દ્વારકા માનતા કરવા ગયેલા નોકર સાથે ભગવાનને ધરાવવા શેઠે રૂપિયા આપ્યા હતા, નોકર માનતા કરી પાછો આવ્યો તો શેઠ તેના પગે પડી ગયા કારણ કે...
આજે આપણે હરવા ફરવા કે જાત્રા કરવા જવું હોય તો આપણી પાસે બસ ટ્રેન કે એરોપ્લેન ની સગવડતા છે. પરંતુ એક જમાનો એવો હતો કે માણસો ગાડા માં કે ચાલી ને જાત્રા કરવા જતા એ સમય ની વાત છે.
ગામ માં શેઠ ને ત્યાં રામજી નામ નો માણસ નાનપણ થી જ નોકરી કરતો હતો. શેઠ ને ત્યાં મોટાભાગ ના કામ ની જવાબદારી રામજી ની હતી. અને બહુ જૂનો હોવાથી એકદમ વિશ્વાસુ પણ હતો.
રામજી ને ચાલી ને દ્વારકા જવાની માનતા હતી. માનતા લીધા ને પણ ઘણો સમય થઈ ગયો હોય પત્ની એ ઘણી વાર કહ્યું કે તમે સમય કાઢીને માનતા પુરી કરી આવો. હવે બહુ મોડું કરો નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આથી રામજી એ તેના શેઠ ને કહ્યું કે મારે માનતા પુરી કરવા દ્વારકા જવું પડશે. અને માનતા લીધા ને પણ ઘણો સમય થઇ ગયો છે. તો તમે રજા આપો ત્યારે હું જઈ આવું. જવાબ માં શેઠે કહ્યું કે આવતા મહિને તું જજે અને જ્યારે જવાનું થાય ત્યારે મારી પાસે આવજે.
એક મહિના પછી રામજી બધી તૈયારી કરી ને પછી શેઠ પાસે જાય છે. અને શેઠે તેને પૂછ્યું કે તારે કેટલા રૂપિયાનો ખર્ચ થશે? જવાબ માં રામજી એ કહ્યું કે શેઠ લગભગ સો રૂપિયા જેટલો ખર્ચ થશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એટલે શેઠે તેને એકસો રૂપિયા આપ્યા. અને બીજા એકસો રૂપિયા આપતા કહ્યું કે આ રૂપિયા તું મારા તરફથી દ્વારકાધીશ ને ભેટ અર્પણ કરજે કારણ કે હું તો ક્યારે જઈશ એ મને પણ ખબર નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
લગભગ 15 દિવસ ની પદયાત્રા પછી એક જગ્યા એ વગડા માં એક સંઘ મળી ગયો, જે લોકો ભગવાન ના ભજન કીર્તન કરતા હતા. રામજી પણ તેની સાથે ભજન કીર્તન કરવા બેસી ગયો. આમ ને આમ સાંજ પડી ગઈ, અને અંધારું થવા લાગ્યું.
પણ ત્યાં તો ભજન કીર્તન પછી ના કોઈ જમવાની વ્યવસ્થા હોય તેવું કઈ દેખાણું નહિ. એટલે રામજી થી રહેવાયું નહિ અને પૂછ્યું કે ભાઈ તમે લોકો જમવાનું શું કરશો? હજુ સુધી રસોઈ કરવા નું કેમ ચાલુ કર્યું નથી?
સંઘમાં થી એક વડીલે કહ્યું કે અમે બધા દ્વારકા પગપાળા જઇએ છીએ. હવે એક દિવસ નો રસ્તો કાપવાનો બાકી છે. અને અમારી પાસે અનાજ કરિયાણું બધું ખૂટી ગયું છે. એટલે અમે લોકો અહીંયા જ રોકાઈ જઈશું.
ત્યારે રામજી ની પાસે રહેલા એકસો રૂપિયા કે જે શેઠે દ્વારકાધીશ ને ભેટ માટે આપેલા તે રૂપિયા માંથી બાજુ ના ગામ માં જઈ ને બધી વસ્તુ ખરીદી કરી ને બધાને જમાડ્યા. જેમાં થી રામજી પાસે હવે એક જ રૂપિયો વધ્યો હતો.
જે તેને વિચાર્યું કે બીજે દિવસે દ્વારકાધીશ ને ભેટ અર્પણ કરી આપીશ.
બીજે દિવસે રામજી સંઘ સાથે નીકળી ને દ્વારકા પહોંચ્યો. અને મંદિર માં જઈ ને એક રૂપિયો ભેટ ધરાવતા ભગવાનને કહ્યું કે આ ભેટ સ્વીકાર કરશો. મેં આમાંથી નવ્વાણું રૂપિયા પગપાળા આવતા સંઘ ને જમાડવા માં વાપરી નાખ્યા છે.
અને રામજી બે ત્રણ દિવસ ત્યાં રોકાયો પછી ઘરે પાછો ફર્યો. બીજા દિવસે શેઠ પાસે ગયો તો શેઠ ઉભા થઈને રામજી ને પગે પડી ગયા. એટલે રામજી એ કહ્યું કે આ શું કરો છો શેઠજી?
ત્યારે શેઠે કહ્યું કે તે જ્યારે ભગવાન દ્વારકાધીશ ને મારા 99 રૂપિયા ભેટ કર્યા. તે રાત્રે ખુદ દ્વારકાધીશ મને સપનામાં આવેલા અને કહી ગયા કે તમારા નવ્વાણું રૂપિયા ભેટ આવી ગયા છે.
પણ રામજી તું કોઈ દિવસ એક પણ પૈસા ની ગોલમાલ કરતો નથી. તો આ 1 રૂપિયો તે કેમ ઓછો ભેટ માં આપ્યો? ત્યારે રામજી એ કહ્યું કે શેઠ એ એક રૂપિયો જ ભેટ માં ગયો છે, બાકી ના નવ્વાણું તો સંઘ ને જમાડવા માં ગયા છે.
ત્યારે શેઠે રામજી નો આભાર માનતા કહ્યું કે તું તો ત્યાં ગયો અને દર્શન કરીને આવ્યો. પરંતુ તને જે ભેટ માટે રૂપિયા આપ્યા તેનો તે એવો ઉપયોગ કર્યો કે સાક્ષાત દ્વારિકાધીશે મને અહીંયા જ દર્શન આપ્યા. જય હો દ્વારકાવાળાની.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ આપવાનું ચુકતા નહિ.