આપણે બીજાને જે પણ કંઈ આપીએ છીએ તે અનેક ગણું આપણી પાસે પાછું આવે છે, વાંચો આ સ્ટોરી...

રાજા સવાર સવાર ના તેની ગૌશાળા માં ચક્કર લગાવવા જય રહ્યા હતા ત્યારે એક સાધુ ભિક્ષા માંગવા માટે રાજા પાસે આવ્યા સવાર સવાર ના રાજા પાસે ભિક્ષા માગતા રાજા એકદમ ગુસ્સે થયા.

અને રાજા એ સાધુ ના દાનપાત્રમાં ગાય નો પોદળો ઉઠાવી ને નાખી દીધો સાધુ એકદમ શાંત સ્વભાવ ના હોવાથી તે મળેલી ભિક્ષા લઇ ને ત્યાંથી ચાલતા થયા અને પોતે જંગલ માં ઝૂંપડી બનાવીને રહેતા હતા.

ત્યાં પોતાની ઝૂંપડી ની બહાર ભિક્ષા માં મળેલ ગાય નો પોદળો નાખી દીધો થોડા દિવસ પછી બન્યું એવું કે રાજા શિકાર કરવા માટે નીકળ્યા હતા અને તે સાધુ ની ઝૂંપડી પાસે પહોંચ્યા.

ત્યારે રાજા એ જોયું કે ઝૂંપડી ની પાસે કોઈ ગાય નથી તો આ પોદળા નો ઢગલો અહીંયા કેવી રીતે બન્યો રાજા એ ઝૂંપડી માં જઈ ને સાધુ ને પૂછ્યું કે અહીંયા કોઈ ગાય નથી.

તો પછી આ પોદળા નો આવડો મોટો ઢગલો ક્યાંથી આવ્યો ?ત્યારે સાધુ એ રાજા ને કહ્યું કે આ ગાય નો પોદળો મને એક રાજા એ ભિક્ષા માં આપેલો છે ખાવા માટે હવે સમય આવ્યે તે રાજા એ જ આ પોદળો ખાવો પડશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સાધુ ની આ વાત સાંભળી ને રાજા ને યાદ આવી ગયું કે આ પોદળો તો મારા દ્વારા જ એક સાધુ ને અપાયો છે અને આ તે જ સાધુ છે ત્યારે રાજા એ સાધુ ના પગે પડી અને માફી માંગતા માંગતા કરગરવા લાગ્યા કે મને મારા અભિમાન માં આવી અને કરેલા કર્મ માંથી છોડાવો.

અને સાધુ ને કહ્યું કે મેં તો તમને એક ગાય નો પોદળો જ આપ્યો હતો અને અહીંયા તો એક મોટો ઢગલો પડ્યો છે ત્યારે સાધુ એ જવાબ આપતા કહ્યું કે આપણે જ્યારે બીજાને જે પણ આપીયે છીએ.

તે દિવસે અને દિવસે વધતું જાય છે અને અંતે સમય આવતા તે આપણી પાસે જ પાછું આવે છે અને તે કારણે જ તમે આપેલા એક પોદળા નો આજે મોટો ઢગલો થઈ ગયો છે.

આ વાત સાંભળી ને રાજા ની આંખ માં આંસુ આવી ગયા અને તે સાધુ ને વિનંતી કરવા લાગ્યા કે મને માફ કરી દયો હવે પછી હું જીવનભર આવી ભૂલ નહિ કરું અને મને કોઈ ઉપાય બતાવો જેથી કરીને મારા આ દુષ્ટ કર્મ નું પ્રાયશ્ચિત કરી શકું.

રાજા ની દુઃખી હાલત જોઈને સાધુએ કહ્યું કે રાજા તમારા માટે એક ઉપાય છે તમારે એક એવું કામ કરવું પડશે જે લોકો ની નજર માટે ખોટું હોય પણ હકીકત માં ખોટું ના હોય અને જયારે લોકો તમને ખોટું કામ કરતા જોઈશે.

ત્યારે તે તમારી નિંદા કરશે અને જેટલા લોકો તમારી નિંદા કરશે તે બધા ના ભાગે તમારું કરેલું કર્મ જે ગાય નો પોદળો મને આપેલો અને આજે એક મોટો ઢગલો થઈ ગયો છે તે બધા નિંદા કરવા વાળા ને સરખા ભાગે ચાલ્યું જશે.

અને તમે તેમાંથી છુટકારો મેળવી શકશો રાજા એ સાધુ ની વાત સાંભળી ને તેના મહેલ માં પાંચ આવ્યા અને વિચાર કરવા લાગ્યા કે એવું શું કરું કે લોકો ને મારી નિંદા કરવાની ફરજ પડે અને હું આ પાપ કર્મ થી છુટકારો મેળવી શકું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બીજા દિવસે સવાર સવાર માં રાજા ગામ માં આવેલા મુખ્ય ચોક માં મદિરા ભરેલી એક બોટલ લઇ ને બેસી ગયા અને સવાર થી આવતા જતા માણસો રાજા ની સામે નજર પડતા જ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે રાજા થઇ ને સવાર સવાર માં મદિરા ની બોટલ લઇ ને બેસી ગયા છે.

કઈ લાજ શરમ જેવું તો છે જ નહિ અને અનેક સાચી ખોટી વાતો રાજા વિશે બોલવા લાગ્યા પરંતુ રાજા તો લોકો ની નિંદા ની પરવાહ કર્યા વિના જ જાણે નશા માં હોય તેવું વર્તન કરી રહ્યા હતા.

આખો દિવસ સુધી આમ કર્યા બાદ રાજા બીજે દિવસે જ્યારે સાધુ ને મળવા માટે ગયા ત્યારે તેને જોયું કે ઝૂંપડી પાસે પડેલા પોદળા નો ઢગલો ગાયબ હતો ત્યારે સાધુ પાસે જઈને પૂછ્યું કે આ ઢગલો ક્યાં ગાયબ થઇ ગયો ?

ત્યારે સાધુ એ કહ્યું કે તમારી નિંદા કરવા વાળા ના ભાગે ચાલ્યો ગયો અને સાધુ એ કહ્યું કે જ્યારે આપણે બીજા લોકો ની કારણ વગર નિંદા કરીએ છીએ ત્યારે તેને કરેલા પાપ નો ભાર પણ આપણે ઉઠાવવો પડે છે.

અને આપણે ભોગવવા પડે છે હવે તે આપણે હસતા હસતા ભોગવીએ કે રડતા રડતા આપણે જ્યારે બીજા લોકો ને જે પણ આપીયે છીએ તે તેના સમયે અનેક ગણું થઇ ને આપણી પાસે જ પાછું આવે છે.

એટલે આપણે શું જોઈએ છે તે નક્કી કરીને જ બીજા સાથે વર્તન વ્યવહાર કરવો... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team