અંતિમ યાત્રામાં “રામ નામ સત્ય છે” એવું કેમ બોલવામાં આવે છે? જાણો...
સંત તુલસીદાસજી ના સમય ની આ વાત છે. તુલસીદાસજી હંમેશા ભગવાન શ્રી રામ ની ભક્તિમાં તલ્લીન રહેતા હતા તેથી તેના ઘરવાળાઓએ અને ગામ વાળાઓ એ તુલસીદાસજી ને ઢોંગી કહી અને ઘર ની બહાર કાઢી મુક્યા હતા.
ત્યારે તુલસીદાસજી ગંગાજી ના ઘાટ પર રહેવા લાગ્યા અને ભગવાન શ્રી રામ ની ભક્તિ કરવા લાગ્યા અને ત્યારે રામચરિતમાનસ ની રચના શરૂ કરી રહ્યા હતા.
એક દિવસ ગામ ના એક યુવાન ના લગ્ન થયા અને સાંજે લગ્ન કરીને ઘરે આવ્યા અને લગ્ન ની પહેલી રાત્રે જ યુવાન નું કોઈ કારણોસર અવસાન થયું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
યુવાન ના ઘરવાળા સવાર ના જ અંતિમયાત્રા કાઢવાના હતા, તેથી નનામી સજાવી અને સ્મશાન ઘાટ જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેની પત્ની તેના પતિ ની નનામી ની પાછળ પાછળ ચાલવા લાગી.
અને બધા લોકો જઈ રહ્યા હતા ત્યાં વચ્ચે જ તુલસીદાસજી રહેતા હતા ત્યારે નવી પરણીને આવેલી સ્ત્રી ને થયું કે બ્રાહ્મણ ને પ્રણામ કરી અને આગળ ચાલુ નવી પરણેલી સ્ત્રી ને એ વાત ની ખબર નહોતી કે આ સંત તુલસીદાસજી છે, તે તુલસીદાસજી ને પગે લાગી અને પ્રણામ કર્યા.
ત્યારે સંત તુલસીદાસજી એ આશીર્વાદ આપતા કહ્યું કે, અખંડ સૌભાગ્યવતી રહો. અને બધા લોકો હસવા લાગ્યા અને બોલ્યા કે અમે તો તમને અત્યાર સુધી ઢોંગી માનતા હતા, પણ તમે તો મૂર્ખ પણ છો.
તમે જેને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપો છો તેના પતિ ની જ અંતિમ યાત્રા અહીંયા થી પસાર થઇ રહી છે અને તુલસીદાસજી ને ના કહેવાનું કહેવા લાગ્યા.
અને કહ્યું કે તું અને તારો રામ બંને ખોટા છો એટલે તુલસીદાસજી થી રહેવાયું નહિ, અને કહ્યું કે મને ખોટો કહો તેનું જરા પણ દુઃખ નથી પણ મારા ભગવાન રામ જરા પણ ખોટા નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તેને જ મને મારા મોઢામાંથી અખંડ સૌભાગ્યવતી બોલાવ્યું છે, હું અત્યારે જ તેનું તમને પ્રમાણ આપીશ અને નનામી ત્યાં જ રખાવી અને અવસાન પામેલા યુવાન ના કાન માં તુલસીદાસજી ત્રણ વખત બોલ્યા કે રામ નામ સત્ય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને અવસાન પામેલ યુવાન નનામી માં ઉભો થઇ અને બહાર આવીને બેસી ગયો ત્યાં હાજર બધા લોકો જોતા જ રહી ગયા કે અવસાન પામેલો યુવાન પોતાની જાતે કેવી રીતે ઉભો થઇ શકે?
અને બધા લોકો તુલસીદાસજી ને પગે લાગવા લાગ્યા અને દંડવત કરવા માટે આવવા લાગ્યા ત્યારે તુલસીદાસજી એ કહ્યું કે તમને લોકો ને રામ નામ સત્ય છે.
તેનું પ્રમાણ મળી ગયું છે અને એ બધી ભગવાન રામ ની જ લીલા છે અને ત્યાર થી જ કદાચ રામ નામ સત્ય છે તે બોલવાની પ્રથા શરૂ થઈ ગઈ હોય શકે... આ વિશે તમે પણ કંઈ જાણતા હોય તો કોમેન્ટમાં અચૂક જણાવજો...
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.