એક સંત એક વેપારીના ઘરે જમીને રૂમમાં આરામ કરતા હતા, કામ હોવાથી વેપારી રૂમમાં આવી રૂપિયા ભરેલા કબાટમાંથી રૂપિયા લઈને જતો રહ્યો. કબાટ ખુલ્લો હતો, પછી સાધુએ તે કબાટમાંથી...

એક અનાજ કરિયાણાના જથ્થાબંધ વેપારી કે જે અનાજ માં ભેળસેળ કરતો અને ટેક્સ ની ચોરી કરતો તેમજ ધંધો કરવા માં જે પણ ખોટું થઇ શકે તે બધું કરી અને રૂપિયા કમાતો હતો. તેને ધંધો સાચી રીતે અને ઈમાનદારી થી કરવામાં જરા પણ રસ નહોતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને કાયમ ને માટે ખોટું કેવી રીતે કરી શકાય તે જ શોધતો હતો એક દિવસ એક સાધુ તેના ઘરે ભિક્ષા માંગવા માટે આવે છે ત્યારે તેને મન માં એવું થયું કે આજે તો આ સાધુ ને જમાડીને જ મોકલવા છે, આપણે આટલું બધું ખોટું કરી અને રૂપિયા કમાઇએ છીએ તો કંઈક દાન પુણ્ય પણ કરવું જોઈએ.

તેની પત્ની ને કહી અને સાધુ માટે જમવાની વ્યવસ્થા કરી અને સાધુ ને જમાડ્યા જમી લીધા પછી સાધુ રજા લઇ ને જવા લાગ્યા, ત્યારે તે વેપારી એ કહ્યું કે બહાર બહુ તડકો છે જેથી તમે થોડી વાર આરામ કરી અને પછી બહાર નીકળો તે વેપારી એ એક રૂમ માં સાધુ ને આરામ કરવા માટે... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જગ્યા આપી સાધુ ત્યાં નીંદર કરી રહ્યા હતા ત્યારે વેપારી તેના કામ થી તે રૂમમાં આવ્યો. અને કબાટ માંથી રુપિયા કાઢવા લાગ્યો સાધુ ની નીંદર ઉડી જતા તેને જોયું કે આખો કબાટ રૂપિયા થી ભરેલો હતો અને તે વેપારી રૂપિયા કાઢી અને જતો રહ્યો પણ કબાટ ખુલ્લો મૂકી ને ગયો.

સાધુ એ રૂપિયા ના થપ્પા જોયા પણ તેને તેમાં કશો રસ નહોતો, તેથી તે ફરી ને આરામ કરવા લાગ્યા. હવે સાધુ ના પેટ માં પડેલા ચોરી થી કમાયેલા રૂપિયા માંથી બનેલા ખોરાકે તેની અસર બતાવી અને સાધુ જગ્યા ત્યારે તેને કબાટ માંથી એક દસ હજાર રૂપિયા ની થપ્પી થેલા માં સરકાવી દીધી.

અને વેપારી ની રજા લઇ અને આશીર્વાદ આપીને ત્યાં થી નીકળી ગયા, પરંતુ બીજા દિવસ સુધી સાધુ નું મન ભટકી રહ્યું હતું. અને તેને એક દિવસ પછી તેને લીધેલા દસ હજાર રૂપિયા બદલ અફસોસ કરી રહ્યા હતા કે આટલી ઉંમર માં કોઈ દિવસ મેં કોઈ નો એક રૂપિયો પણ પોતાના હાથે લીધેલો નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને આજે દસ હજાર રૂપિયા લેતા પણ મને કેમ કઈ વિચાર ના આવ્યો, તેથી તે વેપારી પાસે ગયા અને કહ્યું કે પહેલા આ તમારા દસ હજાર રૂપિયા તમે રાખો. અને તમે મને કાલે જમાડ્યો હતો પણ હવે મને એ કહો કે તમે રૂપિયા ક્યાંથી કમાયા હતા તે સાચું કહો.

ત્યારે તે વેપારી એ કહ્યું કે હું અનાજમાં ભેળસેળ કરું છું. સરકારને ટેક્સ નથી આપતો અને ખોટું કરવાનો જે પણ મોકો મળે તે છોડતો નથી અને આવી રીતે મેં લાખો રૂપિયા બનાવ્યા છે હવે સાધુ ને ખબર પડી કે તેને રૂપિયા લઇ લેવાનું કેમ મન થયું કારણ કે ચોરી કરેલા રૂપિયા નું અનાજ તેના પેટમાં ગયું હતું.

આપણા માં એટલે જ કહેવત છે કે: જેવું અન્ન તેવું મન...

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team