એક નાસ્તિક માણસે જંગલની વચ્ચે કહ્યું જો ભગવાન હોય તો મને અહીંયા ભોજન મળે, થોડા સમય પછી એવું થયું કે તે માણસ...
શરૂઆત માં ગોપાલદાસ નાસ્તિક માણસ હતા એટલે કે ભગવાન હોવામાં તેને જરા પણ વિશ્વાસ નહોતો એ દિવસ ની વાત છે જયારે ગોપાલદાસ ના ગામ માં એક સાધુ આવ્યા હતા તે દરરોજ સવારે રામાયણ ના પાઠ કરતા અને ગામના બધા લોકો ત્યાં જઈ અને રામાયણ સાંભળતા.
એક દિવસ સંત ગોપાલદાસ પણ રામાયણ સાંભળવા માટે પહોંચી ગયા અને તે સમયે સાધુ ભગવાન રામ ના નામ લેવાનો મહિમા ની કથા કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ભગવાન રામ બહુ દયાળુ છે તે દુનિયાના બધા જીવ નું ધ્યાન રાખે છે અને તે ભૂખ્યા ને જમવાનું આપે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કથા પૂરી થતા ગોપાલદાસ તે સાધુ પાસે આવ્યા અને કહ્યું કે હું મને માફ કરો પણ મારે તમને એક વાત પુછવી છે કે હું બેઠો બેઠો ખાલી રામ નું નામ જ લઉં તો પણ મને જમવાનું મળી જાય? ત્યારે પણ ભગવાન રામ મને ભોજન આપશે?
ત્યારે સાધુ એ કહ્યું કે તમે કોઈ પણ કામ ધંધો કરતા હોય ત્યારે જે આવક મળે છે એ પણ ભગવાન રામ ના આશીર્વાદ થી જ મળે છે.
પરંતુ તમે જયારે કોઈ બીજા માટે નિસ્વાર્થ કાર્ય કરતા હોય અને ત્યાં તમને ક્યાંય થી પણ ભોજન મળી શકે તેમ ના હોય ત્યારે ભગવાન રામ ગમે ત્યાં થી તમારી વ્યવસ્થા કરે છે અને તમને ભૂખ્યા રહેવા દેતા નથી અને એ મારી જવાબદારી છે કે તમે ભૂખ્યા નહિ રહો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ગોપાલદાસ કથા સ્થાને થી બહાર નીકળ્યા ત્યારે એક ગરીબ સ્ત્રી ચાલીને જઈ રહી હતી અને તેની સાથે તેનું નાનું બાળક હતું અને તે બીમાર હતું એટલે તે શહેર માં તેની દવા લેવા માટે જઈ રહી હતી ત્યારે સંત ગોપાલદાસ ને થયું કે આજ મોકો છે કોઈ ના માટે નિશ્વાર્થ કામ કરવા નો.
તેને તે મહિલા પાસે થી ક્યાંથી દવા લેવાની તેની માહિતી લીધી અને મહિલા ને તેના ઘરે પાછી મોકલી અને પોતે દવા લેવા માટે નીકળી ગયા વચ્ચે મોટું જંગલ આવતું હતું તેથી સાંજના ભોજન માટે સાથે કાઈ લઇ જવું જરૂરી હતું પણ ગોપાલદાસ ને તો સાધુ એ લીધેલી જવાબદારી ની કસોટી કરવી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પોતે રામ રામ કરતા જાય અને રસ્તો પસાર થતો જાય સંત ગોપાલદાસ જંગલ ની વચ્ચે પહોંચ્યા હશે ત્યાં સૂર્યાસ્ત થઇ ગયો અને અંધારું થઇ ગયું હવે જંગલ માં ચાલવું જોખમ ભરેલું હતું તેથી તે એક મોટા ઝાડ પાર ચડી ગયા અને આખી રાત ત્યાંજ બેસી રહ્યાઅને રામ રામ બોલી રહ્યા હતા.
રાત્રે તેને ભોજન ના મળ્યું અને તે પણ ઝાડ પાર થી નીચે આવ્યા નહિ અડધી રાત્રી વીતી ચુકી હતી ત્યાં જ ગોપાલદાસ ના કાન માં ઘોડા દોડતા દોડતા આવતા હોય તેવો અવાજ આવ્યો અને તે સાવધાન થઇ ગયા થોડા સમય માં જ રાજા ના સૈનિકો જે બધા ઘોડા પાર સવાર હતા એ સંત ગોપાલદાસ બેઠા હતા.
એ ઝાડ ની નીચે જ ઉભા રહ્યા અને ઘોડા પાર રાખેલ ભોજન ના ડબ્બા ઉતારી અને જમવાની તૈયારી કરી રહ્યા હતા એવા માં જ સિંહ ની ભયંકર ગર્જના સંભળાઈ બધા સૈનિક ગભરાઈ ગયા અને ભોજન ના ડબ્બા ત્યાં ને ત્યાં જ મૂકી ને ઘોડા પર સવાર થઇ ને ત્યાં થી ભાગી છૂટ્યા સંત ગોપાલદાસ આ બધું જોઈ રહ્યા હતા.
થોડી વાર માં સિંહ પણ ત્યાં આવ્યો પણ ભોજન ના ડબ્બા જોઈ ને તે પણ ત્યાં થી ચાલ્યો ગયો પરંતુ ગોપાલદાસ તો ડર ના માર્યા ત્યાં થી નીચે ઉતાર્યા જ નહિ અનેપોતે જીદ કરી કે રામ નું નામ લઉ છું તો ભગવાન રામ મને અહીંયા ઝાડ પર જ જમવાનું પહોંચાડે.
સાધુ ની વાત પાર શંકા કરી રહ્યા હતા એવા માં ત્યાં થી એક ડાકુ ની ટોળકી પસાર થઇ રહી હતી તેની નજર ઝાડ નીચે રાખેલ ભોજન ના ડબ્બા પર પડી ત્યારે ડાકુ ના સરદારે કહ્યું કે ભગવાન ની લીલા તો જુવો આપણે બધા ભૂખ્યા છીએ અને અડધી રાત્રી એ પણ આ ઘનઘોર જંગલ માં આપણા માટે જમવાનું પણ તૈયાર છે.
પણ ડાકુ ને તેમાં પણ શંકા ગઈ કે આ ભોજન માં ઝેર મિલાવી ને કોઈ આપણને મારી નાખવા માગતું નથી ને ?અને આસપાસ માં જ તપાસ કરો કોઈ છુપાયું હશે અને ડાકુઓ એ આજુબાજુ ની બધી જગ્યા એ તાપસ કરી અનેઝાડ પર બેઠેલા ગોપાલદાસ પર ડાકુ ની નજર પડી અને ડાકુ ને ગુસ્સો આવ્યો.
અને નીચે આવવા માટે કહ્યું પણ ગોપાલદાસ ડર ના માર્યા નીચે આવ્યા નહિ, અને ઉપર થી જ કહ્યું કે આ ભોજન માં કોઈએ ઝેર ની મિલાવટ કરી નથી તમે લોકો જમી લો રાજા ના સૈનિકો સિંહ ની ગર્જના થી અહીંયા મૂકી અને ચાલ્યા ગયા છે ત્યારે એક ડાકુ એ કહ્યું કે આ માણસ ખોટું બોલે છે છે એક કામ કરો પહેલા બધી રસોઈ લઇ ને તેને જમાડો અને તેને કઈ ના થાય પછી આપણે બધા જમીશું.
એક એક ડબ્બા લઇ ને ડાકુઓ ઝાડ પર ચડ્યા અને સંત ગોપાલદાસ ના ગળા પર હથિયાર બતાવી ને કહ્યું કે જો તું આ રસોઈ ખાઈશ નહિ તો અમે તને જીવવા નહિ દઈએ અને સંત ગોપાલદાસ ને ખાવા માટે મજબુર કરી દીધા અને તેને જામી લીધું ત્યાર બાદ બધા ડાકુ ખાઈ ને ત્યાંથી રવાના થઇ ગયા.
અને સંત ગોપાલદાસ વિચારી રહ્યા હતા કે સાધુ એ તો જમવાનું મળી જાય તેવું જ કહ્યું હતું, પણ રામ નામ નો પ્રતાપ તો જુવો ઝાડ પાર થી નીચે ના આવ્યો તો ત્યાં પણ જમવાનું પહોંચાડી આપ્યું. બસ આ સમય થી ગોપાલદાસ ભગવાન રામ ની ભક્તિ કરવા લાગ્યા અને આજે તે સંત ગોપાલદાસ ના નામ થી ઓળખાઈ છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.