એક કંપનીએ તેના કર્મચારીઓને શનિ રવિ બે દિવસ ની રજા આપી તો રજા નો વિરોધ થયો, વિરોધ નું કારણ જાણ્યું ત્યારે ખબર પડી કે…
એક અમેરિકન કંપની એ જાપાન માં તેના વ્યાપાર નો પ્રારંભ કર્યો, તેની ઓફિસ અને ફેક્ટરી માટે જાપાનના લોકો ને જ પસંદ કરવાના હતા. બધા લોકો ની ભરતી થઈ ગઈ અને ફેક્ટરી અને ઓફિસ ચાલુ થઈ ગઈ જાપાન માં અઠવાડિયે એક જ રજા આવતી જ્યારે અમેરિકન કંપની એ અમેરિકા ના નિયમ મુજબ શનિ રવિ ની બે દિવસની રજા આપી.
ત્યારે બધા જાપાની કર્મચારીઓ એ કંપની સામે વિરોધ નોંધાવ્યો ત્યારે અમેરિકા ની કંપની ને સમજાયું નહિ કે આપણે બે રજા આપી છે તો પણ એ લોકો નો વિરોધ શુ કામ છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
લોકોને બે રજા મળે તો તેઓ ખુશ થવા જોઈએ એની જગ્યાએ અહીંયા લોકો નારાજ કેમ થઈ ગયા છે અને કેમ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વધુ જાણવા માટે અમેરિકાની કંપની માંથી મોટા અધિકારીઓ અને કર્મચારીઓ અમેરિકાથી જાપાન આવ્યા. તાકીદે અમેરિકાથી જાપાન આવવાનો હેતુ માત્ર એટલો જ હતો કે બધા કર્મચારીઓ સાથે મિટિંગ કરી ને જાણવાનું કે તમે વિરોધ શું કામ કરી રહ્યા છો?
અને એવું જ કરવામાં આવ્યું દરેક કર્મચારીને બોલાવીને મિટિંગ ગોઠવવામાં આવી, બધા કર્મચારીઓ હાજર થઈ ગયા એટલે અમેરિકાથી આવેલા એક અધિકારીએ ત્યાં હાજર દરેક લોકોને પૂછ્યું કે તમને બધા ને બે રજા આપવામાં આવી છે પછી તમે લોકો આનો શું કામ વિરોધ કરો છો?
ત્યારે જાપાન ના બધા કર્મચારીઓ એ એક જ અવાજ માં કહ્યું કે અમારે બે રજા નથી જોઈતી અમારા માટે એક રજા જ બહુ છે. અને વાત આગળ વધારતાં કહ્યું કે અમારા લોકોનું એવું માનવું છે કે વધારે રજા માણસ ને આળસુ બનાવી દે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને પછી મહેનત કરવા માં અમારું મન ના લાગે અને એનાથી વધુ તો એ છે કે રજા ના દિવસો માં અમને વધારે પૈસા વાપરવા ની આદત પડી જશે જે વધારા ની રજા છે તે અમને આર્થિક રીતે અને માનસિક રીતે ગુલામ બનાવે એવું અમને લાગી રહ્યું છે એટલે અમારે આ રજા જોઈતી નથી.
તે અધિકારી પણ આ જવાબ સાંભળીને પ્રભાવિત થઈ ગયા વિચારવા લાગ્યા કે, કેવી સરસ માનસિકતા છે. હકીકત માં આવી માનસિકતા જ પ્રજા ની સાથે દેશ ને પણ ઉંચો લાવી શકે, મહેનત કરવાની દાનત હોવી જોઈએ.
આવા માણસો પોતાના પરિવાર સમાજ અને દેશ ને ઊંચો લાવી શકે. દેશ માટે કોઈપણ રીતે યોગદાન આપી શકાય છે, આપણા હાથ માં જે કામ હોય એને ઈમાનદારી થી કરીએ એ અને દેશ ને તેમાંથી ફાયદો થાય તે પણ એક પ્રકારની દેશસેવા જ છે, ખરું ને? જય હિન્દ
આ લેખ ને દરેક ભારતીય સુધી પહોંચાડજો…