બીમાર દીકરો બોલ્યો હું તમારો દીકરો નહીં પણ જુના જન્મમાં તમારો ભાઈ હતો. આ સાંભળી પિતા રડવા લાગ્યા અને બોલ્યા...

રઘુભાઈ ગામમાં ખૂબ જ ધનવાન વ્યક્તિ હતા, ગામડાના બધા લોકોમાં સૌથી વધારે ધન સંપત્તિ તેની પાસે હતી. તેમની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં જમીન પણ હતી અને તેની ખેતીમાંથી પણ ખૂબ આવક થતી. તેના પરિવારમાં તેના પત્ની એક પુત્ર એમ કુલ મળીને ત્રણ જણા રહેતા હતા, જ્યારે તેનો પુત્ર 10 વર્ષનો થયો હતો ત્યારે તેના પત્નીનું ગંભીર બીમારીથી અવસાન થયું.

તેને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ બધી કોશિશ નિષ્ફળ થઈ અને અંતે તે તેની પત્નીને બચાવી ન શક્યા, થોડા મહિના પછી રઘુભાઈ એ બીજા લગ્ન કર્યા અને બે વર્ષ પછી તેને નવી પત્ની દ્વારા પણ એક પુત્ર પ્રાપ્તિ થઈ. તેનો બીજો પુત્ર જ્યારે 8 9 વર્ષનો થયો ત્યારે અકાળે રઘુભાઈના બીજા પત્નીનો પણ અવસાન થઈ ગયું.

હવે રઘુભાઈએ પોતાના લગ્ન કરવાને બદલે પહેલા પત્નીથી થયેલા તેના મોટા દીકરાના લગ્ન કરવાનો વિચાર્યું કારણ કે તેની ઉંમર પણ હવે લગ્ન કરવાને લાયક થઈ ચૂકી હતી. તેના લગ્ન કરાવવામાં આવ્યા થોડા વર્ષો વીત્યા પછી તેનો બીજો દીકરો પણ મોટો થતો ગયો અને અંતે તે પણ લગ્ન કરવા લાયક ઉંમરનો થઈ ગયો.

રઘુભાઈ ની પોતાની ઉંમર પણ વધારે થતી હતી અને ઉંમર સાથે બીમારીઓ પણ આવતી હતી, થોડા સમયમાં રઘુભાઈ નું અવસાન થઈ ગયું. હવે રઘુભાઈના બંને પુત્રો હળી મળીને સાથે રહેતા હતા.એવામાં અચાનક એક દિવસ રઘુભાઈના નાના દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ અને થોડા થોડા દિવસે બીમાર રહેવા લાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મોટાભાઈએ વૈદ પાસે દવા કરાવી પરંતુ તેનાથી તેને કોઈ ખાસ રાહત રહેતી નહીં, તેની દવા કરાવવામાં પૈસાનો પાણીની જેમ ખર્ચો થતો હતો પરંતુ તબિયત દિવસે અને દિવસે સુધારવાની જગ્યાએ બગડી રહી હતી. ત્યારે એક દિવસ મોટાભાઈની પત્નીએ તેના પતિને કહ્યું કે તમારો નાનો ભાઈ આ દુનિયા છોડીને જતો રહે તો આપણે દવાનો ખર્ચો બચી જાય અને બધી સંપત્તિમાંથી તેને અડધો ભાગ પણ ન આપવો પડે.

આવું કરવા માટે આપણે વૈદ્ય સાથે વાત કરી અને ધીરે ધીરે મૃત્યુ પામે તેવી દવા તેને આપ્યા એટલે કોઈને ખબર પણ નહીં પડે અને લાંબા સમયથી બીમારીને અંતે મૃત્યુ થયું તેવું લાગશે. તેના પતિએ વાત સાંભળીને વૈદ્યને રૂપિયાની લાલચ આપીને ધીરે ધીરે મૃત્યુ થાય તેવી દવા આપવા માટે કહ્યું.

વૈદ્ય પણ લાલચમાં આવી ગયો અને થોડા સમય પછી અંતે તેના નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું. બધા લોકો ભેગા થયા ત્યારે મોટો ભાઈ અને તેની પત્ની બધા સામે ખૂબ દુઃખી થઈ ગયા હોય તેમ વર્તન કરી રહ્યા હતા પરંતુ જ્યારે બંને એકલા હોય ત્યારે ખુશ રહેવા લાગ્યા કારણ કે હવે પતિને સંપત્તિમાંથી કોઈને ભાગ નહીં આપવો પડે એ વાત નક્કી થઈ ચૂકી હતી.

આ વાતને ધીમે ધીમે સમય વીતતો ગયો લગભગ બે વર્ષ પછી તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને ઘરમાં દીકરાનો જન્મ થયાની સાથે બાપ બનવાની ખુશીમાં તેનો હરખ છલકાય ઉઠ્યો. ખૂબ જ લાડ અને પ્રેમથી તેના દીકરાને તેને મોટો કર્યો દીકરો પણ જુવાન થઈ ગયો એટલે લગ્ન કરવા માટે યોગ્ય પાત્રની તપાસ ચાલુ થઈ ગઈ.

થોડા સમય પછી એક સુંદર યુવતી સાથે તેના દીકરાના લગ્ન કરાવવામાં આવ્યા, લગ્ન અત્યંત ધામધૂમથી કરાવ્યા પછી બંને લોકો સુખેથી રહેવા લાગ્યા પરંતુ જાણે કુદરતને કંઈક અલગ મંજૂર હોય તેમ લગ્ન પછી દીકરો એકદમ બીમાર રહેવા લાગ્યો. લગભગ કોઈ એવા નિષ્ણાંત ડોક્ટર બાકી ન હોય જેની સારવાર ન કરાવી હોય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ તેને તબિયતમાં કોઈ ફરક પડ્યો નહીં, ઘણા વૈદ્યની દવા પણ કરી જોઈ પરંતુ કોઈનાથી ફરક ન પડ્યો તે બીમાર માંથી સાજો થઈ જાય તે માટે પાણીની જેમ પૈસા વાપર્યા પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. દીકરો બીમારીના કારણે એકદમ દુબળો પડી ગયો હતો અને પથારી વર્ષ હતો.

એક દિવસની વાત છે જ્યારે તેના પિતા બાજુમાં આવીને દીકરાની તરફ નજર કરીને રડતા રડતા તેના દીકરાને નિહાળી રહ્યા હતા. કારણકે દીકરાની આવી હાલત તેનાથી સહન નહોતી થાતી. ત્યારે દીકરાએ તેના પિતાને કહ્યું કે ભાઈ હવે આપણો બધો હિસાબ પૂરો થવા ઉપર આવ્યો છે હવે અંતિમ ક્રિયા નો ખર્ચ થાય એટલો જ હિસાબ બાકી છે એટલે તમે તેની તૈયારી કરો.

આ શબ્દ સાંભળીને પિતા આશ્ચર્યચકિત થઈ ગયા તેને વિચાર્યું કે બીમારીના હિસાબે દીકરો ગમે તેમ બોલી રહ્યો છે, તેનું મગજ કામ નથી કરી રહ્યું. તેને તેના દીકરાને કહ્યું બેટા હું તારો ભાઈ નથી તારો બાપ છું. ત્યારે તેના દીકરાએ તેના પિતાને જવાબ આપતા કહ્યું કે હું તારો એ જ ભાઈ છું જેને તે ધીરે ધીરે મૃત્યુ થાય તેવી દવા આપીને મારી નાખેલો.

મારા ભાગની જેટલી સંપત્તિ માટે તે મને મારી નાખેલો તે મારા ભાગની અડધી સંપત્તિ મારી દવા કરવા માટે જ વપરાઈ ગઈ છે. જે મારા ભાગની સંપત્તિ હતી. ત્યારે દીકરાનો બાપ ખૂબ જ જોરથી રડવા લાગ્યો અને સાથે કહી રહ્યો હતો કે તારું મૃત્યુ થઈ જશે તો મારા કુળનો નાશ થઈ જશે.

અને એટલું જ નહીં મારો કોઈ વંશ જ નહીં રહે. મેં જે કર્મ કર્યા છે તેની સજા મને મળી પરંતુ તારી પત્નીનો શું દોષ છે? ત્યારે તેના દીકરાએ જવાબમાં કહ્યું કે મારી પત્ની ગયા જન્મમાં તમે જે વેદની દવા આપી હતી તે વૈદ્ય જ છે અને હવે તેને કરેલા કર્મનું પણ તે આખી જિંદગી મારી વિધવા થઈને દુઃખી થઈને વિતાવશો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બસ આટલું કહીને તેના દીકરાએ છેલ્લો શ્વાસ લીધો. આપણા દરેકના જીવનમાં સારા ખરાબ દિવસો આવતા રહે છે અને તેની પાછળ આપણા જ કરેલા કર્મો કામ કરતા હોય છે, આપણે જેવો વાવીશું એવું જ લણવાનું છે.આજે નહીં તો કાલે પરંતુ કર્મનું ફળ આપણી સામે આવવાનું જ છે, અને પછી એ સારું હોય કે ખરાબ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team