દીકરાની માતાના અવસાન પછી દીકરાએ પિતાને કહ્યું તમે નીચે રહો તમે હોય ત્યારે તેની પત્નીને કામમાં તકલીફ પડે છે, થોડા દિવસ પછી એવું થયું કે દીકરો…

અતુલભાઈ પોતાના જીવનમાં નાનપણથી જ ખૂબ સંઘર્ષ કરતા આવ્યા હતા. તેના પિતાજી નું અતુલભાઈ ના નાનપણ માં જ અવસાન થઈ ગયું હતું. અને માતા એ મજૂરી કામ કરી અને અતુલભાઈ ને મોટા કર્યા હતા.

નાનપણ ગરીબીમાં પસાર થયું હોય કઈ ખાસ ભણી શક્યા નહોતા. પણ ખરાબ સમય દુનિયાદારી શીખવી દે છે તેમ અતુલભાઈ ભણ્યા નહોતા, પણ ગણ્યા હતા. અને જુવાની આવતા સુધી માં તો દુનિયાદારી ની બધી આંટી ઘૂંટી માંથી પસાર થઈ ગયા હતા. શરૂઆત માં નોકરી કરી અને પછી પોતાનો ધંધો ચાલુ કરી અને ધીરે ધીરે તેમાં પ્રગતિ કરી.

અને સમાજ માં પણ નામ બનાવ્યું. પૈસે ટકે સુખી થઈ ગયા. સમય આવતા તેના લગ્ન પણ થઈ ગયા. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી, દીકરી ને પરણાવી અને સાસરે વળાવી દીધી હતી. અને દીકરા ના લગ્ન પણ આ વર્ષે થઇ ગયા હતા. આમ ને આમ દીકરા ના લગ્ન ને ત્રણેક વર્ષ થઇ ગયા. ત્યારે અતુલભાઈ ના પત્ની નું અવસાન થઇ ગયું, એટલે અતુલભાઈ એકલા થઇ ગયા હતા.

પણ તેના પૌત્ર ને રમાડવામાં અને ઘર ની જરૂરી ચીજ વસ્તુ બજાર માંથી ખરીદી ને લાવવામાં મદદ કરતા હતા. જેથી તેનો સમય પસાર થઇ જાય અને દીકરા વહુ ને પણ કામ માં ટેકો રહે. ઘર માં બધા સુખથી અને આનંદ થી રહેતા હતા. પણ ધીમે ધીમે ઘરમાં કંકાસ થવા લાગ્યો.

અતુલ ભાઈના દીકરાની વહુ દરરોજ પોતાના પતિ સાથે કઈ ને કઈ બાબતે ચડામણી કર્યે રાખતી, અને તેના સસરા ની વિરુદ્ધ માં કાન ભર્યે રાખતી. જેનું લાંબાગાળે પરિણામ એ આવ્યું કે પત્નીએ કહ્યા મુજબ તેના પતિએ તેના પિતા ને ઘર માં નીચે ના ભાગ માં આવેલ મોટર ના ગેરેજ માં રહેવાનું કહ્યું.

અને દીકરાએ તેના પિતાને કહ્યું કે ઘર માં મારી પત્ની એ એકલા જ બધું કામ કરવું પડે છે. અને તમે ઉપર હાજર હોય ત્યારે તેને કામ કરવામાં તકલીફ પડે છે. અતુલભાઈ ને થયું કે હું ક્યાં કઈ કામ માં આડો આવું છું. પણ તે કશું બોલ્યા નહીં.

અને અતુલભાઈ તો નીચે ગેરેજ માં રહેવા ચાલ્યા ગયા. એવું વિચારી ને કે મારો દીકરો અને વહુ રાજી, એમાં હું પણ રાજી. એક વાર એવું બન્યું કે અતુલભાઈ શાકભાજી લઇ અને ઉપર દેવા માટે પગથિયાં ચઢતા હતા. ત્યાં વહુ નો ફોન માં વાત કરતો અવાજ સાંભળ્યો.

જેમાં વહુ તેની માતાને કહી રહી હતી કે તે મને કહ્યું તેમ ડોસા ને ગેરેજ માં નાખી દીધો છે. હવે 4-6 મહિના માં વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. પછી તો આખું ઘર આપણું, ખાઈ પીને મોજ કરીશું. અને તું પણ અહીંયા રોકવા માટે આવતી રહેજે, એટલે મને પણ સરળતા રહે.

અતુલભાઈ તો શાકભાજી ની થેલી લઇ ને નીચે ચાલ્યા ગયા અને ગેરેજ માં બેસી ને વિચારવા લાગ્યા કે મારા ઘરમાં તો બહારના લોકો ની દખલગીરી ના હિસાબે મને ગેરેજ માં રહેવાનું કહેવામાં આવ્યું છે. મેં મહેનત મજૂરી કરીને પોતાનો ધંધો કર્યો.

અને તેમાંથી બચાવેલા રૂપિયામાંથી ઘર બનાવ્યું, ઘર તો મારી માલિકીનું છે. અને મારા નામ પર છે. અને આ વહુ ને કેવા સપના દેખાડી ને ઘર બરબાદ કરવાનો પ્રયાસ કરે છે, અને મારો દીકરો જ તેની વહુ ની વાતમાં આવી ને મને ગેરેજ માં રહેવા માટે મોકલી દે. તરત તે સમજી ગયા કે દીકરીની માતાએ વારંવાર ચડામણી કરી એટલે જ દીકરાએ તેની વહુના કહ્યા પ્રમાણે નીચે રહેવા પોતાને મજબુર કર્યો છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel