જ્યારે એક સામાન્ય નોકરને એવો વિચાર આવ્યો જે ન્યુટન જેવા વૈજ્ઞાનીક ને પણ ન આવ્યો…

અત્યારના સમયની વાત કરીએ તો એવો સમય ચાલી રહ્યો છે કે દુનિયામાં કોઈ પણ વધુ ભણેલો માણસ હોય તે પોતાને એટલો બધો હોશિયાર અને શાણો સમજવા લાગ્યો છે કે એની આજુબાજુ માં લોકો એનાથી ઓછું ભણેલો માણસ આવી જાય તો તે માણસ તેનું અપમાન કરવામાં જરા પણ ખચકાટ અનુભવતો નથી.

વાત ઘણા વર્ષો પહેલાની છે. લાલ બહાદુર શાસ્ત્રીજી ની જિંદગી માં એક એવો પ્રસંગ બન્યો હતો જે હાલ સુધી દરેક લોકોને પ્રેરણા આપી રહ્યો છે.

લાલ બહાદુર શાસ્ત્રીજી ના જીવન વિશે વાંચ્યું હશે તો ખબર હશે કે શાસ્ત્રીજી કાયમ સામાન્ય જીવન જીવવા માગતા હતા અને તેમનું જીવનધોરણ એકદમ સાધારણ પણ હતું.

આ બધું કદાચ તમે શાસ્ત્રીજીના જીવન વિશે વાંચ્યું હશે પરંતુ એક પ્રસંગ એવો બન્યો હતો જે લગભગ તમે ક્યાંય વાંચ્યું નહીં હોય, આ પ્રસંગે ઈન્ટરનેટ ઉપર પણ એટલો બધો પ્રચલિત થયો નથી પરંતુ ખૂબ જ પ્રેરણાદાયક પ્રસંગ છે.

જ્યારે પણ શાસ્ત્રીજી પોતાનું કામ કરી રહ્યા હોય ત્યારે તે આજુબાજુ લોકો રહેતા હોય તેની સલાહ લેતા, અને ત્યાં સુધી કે શાસ્ત્રીજી નો નોકર હોય અથવા પછી તેઓના કોઈ સહયોગી હોય તો પણ તેઓ કોઇની સલાહ લેવાનું ચૂકતા નહીં.

અને તેનો આવો સ્વભાવ ઘણા લોકોને વિચારવા પર મજબૂર કરી દે’તો કે ભારત આવડો મોટો દેશ અને જે ભારત દેશ પાસે પોતાના સલાહકાર આટલા બધા છે તેમ છતાં શાસ્ત્રીજી સામાન્ય કહી શકાય તેવા માણસો પાસેથી શું કામ સલાહ લેતા હોય છે?

એક દિવસ શાસ્ત્રીજી પાસે કોઈ આવ્યું અને તેની સમક્ષ મોટો મુદ્દો રજૂ કર્યો, આ મુદ્દો ખૂબ જ મોટો હોવા છતાં શાસ્ત્રીજી એ કોઈની સલાહ લીધી. આ બધું જોઇને એક એડવાઈઝર બોલ્યા કે સાહેબ તમે એક વાત જણાવો, તમે દેશ-વિદેશના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હોવ છો તેમ છતાં તમે એક નોકર ને પૂછી લો છો? આ નોકર, જે વધુ ભણેલ પણ નથી તે તમને શું સલાહ આપી શકે.

સલાહકારના મોઢેથી આવું સાંભળ્યું એટલે શાસ્ત્રીજી હસવા લાગ્યા હસી અને તેને સહજતાથી જવાબ આપતા કહ્યું હું તને એક નાનકડો પ્રસંગ સંભળાવું છું તમે એ સાંભળીને બધું સમજી જશો. તમારા મનના બધા પ્રશ્નો દૂર થઈ જશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel