એક વખત મહાદેવના પરમ ભક્ત એ મંદિરમાં કહ્યું હે ભગવાન મને એક વખત દર્શન આપો, બીજા જ દિવસે સવારે તે ચાલવા ગયા ત્યારે એવું થયું કે તે...

મહેશભાઈ મહાદેવજી ના પરમ ભક્ત હતા અને બહુ જ પ્રેમ અને શ્રદ્ધા થી મહાદેવજી ના પૂજા પાઠ કરતા હતા એક દિવસ પૂજા પાઠ પૂર્ણ કર્યા પછી તેને મહાદેવજી ને પ્રાર્થના કરી કે હું વર્ષોથી આપની પૂજા કરું છું પરંતુ મને એક પણ વખત તમે દર્શન આપ્યા નથી.

કે કોઈ જાત નો તમારો અનુભવ પણ કર્યો નથી તો આપ મને એક વખત દર્શન આપો અથવા કંઈક અનુભવ કરવો તેવી મારી વિનંતી છે. મહાદેવજી એ કહ્યું કે ઠીક છે તું રોજ સવારે દરિયા કિનારે ચાલવા માટે જાય છે ત્યારે જયારે તું રેતી પર ચાલતો હોઈશ ત્યારે તારા બે પગ ના નિશાન પડે છે.

તેની બદલે ચાર પગના નિશાન જોવા મળશે ત્યારે તું સમજી જજે કે મહાદેવજી પણ તારી સાથે ચાલી રહ્યા છે અને તને અનુભવ પણ મળી જશે અને પ્રમાણ પણ મહેશભાઈ બીજા દિવસે દરિયા કિનારે ચાલવા માટે ગયા અને ચાલતા ચાલતા તેને અનુભવ કર્યો કે રેતી માં બે પગ ના બદલે ચાર પગ ના નિશાન પડી રહ્યા છે.

ત્યારે તે મહાદેવજી નો જોર જોરથી અવાજ કરીને આભાર માનવા લાગ્યો કારણ કે તેને સાક્ષાત દર્શન આપ્યા નું પ્રમાણ હતું. અને તે ખુબ જ ખુશ થઇ ને નાચવા લાગ્યો અને આ ચમત્કાર તેની સાથે રોજ બનવા લાગ્યો. એકાદ વર્ષ પછી મહેશભાઈ ને ધંધામાં ખૂબ નુકસાન આવ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને તેની પાસે રહેલી બધી સંપત્તિ ગુમાવવાનો સમય આવ્યો, ત્યારે બધા સગા સંબંધીઓ એ તેની સાથે વ્યવહાર બંધ કરી નાખ્યો. અને તેમાં કશું નવું પણ નથી આપણે જયારે તકલીફ માં હોઈએ ત્યારે કોઈ આપણું થવા આવતું નથી. બધા મુસીબત માં આપણ ને એકલા છોડે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા દિવસ તો મહેશભાઈ દરિયાકિનારે ચાલવા પણ જતા નહિ, પણ પછી ચાલવા જવાનું શરુ કર્યું. ત્યારે તેને ખબર પડી કે ચાર ના બદલે હવે પગ ના નિશાન પણ બે જ પડે છે તેને બહુ આશ્ચર્ય થયું અને વિચાર્યું કે મારી તકલીફ માં મેં ભગવાન ના પૂજાપાઠ બંધ કર્યા નથી તો પણ ભગવાને મારા ખરાબ સમયમાં મારો સાથ છોડી દીધો.

ધીરે ધીરે સમય પસાર થતો ગયો તેમ તેનું કામકાજ અને ધંધો પાટે ચડી ગયો અને મહેશભાઈ ફરીથી પૈસે ટકે સુખી સંપન્ન થઇ ગયા. અને બધા સગા સંબંધીઓ એ પણ તેની સાથે બોલવા ચાલવાનું અને વ્યવહાર રાખવાનું શરુ કરી નાખ્યું.

એક દિવસ જયારે સવાર ના પહોર માં તે દરિયાકિનારે ચાલવા માટે ગયા હતા.

ત્યારે જોયું તો તેની સાથે મહાદેવજી ના પગલાં પણ રેતી માં પડવા લાગ્યા ત્યારે મહેશભાઈ એ કહ્યું કે મહાદેવજી જયારે મારો ખરાબ સમય હતો, ત્યારે પણ હું એક દિવસ પણ આપના પૂજાપાઠ ચુક્યો નથી બધા સગા સંબંધીઓ એ વ્યવહાર બંધ કર્યો હતો મને એ વાત નું દુઃખ નથી કારણ કે એ તો દુનિયા છે પણ તમે મારો સાથ છોડી દીધો તેનું મને ખુબજ દુઃખ થયું છે તમે આવું કેમ કર્યું?

જવાબ આપતા મહાદેવજી એ કહ્યું કે તે કેમ એવું માની લીધું કે મેં તમારો સાથ છોડી દીધો છે ??? તમારા ખરાબ સમયમાં જયારે તમે રેતી માં ચાલવા આવતા ત્યારે જે પગ ના નિશાન હતા. તે નિશાન મારા પગ ના જ હતા. જયારે તમારો ખરાબ સમય ચાલતો હતો. ત્યારે તમને મારા ખભા ઉપર બેસાડી ને ચાલતો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

કારણ કે મારા ભક્ત ની રક્ષા કરવી તે મારી પહેલી ફરજ છે, હવે જયારે તમારો ખરાબ સમય પૂરો થઇ ગયો એટલે મેં મારા ખભે થી નીચે ઉતાર્યો છે. જેથી કરી ને તમને ચાર પગ ના નિશાન દેખાઈ રહ્યા છે.

આમ મહાદેવજી એ મહેશભાઈ ને તેના ખરાબ સમય માં સાથ આપી અને ખરાબ પરિસ્થિતિ માંથી બહાર કાઢ્યા સાચા મન થી નિષ્પાપ ભક્તિ કરવાથી આપી રક્ષા કરવાની જવાબદારી ભગવાન સંભાળી લે છે અને આવા નાના મોટા દાખલા આપણી આજુબાજુ માંથી મળી શકે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team