણ વખત ગયો તે ત્રણેય વખત માત્ર વેવાણ જ ઘરકામમાં વ્યસ્ત હતા, એક વખત પણ મેં થનારી વહુ ને ઘરકામ કરતી ન જોઈ. પહેલાના વખતમાં તો મને સામાન્ય લાગ્યું પરંતુ જ્યારે હું પછી બે વખત ગયો ત્યારે પણ મેં આવું જોયું એટલે મને થોડું અજુગતું લાગ્યું...

પછી મેં ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરીને નક્કી કર્યું કે જે દીકરી પોતાની સગી માતા ને દરેક સમયે કામમાં વ્યસ્ત જોઈને પણ તેની મદદ કરવાનું ન વિચારે, વડીલો કરતાં નાની ઉંમરની અને જવાન થઈને પણ જો પોતે તેની માતાને ઘરકામમાં મદદ ન કરાવે એ કોઈ બીજાની ઘરે કોઈ બીજાની માતાને અથવા કોઈ અજાણ્યા પરિવાર વિશે શું વિચારવાની? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મારે મારા દીકરા માટે એક વહુ ની આવશ્યકતા છે, મારે કોઈ શો-પીસ નથી જોઈતો જેને સજાવીને રાખી શકાય.

એટલા માટે જ દરેક માતા-પિતાને આ ઇચ્છવું જોઈએ અને નાની નાની બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ તે દીકરી આપણને ભલે ગમે તેટલી વહાલી હોય પરંતુ તેને ઘરકામ શીખડાવવું પણ જોઈએ તેમજ તેની પાસે કરાવવું પણ જોઈએ.

સમયાંતરે જરૂર પડ્યે દીકરીને ખિજાવું પણ જોઈએ, જેનાથી તેને સાસરીમાં તકલીફ ન પડે. તમે આ વાત સાથે સહમત છો કે કેમ તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team