ભીષ્મપિતામહ જયારે ધર્મના નિયમો વિશે કહી રહ્યા હતા ત્યારે દ્રૌપદી હસી પડી, ભીષ્મપિતામહએ કારણ પૂછ્યું તો દ્રૌપદીએ કહ્યું…

મારા મન માં આવી વાત આવતા જ મને હસવું આવી ગયું હતું મને માફ કરશો, દ્રૌપદીએ કહ્યું…

ત્યારે ભીષ્મ પિતામહએ કહ્યું કે માફ કરવા નું કહેવા ની કોઈ જરૂર નથી. મને ધર્મજ્ઞાન તો એ સમયે પણ હતું. પરંતુ દુર્યોધન નું અનાજ ખાઈ ને મારી બુદ્ધિ ભ્રષ્ટ, મલિન થઇ ગઈ હતી. એ માટે એ સભા માં હું બરોબર, સાચો નિર્ણય કરી શક્યો નહિ. અને હવે અર્જુન ના બાણ વાગ્યા અને મારા શરીર માંથી એ લોહી વહી ગયું જે અનાજ ખાઈ ને બન્યું હતું. અને હવે મારી બુદ્ધિ શુદ્ધ થઇ ગઈ છે. એટલે હું ધર્મ ના નિયમ નું સાચું જ્ઞાન આપવા માટે સમર્થ છું.

કહેવાનો મતલબ એટલો જ છે કે મહાન જ્ઞાની વ્યક્તિ પણ આવા ખરાબ અનુભવમાંથી પસાર થાય છે, તો આપણા જેવા સાધારણ મનુષ્યના જીવન માં તો આવા કારણો ડગલે ને પગલે આવતા હોય છે તો આપણે પણ સાવધાન રહી ને જીવવું જોઈએ અને ખોટા કર્મો માં ફસાઈ ના જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ.

જો અધર્મ નો સાથ આપવા બદલ આવી બુદ્ધિ ભ્રષ્ટ થઇ જતી હોય, તો અત્યારના સમયમાં કોઈનું ધન ચાઉં કરી જવું આવી અનેક છેતરપીંડી કરનારા માણસો આપણી આજુબાજુ ઘણા મળશે તેનાથી સંભાળીને રહેવું કેટલું જરૂરી છે. એ આ સ્ટોરી માંથી શીખવા મળે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel