બધા કામ પડતા મૂકીને પહેલા આ વાંચી લેજો, જિંદગીની બધી તકલીફો દૂર થઈ જશે...

આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે તેના ફળ સ્વરૂપે આપણને કશું મળે તેવી આશા રાખતા હોઈએ છીએ. બધા કામ પોતાની રીતે અલગ અલગ હોય છે જેમ કે અમુક કામમાં આપણને ફળ તરત મળી જાય છે તો અમુક માં મોડું મળતું હોય છે. જ્યારે અમુક કાર્ય કર્યા પછી વર્ષો પછી તેનું ફળ મળે છે.

પણ અમુક કામ એવા હોય છે જેમાં બે પાંચ કે દસ વર્ષ સુધી મહેનત કરવી પડે છે ત્યાર પછી તેનું વળતર મળે છે. અને તે જો સાચવી ને કરવામાં આવે તો પેઢીઓ સુધી ચાલે છે અને કયારેક ફળ મળતું નથી જેથી માણસ નિરાશ થઈ જાય છે અને જીવન માં હતાશા આવી જાય છે પરંતુ તેવી પરિસ્થિતિ માં પણ ફરી કામે લાગી જનાર ને સારું પરિણામ ઝડપ થી મળે છે કારણ કે જે પણ હેતુ સિદ્ધ નથી થયો પણ અનુભવ તો થયો છે અને અનુભવ ની કિંમત કોઈ પણ વળતર કરતા વધારે છે.

એક ગરીબ ઘર માં એક છોકરા નો જન્મ થાય છે. જયારે એક મહિના ની ઉમર હતી ત્યારે ભગવાન તેને સપના માં આવે છે અને કહે છે કે તારે જંગલ માં જય ને તપ કરવા નું છે. હવે એક મહિના ના છોકરા ને આ બધું યાદ રહે નહિ. અને આમ ને આમ તે પંદર વર્ષનો થઇ ગયો ત્યારે ભગવાન ફરી થી સપના માં આવી અને કહ્યું કે તારે તો જંગલ માં તપ કરવા જવાનું છે, હવે તું મોટો પણ થઇ ગયો અહીંયા હવે તારું કોઈ કામ નથી.

તેને પણ આધ્યાત્મમાં રૂચિ હોવાથી બીજા જ દિવસે તે છોકરો સાધુ બની ગયો અને જંગલ માં તપ કરવા લાગ્યો. જંગલ માં છોકરા એ અખંડ ધૂન ચાલુ કરી દીધી. થોડા સમય માં આજુ બાજુ ના ગામ વાળને ખબર પડી કે કોઈ સંત કે જે નાની ઉમરના છે.

અને જંગલ માં ધૂન કરે છે. એટલે સાંજ પડ્યે આજુ બાજુ ના ગામ લોકો પણ ધૂન માં આવતા અને થોડા સમય માં એક નાનું મંદિર અને સંત માટે એક ઓરડી બનાવી આપી. આમ ને આમ જગ્યા નો વિસ્તાર વધવા લાગ્યો અને લોકોની અવરજવર પણ વધી ગઈ.

એમ ને એમ બીજા સાધુ સંતો પણ એક ગામ થી બીજા ગામ જતા તે રસ્તા માં અહીંયા રોકાઈ ને પછી જતા રાજા ના દિવસો માં માણસો પણ ખુબ આવતા અને ધૂન કરતા અને પછી સાંજે આરતી પછી બંને પ્રસાદ અપાય પછી જ જવાનું.

આમ ને આમ એ સંત ને ત્યાં પચાસ વર્ષ થઇ ગયા પચાસ વર્ષથી ત્યાં અંખડ ધુન ચાલુ હતી અને આજે રાજા હોવાથી આજુ બાજુ ના ગામ લોકો પણ ધૂન કરતા હતા ત્યાં જ એકદમ જોરથી આકાશવાણી થઈ કે હે સંત તે જે પચાસ વર્ષ થી તપ કર્યું અને અખંડ ધૂન કરી તે ભગવાને સ્વીકાર કર્યું નથી. ત્યારે ત્યાં હાજર સંતો અને ગામ લોકો સ્તબ્ધ થઈ ગયા. અને દુઃખી થઈ ગયા કે પચાસ વર્ષથી અખંડ ધૂન કરી અને એક પણ દિવસ ની ધૂન સ્વીકાર થઈ નહિ.

આ બધું જોઈ ને સંત પણ દુઃખી થયા પણ તેને હિંમત ના હારી અને આનંદ માં આવી અને નાચવા લાગ્યા અને મોટે મોટે થી ધૂન બોલવા લાગ્યા ત્યારે હાજર રહેલા ગામ ના લોકો અને સંતો એ પૂછ્યું કે તમારી પચાસ વર્ષ ની ધૂન નો સ્વીકાર નથી થયો. છતાં પણ તમે કેમ ખુશ છો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે સંતે જવાબ આપ્યો કે આકાશવાણી માં એમ કીધું કે તમારી પચાસ વર્ષ ની અખંડ ધૂન સ્વીકાર નથી થઇ પણ હું પચાસ વર્ષ થી ધૂન કરું છું. તેની તો ભગવાને પણ નોંધ લેવી પડી છે. તેમજ મારી સાથે આજુ બાજુ વાળા ગામ ના લોકો માં પણ ધાર્મિક વૃત્તિ હતી તેના કરતા પણ વધી જેથી બધા ના ઘર માં ધંધા માં બધા શાંતિ થી કઈ પણ ખોટું કાર્ય વિના પ્રગતિ કરી છે. તે જ મારા માટે મોટા માં મોટી સફળતા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને હું તો જીવન ભર મારી આ ધૂન ચાલુ રાખી ભગવાને પણ મારી આ અખંડ ધૂન નો સ્વીકાર કરવો જ પડશે કારણ કે તેનાથી સમાજ નું સારું થયું છે. અને સારા કર્મ નું ફળ તો સારું જ હોય.

આમ આપણે પણ આપણા કાર્ય માં આટલી હિમ્મત રાખી અને પુરી ઈમાનદારી થી કાર્ય કરતા રહીશું તો સફળતા તો મળવાની જ છે. કોઈ ધંધો વેપાર કરતા હોઈ એવા વડીલો આપણને સલાહ આપે કે ધંધો તો દુજણી ગાય છે જે બાર મહિના માં ચાર મહિના વસૂકી જાય તો આપણે એ ગાય ને છોડી નથી દેતા પણ તેને સાચવવી પડે છે એમ જ નોકરી કરતા હોય અને નોકરી છૂટી જાય તો તેમાં પણ નિરાશ નહિ થવાનું.

કારણ કે બીજી કોઈ સારી જગ્યા તમારી રાહ જોતી હશે માટે હિંમત થી આગળ વધવું એજ જીવન છે પાછળ ચાલવાનું તો કુદરત ને પણ પસંદ નથી તેને પણ રાત પછી દિવસ જ ગમે છે આપણા કરેલા કર્મ નું ફળ મળવાનું જ છે. એમાં ક્યારેક વહેલું કે ક્યારેક મોડું મળે તેનાથી કર્મ કરવા માં કોઈ જાત નો અભાવ ના આવવો જોઈએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team