ધૃતરાષ્ટ્રે વેદવ્યાસજી ને પૂછ્યું મારા કર્મ ખરાબ નથી છતાં મારી નજર સામે મારા સો પુત્રો... આવું કેમ? ત્યારે વેદ વ્યાસજીએ કહ્યું...
મહારાજ ધ્રુતરાષ્ટ્ર એ વેદ વ્યાસજી ને પૂછ્યું મારા એક સો પુત્રો મારી નજર સામે મા_ર્યા ગયા. બહુ જ આશ્ચર્યજનક વાત છે. મને મારા સો જન્મ નું બધું યાદ છે. ત્ત્યાં સુધી મારા એવા કર્મ નથી તો મારી સાથે આવું કેમ થયું?
ત્યારે વેદવ્યાસજી એ કહ્યું કે તું તો આ સૃષ્ટિ જ્યારે થી બની ત્યાર થી જન્મ લઇ રહ્યો છે, અને તે આવું કર્મ કર્યું હશે. એટલે જ આજે તમારા ભાગે ભોગવવાનું આવ્યું. વેદવ્યાસજી એ આગળ વાત કરતા કહ્યું કે સો જન્મ પહેલા તું ભારતવર્ષ નો એક પ્રતાપી રાજા હતો. અને ધાર્મિક પણ હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે માનસરોવર ના હંસો રામેશ્વેર જતા હતા, અને રસ્તા માં તારા મહેલના બગીચા માં રોકાયા હતા. ત્યારે હંસ ના સો બચ્ચા નો જન્મ તારા બગીચા માં થયો હતો. અને તું એ હંસો ને સાચા મોતી નો ચારો ખવડાવતો હતો.
હંસો બચ્ચા ને તારા બગીચા માં મૂકી ને રામેશ્વર જવા માટે ઉડી ગયા, તે પહેલા તને જવાબદારી સોંપી ને ગયા હતા.
એક દિવસ તારા રસોઇયાએ તેમાંથી એક બચ્ચું રાંધી ને તને ખવડાવી દીધું તને એ માં_સ બહુ પસંદ આવ્યું અને કઈ પૂછ્યા વગર જ તે રસોઈયા ને આદેશ કરી દીધો કે આવું માં_સ મને રોજ આપવા માં આવે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જીભ ના ચટકા માં તું એ પણ પૂછતાં ભૂલી ગયો કે આ ક્યાં થી લઇ આવશ અને આ કોનું માં_સ છે. અને આવી રીતે તું હંસ ના સો એ સો બચ્ચા ને ખાઈ ગયો. એ હંસો જયારે રામેશ્વર થી પાછા આવ્યા અને રાજા ને પૂછ્યું કે અમારા એકસો બચ્ચા અમે અહીંયા મૂકી ને ગયા હતા. એ ક્યાં ગયા?
પછી રાજા ને ખબર પડી કે રસોઈયો જે માં_સ ખવડાવતો હતો, એ આ હંસ ના બચ્ચા નું હતું. ત્યારે રાજા પણ ગભરાઈ ગયો ત્યારે બધા હંસ હંસની એ કહ્યું કે તે આંધળો થઇ ને આ કામ કર્યું છે, એટલે અમે તને શ્રાપ દઈએ છીએ કે તું પણ આંધળો થઇ જઈશ. અને તારી સામે જ તારા એકસો પુત્રો મૃત્યુ પામશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વેદવ્યાસજી એ કહ્યું કે એક સો જન્મ પછી તારા આ કર્મ ઉજાગર થયા, અને તારા સો પુત્રો તારી નજર સામે જ મૃત્યુ પામ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ જો આવી ધાર્મિક સ્ટોરી વધુ વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂક જણાવજો.