દીકરીના ભાઈએ પિતાને કહ્યું “આવતીકાલે દીદી ના સસરા આવી રહ્યા છે" આ સાંભળી પિતાનો ચહેરો ઉદાસ થઈ ગયો, કારણ કે...
ઉત્તર પ્રદેશ ના એક ગામ ની ઘટના: 15 વર્ષનો એક ભાઈ તેના પિતા ને કહેવા આવ્યો કે આવતીકાલે દીદી ના સસરા અને તેના સાસુ આપણે ત્યાં આપણી ઘરે આવવાના છે. હમણાં જ મને જીજુ નો ફોન આવ્યો હતો તેને મને ફોન ઉપર જણાવ્યું કે તેઓ આવતીકાલે આવી રહ્યા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
દીકરાના પિતાએ પણ કહ્યું કે હા મારી ઉપર પણ ફોન આવ્યો હતો. અને એ લોકો અહીંયા મળવા એક ચોક્કસ કારણ થી આવે છે, તેઓ અહીં આવીને લગ્નમાં શું શું આપવાના છીએ તેના માટે મળવા માટે આવી રહ્યા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બે મહિના પહેલાં જ દિકરી ની સગાઈ નક્કી કરી હતી અને થોડા સમયમાં લગ્ન પણ નક્કી કરવાના હતા. દિકરી ની સગાઈ ખૂબ જ સુખી અને મોટા ઘરમાં કરેલી હતી જેથી તેના પિતા ચિંતામાં પડી ગયા કે એ લોકો આવતી કાલે આવશે ત્યારે જો વધુ માંગણી કરશે તો હું કઈ રીતે પૂરી કરીશ?
દીકરી માટે સારું ઘર અને સારો છોકરો શોધવામાં ઘણા સમય થઈ ગયો છે, હવે અચાનક આ ટેન્શન આવી ગયું દિકરી ના માતા પિતા ચિંતામા પડી ગયા. દિકરી પણ ઉદાસ થઈને બેઠી હતી અને દીકરીના આંખમાંથી પણ આંસુ નીકળી ગયા.
આખા ઘરમાં જે પ્રસંગ નો માહોલ હતો, તે માહોલ ફરી ગયો. બધા લોકો ટેન્શનમાં આવી ગયા કે આવતી કાલે શું થશે? અને સૌથી વધારે દિકરીના માતા-પિતાને ચિંતા હતી. કારણકે સંબંધીઓ સુખી અને સારો પરિવાર હતો પણ જો આવતીકાલે કંઇક એવું બને જેનાથી સંબંધ તૂટી જાય તો શું થશે?
બીજા દિવસે વહેલી સવારે માતા પિતા જાગી ગયા અને મહેમાનની રાહ જોવા લાગ્યા. થોડા સમય પછી. દિકરી ના સસરા અને સાસુ આવી ગયા. ત્યારે તેનું સ્વાગત કરીને બધા લોકોએ ચા નાસ્તો કર્યો, થોડા સમય પછી નાસ્તો કર્યા બાદ દીકરીના સસરાએ કહ્યું કે હવે આપણે કામની વાતચિત કરી લઈએ.
વાત સાંભળીને જાણે દીકરીના પિતા ના હૃદય ના ધબકારા વધી ગયા, મનમાં તેઓ વિચારવા લાગ્યા કે શું થશે? તરત જ જવાબ આપ્યો હા જી, તમે જેમ હુકમ કરો તેમ. દીકરીના પિતા જ્યાં બેઠા હતા, ત્યાં નજીક જઈને દીકરીના સસરાએ કહ્યું મારે દહેજ વિશે વાત કરવી છે.
દીકરીના પિતા થી રહેવાયું નહીં, તેના આંખમાંથી આંસુ નીકળી ગયા, જે વાતનો ડર હતો એ જ થશે એવું તેઓ વિચારવા લાગ્યા. તેમ છતાં સ્વસ્થ થઈને તેને કહ્યું કે હા જે હોય તે મને જણાવો મારાથી હું બનતી પૂરેપૂરી કોશિશ કરીશ.
ત્યારે દીકરીના પિતાનો હાથ દીકરી નાસાએ પોતાના હાથમાં લઇ અને કહ્યું કે તમે કન્યાદાનમાં દીકરીને કંઈ આપો કે ન આપો, અથવા થોડું આપો કે વધારે આપો એ બધું મને મંજુર છે. અમારે તમારા પાસે કશું માંગવાનું નથી.
પરંતુ હું એટલું જરુર કહેવા માંગીશ કે એક રૂપિયાનું પણ દેવું કરીને તમે દીકરી અથવા તેના ઘરના કોઈ સભ્યને કોઈ જ વસ્તુ ન આપતા, હા મને જરા પણ નહીં ગમે. કારણકે દીકરીને પરણાવીને દીકરીના પિતા દેવામાં ડૂબી જાય તે દીકરી જેને આપણે લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ તે લક્ષ્મી કરજ વાળી કહેવાય.
તેને પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે હું નથી ઇચ્છતો કે મારા ઘરમાં કર રજવાડી લક્ષ્મી આવે મારે તો મારા વેવાઈ ના ઘરમાં કરજ ના થાય તેવી દીકરી જોઈએ છે. દીકરીના પિતા જે ઘણા સમયથી ચિંતામાં હતા કે હવે શું થશે તેનું બધું ટેન્શન જાણે એક સેકન્ડમાં ગાયબ થઈ ગયું.
દીકરીના પિતા દિકરી ના સસરા ને ભેટી પડ્યા, દીકરીના ઘરમાં રહેલા બધા લોકો ના ચહેરા ઉપર જે ચિંતા દેખાઈ રહી હતી તે બધી ગાયબ થઈ ગઈ અને બધા લોકો આનંદમાં આવી ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.