ભિખારીને એક માણસ મળ્યો, તે માણસે તેને એવી સલાહ આપી કે ત્રણ જ મહિનામાં તે ભિખારી...
રમણીકભાઈ દરરોજ સવાર ની જેમ આજે પણ વહેલા જાગી ને સારા કપડાં પહેરીને તૈયાર થઈને નીકળી પડ્યા પોતાની નોકરી પર જવા માટે. વર્ષોથી રમણીકભાઈ ને નોકરીમાં જવા માટે અપડાઉન કરવાની ટેવ પડી ગઈ હતી, એટલે કે તેઓ વર્ષોથી શહેરથી થોડે દૂર આવેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માં નોકરી કરતા હતા અને કાયમ તેઓ બસમાં જ અપ ડાઉન કરતા.
ધીમે-ધીમે તેઓ નો પગાર પણ વધતો જતો અને અત્યારે તેઓ પાસે પોતાની કાર પણ લઈ લીધી હતી પરંતુ જૂની ટેવ ના હિસાબે તે કાયમ બસમાં અપડાઉન કરવા નો આગ્રહ રાખતા.
આજે પણ સવારે દરરોજની જેમ તેઓ બસ સ્ટેશન પર આવી પહોંચ્યા અને થોડા જ સમયમાં બસ આવી એટલે બસમાં ચડી ને જગ્યા મળી ત્યાં બેસી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રમણીકભાઈ બસમાં આગળ જ બેઠા હોવાથી બસમાં એક ભિખારી જેવો દેખાતો માણસ ચડ્યો એટલે તેનું ધ્યાન તેની તરફ ગયું. એ આખા બસમાં દરેક લોકો પાસે ભીખ માગી રહ્યો હતો, રમણીકભાઈ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા અમુક લોકો તેઓને ભીખ આપી રહ્યા હતા તો અમુક લોકો તેઓને ભીખ નહોતા આપતા.
ભિખારી એટલામાં રમણીકભાઈ પાસે આવ્યો કદાચ રમણીકભાઈ ને સૂટ પહેરેલા જોઈને ભિખારીને થયું હશે કે આ કોઈ મોટા સાહેબ લાગે છે જે મને વધારે ભીખ આપશે પરંતુ રમણીકભાઈ પાસે ભીખ માંગી તો રમણીકભાઈ ચોખ્ખું કહી દીધું ભાઈ આગળ જતો રહે કંઈ નથી.
થોડા સમય સુધી તે ભિખારી ત્યાં જ ઊભો રહ્યો એટલે ફરી પાછું રમણીકભાઈ બોલ્યા ભાઈ મેં તને ના પાડી તો પણ તું અહીં ઊભો છે. કહ્યું નહીં કે જતો રહે…
તો ભિખારીએ રમણીકભાઈ ને કહ્યું સાહેબ મને કંઈક આપો ને મેં સવારથી કશું ખાધું પણ નથી,
એટલે રમણીકભાઈ એ કહ્યું હું તને આપુ પણ બદલામાં તું મને શું આપીશ? ભિખારીએ કહ્યું સાહેબ મારી પાસે તમને દેવા માટે કશું નથી. આટલું કહીને ફરી થોડી વાર ઉભા રહ્યો અને ત્યાંથી બસ ઉપડે તે પહેલાં જ બસમાંથી નીચે ઉતરી ગયો.
રમણીકભાઈ તો પોતાની ઓફિસે જતા રહ્યા પછી લગભગ 15 દિવસ પછી ફરી પાછી તેની મુલાકાત દરરોજ અપડાઉન કરી રહેલી બસમાં જ તે ભિખારી સાથે થઈ રમણીકભાઈ ત્યાં બેઠા હતા અને બસ ઉપડે તે પહેલા ભિખારી આવ્યો અને સૂટ પહેરેલો હોવાથી રમણીકભાઈ ને તે ઓળખી ગયો અને કહ્યું સાહેબ મને કંઈક આપો અને આજે હું ખાલી હાથે નથી આવ્યો મારી પાસે તમને દેવા માટે પણ કંઈક છે.
ભિખારી નો ચહેરો પહેલા કરતા થોડો બદલાઈ ગયો હતો ચહેરા પર થોડી રોનક પણ આવી ગઈ હતી તે ભિખારી ને તરત જ ઓળખી ગયા અને રમણીકભાઈ એ કહ્યું આલે આ તારા થોડા રૂપિયા તું મને બદલામાં શું આપવાનો છે? અને એ પણ જણાવજે કે મને આપવા માટે તારી પાસે આ ક્યાંથી આવ્યું?
ભિખારી એ વાત કરતાં કહ્યું સાહેબ તે દિવસે તમે મને કહ્યું ત્યાર પછી હું બસમાંથી નીચે ઉતરીને વિચારવા લાગ્યો કે મારી પાસે તમને જ નહીં પરંતુ કોઈને પણ દેવા માટે કંઈ નથી, એટલે થોડો હતાશ થઈને હું આગળ જઈ રહ્યો હતો એવામાં મને એક ગુલાબનો છોડ દેખાયો જેમાં ઘણા બધા ગુલાબ રહેલા હતા. એટલે એમાંથી થોડા ગુલાબ તોડી નાખ્યા અને ત્યાર પછી જે પણ લોકો કોઈ મને ભીખ આપે તેને હું બદલામાં આ ગુલાબ આપવા લાગ્યો.
બસ એટલા માટે જ આજે તમારા માટે પણ હું ગુલાબ લાવ્યો છું એમ કહીને રમણીકભાઈ ને તેમને ગુલાબ આપ્યું.
રમણીકભાઈ જગ્યા પરથી ઊભા થઈ ગયા અને કહ્યું વાહ ભાઈ સરસ તને હવે આપ-લે નું જ્ઞાન થઈ ચૂક્યું છે એટલે હવે આમ જોવા જઈએ તો તું ભિખારી નહીં પરંતુ એક વેપારી થઈ ચૂક્યો છે. તારામાં ઘણી તાકાત આવી ગઈ છે તું હવે ઘણું બધું કરી શકે છે… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રમણીકભાઈ એ તો માત્ર સહજતાથી આ વાત ભિખારીને જણાવી પરંતુ ભિખારીને આ વાતની અસર ખૂબ જ ઊંડી થઈ ગઈ ટ્રેનમાં ઉતરીને તે વિચારમાં પડી ગયો કે સાહેબ ના કહેવા પ્રમાણે જો હું વેપારી હોય તો હું વેપાર પણ કરી શકું, અને હું હવે વેપારી બની ને પછી જ તે સાહેબને મળીશ. અને બસમાંથી નીચે ઉતરીને બૂમ પાડવા લાગ્યો કે હું ભિખારી નહિ વેપારી છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બધા લોકો તેના પર હસી રહ્યા હતા પરંતુ રમણીકભાઈ ને ખબર પડી ચૂકી હતી કે આના માં આત્મવિશ્વાસ આવી ચૂક્યો છે હવે તે જીવનમાં કંઇક કરી બતાવશે.
બસ ઉપડી અને રમણીકભાઈ ઓફિસે જતા રહ્યા, લગભગ ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો રમણીકભાઈ દરરોજ સવારે બસમાં ચડે અને રાહ જોતા કે ભિખારી આવે અને તેને મળી શકે પરંતુ ત્રણ મહિના સુધી કોઈ ન આવ્યું, રમણીકભાઈ ના મગજ માંથી પણ આ વાત નીકળી ચૂકી હતી એવામાં એક દિવસ અચાનક રમણીકભાઈ બસમાં બેઠા હતા ત્યાં કોઈ સૂટ પહેરીને માણસ આવ્યો.
અને તે માણસ એ આવીને રમણીકભાઈ ને કહ્યું સાહેબ મને ઓળખ્યો? રમણીકભાઈ ને લાગ્યું કે આ કોઈ ધંધાર્થે મળ્યા હશે એટલે તેને કહ્યું મને ઓળખાણ ન પડી. ત્યારે તે માણસ એ કહ્યું સાહેબ આપણે બે વખત મળ્યા છીએ અને આજે ત્રીજી વખત મળીએ છીએ.
રમણીકભાઈ એ કહ્યું ભાઈ હું ઓળખી ન શક્યો મને લાગે છે આજે પહેલી વખત મળીએ છીએ તમારી કંઈક ગેરસમજણ થતી લાગે છે. એવામાં ભિખારીએ કહ્યું સાહેબ મને કોઈ ગેરસમજણ નથી. હું એ જ ભિખારી છું જેને તમે ત્રણેક મહિના પહેલા થયેલી પહેલી મુલાકાતમાં સમજાવ્યું હતું કે આપણી પાસે કંઈ લેવા લાયક ન હોય તો કશું માગવું ન જોઈએ અને બીજી મુલાકાતમાં સમજાવ્યું કે મને વેપારનું જ્ઞાન થઈ ચૂક્યું છે જો હું વિચારું તો શું કરી શકું… બસ તે દિવસે થી જ મેં ફૂલો તોડીને વેચવાનું ચાલુ કરી દીધું. થોડા સમય પછી મારો ધંધો આગળ વધતો ગયો અને ફૂલો ખરીદીને પણ વેચવાનું ચાલુ કરી દીધું. અને ટૂંક સમયમાં જ મારો ધંધો આગળ વધતો ગયો.
અને તમને જાણીને આનંદ થશે સાહેબ કે આજે જ મે અહીં સામે આવેલા મંદિર પાસે ફૂલ ની દુકાન ખોલી છે. આજે જ એનું ઉદઘાટન છે તો તમે પણ જરૂરથી આવજો સાહેબ કારણકે તમે જો ન મળ્યા હોત તો હું આજે પણ ભિખારી હોત.
રમણીકભાઈ રાજી થઈ ગયા કારણ કે તેને જે વિશ્વાસ હતો કે એ માણસ કંઇક કરી બતાવશે એ માણસ એ સાચે કંઈક કરી બતાવ્યું.
મિત્રો પેલા ભિખારીના જીવનમાં અને આપણા જીવનમાં આમ જોવા જઈએ તો ઘણી સરખામણી થઈ શકે. કારણકે આપણને આપણા મન ઉપર વિશ્વાસ નથી હોતો કે તે શું કરી શકે, અને આપણે બધા ને સમજવાની જરૂર છે કે સૌથી પહેલા આપણે આપણી પોતાની જાત ઉપર ભરોસો કરતા શીખી જવું જોઈએ. કારણકે એનાથી કદાચ કોઈને પણ આપણી ઉપર વિશ્વાસ હોય કે ન હોય પરંતુ આપણને તો હશે જ. અને આ વિશ્વાસ જ આપણને સફળતા મેળવવામાં કામ લાગે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરી અને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.