એક ઘરડું કપલ રેલવે સ્ટેશનમાં સવારથી બેઠું હતું, સાંજે ચા વાળાએ કારણ પૂછ્યું તો તેને એક ચિઠ્ઠી આપી, ચિઠ્ઠીમાં લખેલું વાંચીને એ ચા વાળના આંખમાંથી…
માં બાપ વગર નો દીકરો રમેશ જેને બધા રમલો કહી ને બોલાવતા તેના માં-બાપ નું રમલાના નાનપણમાં જ બીમારી માં અવસાન થયું હતું. નાનું ગામ હતું. એટલે આડોશ પાડોશ ના લોકો એ રમલા ને ઉછેરી ને મોટો કર્યો. સરકારી સ્કૂલમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કરી ને પછી તે પોતે પોતાના હાથે ચા બનાવી ને રેલવે સ્ટેશન માં વહેંચતો.
ચા સારી બનાવતો અને નાની ઉંમર હોવાથી મુસાફર તેને ચા ના પૈસા ની સાથે સાથે પાંચ દસ રૂપિયા ખુશ થઇ ને આપતા. જે રૂપિયા ની રમલો બચત કરતો. પોતે ખુબ જ મહેનતુ હતો. જેથી સારી એવી કમાણી કરી લેતો અને બચત પણ.
એક દિવસ રમલા ની નજર એક વૃદ્ધ દંપતી પર પડી જે ટ્રેન ના ડબ્બામાંથી સાવધાની પૂર્વક એકબીજા નો હાથ પકડી ને ઉતરી રહ્યા હતા. જે બહુ ધીરે ધીરે ચાલી રહ્યા હતા. અને નજીક માં આવેલ બાંકડા પાર આવી અને બેસી ગયા. રમલા એ તરત જ ત્યાં જઈને બંને ને ચા પીવડાવી.
ત્યાં બીજી ટ્રેન આવતા તે ત્યાં ચા વહેંચવા માટે ચાલ્યો ગયો. ચા વેંચીને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. કારણ કે હવે ની ટ્રેન સાંજે આવવાની હતી. સાંજે રમલો સ્ટેશન પર ચા લઇ ને પહોંચી ગયો.
ત્યારે તેને જોયું કે વૃદ્ધ દંપતી હજુ ત્યાં ને ત્યાં જ બેઠું છે. સાંજ ની ટ્રેન માં ચા વેંચીને નવરો થયેલો રમલો તે વૃદ્ધ દંપતી પાસે ગયો. અને પૂછ્યું કે તમારે કઈ ટ્રેન માં જવાનું છે? તમે સવાર ના અહીંયા બેઠા છો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને હવે આજે એક પણ ટ્રેન આવશે નહિ. તેમાંથી વૃધે પોતાના ખિસ્સા માં આમ તેમ હાથ નાખતા એક ચીઠી શોધી ને આપી અને કહ્યું કે અમે અમારા મોટા દીકરા ને ત્યાં થી નાના દીકરા ને ત્યાં જવા માટે નીકળ્યા છીએ. અને અમે ભણેલા નથી. જેથી આ ચીઠી માં સરનામું લખી આપ્યું છે.
અને કહ્યું છે કે તમને સ્ટેશનમાં લેવા ના આવી શકે. તો કોઈ ને આ ચીઠી બતાવજો. તે તમને આ સરનામે પહોંચાડી આપશે. એમ કહી ને ચીઠી રમલા ના હાથ માં આપી.
રમલા એ ચીઠી વૃદ્ધ પાસે થી લઇ ને વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા તે રડવા લાગ્યો. તે ચીઠી માં તેના દીકરા એ લખ્યું હતું કે મહેરબાની કરી ને આ બંને ને તમે કોઈ વૃદ્ધાશ્રમમાં ભરતી કરાવી આપશો. રમલો તો ચીઠી વાંચી ને દુઃખી થઇ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને વૃદ્ધ ને શુ જવાબ આપવો તે તેને કઈ સમજ માં ના આવ્યું. કારણ કે પોતાને તો નાનપણ થી માં બાપ ની સાથે રહી શક્યો હતો નહિ. અને આ વૃદ્ધ ને બે-બે દીકરા હોવા છતાં તેના માં બાપ ને આવી રીતે તરછોડી દીધા હતા. રમલો તેને પોતાના ઘરે લઇ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને કહ્યું કે આજ થી તમારા નાના દીકરા નું ઘર આ જ છે. હું તમને કોઈ પણ રીતે હેરાન નહિ થવા દઉં. તમે બંને અહીંયા શાંતિ થી રહો. અને આરામ કરો રમલો ભગવાન નો આભાર માનવા લાગ્યો કે આટલા વર્ષે મને મારા માં બાપ પાછા આપ્યા.
અહીંયા તો એક સ્ટોરી રજુ કરવા માં આવી છે. પરંતુ સમાજમાં વૃદ્ધ થયા પછી પોતાના જ ઘર માંથી કોઈ પણ કારણ થી તરછોડવા માં આવતા અથવા તો વૃધાશ્રમ માં મોકલી દેવતા વડીલો ની સંખ્યા ઓછી નથી. આવું કરવા વાળા એ એ પણ વિચારવું જોઈએ કે તેના સંતાનો આ બધું જુવે છે.
અને તે મોટા થઇ ને તેની સાથે આવું વર્તન કરે તે તેને ગમશે?
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.