આંગળી ચીંધ્યાનું પુણ્ય એટલે શું? ખરેખર વાંચીને જીવનમાં ઉતારવા જેવી વાત છે, છેલ્લે સુધી વાંચજો
જો કોઈને પૂછવામાં આવે કે પુણ્ય કમાવવા ના કેટલા રસ્તા છે તો બધા લોકોને આ જવાબ લગભગ ખબર હોય. ઘણા લોકો કહે છે કે ભૂખ્યા ને ભોજન તરસ્યાને પાણી ઉનાળો ચાલતો હોય ત્યારે છાશના પરબ વગેરે અનેક સેવા કાર્યો છે જેનાથી પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ઉનાળો ખૂબ જ વધારે હોય ત્યારે ચપ્પલ વગર જય રહેલા લોકોને ચપ્પલ વિતરણ કરવું અથવા શિયાળામાં નાના બાળકો ને સ્વેટર ગરમ કપડા આપવા એ પણ અનેક લોકો સેવા કાર્ય કરતા હોય છે. પરંતુ એ કેવું પુણ્ય છે જે કમાવવા માટે તમારે આમાંથી એક પણ સેવાકાર્યો નથી કરવાનું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ પુણ્ય છે આંગળી ચિન્ધ્યાનું પુણ્ય, મહાભારતના રાજા કર્ણ કે જે દરરોજ સવારે સોનાનું દાન કરતા, અને જેને જેટલું જોઈએ તેટલું સોનું આપતા. તેઓએ પોતાના જીવન દરમ્યાન આપેલા સોનામાંથી પહાડો ઊભા થઈ જાય તેટલું સોનું દાનમાં આપેલું હતું અને એટલા માટે જ આપણે તેને આજે દાનવીર કર્ણ ના નામથી ઓળખીએ છીએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અહીં સુધીની વાત તો બધા લોકો જાણતા હશે, પરંતુ આજ દાનવીર કર્ણ નું અવસાન થયું એટલે તેને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેના કર્મનો હિસાબ થયો, અને ત્યારબાદ તેને કહેવામાં આવ્યું કે તમે જે સોનાનું દાન કર્યું છે તેના બદલામાં તમને અહીંયા 1000 ગણું સોનું આપવામાં આવે છે.
સામે કરણા એ જવાબમાં કહ્યું કે મને અત્યારે એકદમ પાણીની તરસ લાગી છે અને ખૂબ જ ભૂખ લાગી છે, મને અત્યારે ખાવાનું અને પાણીની વધારે જરૂર છે. એ ક્યાં મળશે? ત્યારે તેને જવાબ મળ્યો કે તમે આખી જિંદગીમાં કોઈ ને પાણી અથવા ખાવાનું નથી આપ્યું.
એટલા માટે તમને અહીંયા એ મળી શકે નહીં, તમે જે કર્મ કર્યું છે તેનું ફળ મળે એટલા બધા સોનાના ઢગલાઓ તમને આપવામાં આવે છે. કરણા એ ખૂબ આજીજી કરી ત્યારબાદ તેનો હિસાબ નો ચોપડો ફરીથી ખોલવામાં આવે છે.
ત્યારે એક વખત જ્યારે કર્ણ સોનાનું દાન કરી રહ્યા હતા એવામાં એક સાધુ પણ ત્યાં ઉભા હતા તેને કર્ણ જ્યારે સોનાનું દાન આપવા લાગ્યા ત્યારે તે સાધુએ કહ્યું કે અમારે સોના સાથે શું લેવાદેવા? મારે તો પાણી પીવું છે મને ખૂબ જ તરસ લાગી છે.
ત્યારે કર્ણને જવાબ આપતા કહ્યું હતું કે અહીંયા પાણી તો નથી પરંતુ ઈશારો કરીને કહ્યું કે ત્યાં સામે પાણીનું પરબ છે તમને ત્યાં પાણી મળી જશે. આખા જીવનમાં તેને ખાવાનું કે પાણીનું દાન નહોતું કરેલું પરંતુ એક વખત આંગળી ચીંધી અને સાચો રસ્તો દેખાડ્યો.
જેના કારણે તેને એમ કહેવામાં આવ્યું કે તમને જ્યારે પણ ભૂખ લાગે અથવા તરસ લાગે ત્યારે તમે જમણા હાથની પહેલી આંગળી મોઢામાં રાખશો એટલે તમારા મોઢામાં અમી વર્ષા થશે, અને તમને તૃપ્તિનો અનુભવ થશે. કદાચ એટલા માટે જ ત્યારથી આ કહેવત પડી હશે કે આંગળી ચિન્ધ્યાનું પુણ્ય.
મહાભારત ની ચર્ચાઓ માંથી બહાર આવીને અત્યારના યોગ વિશે વાત કરીએ તો ઘણી વખત મારી તમારી સાથે બધા સાથે બને છે કે આપણે ક્યાંય અજાણ્યા માર્ગમાં જતા હોય કોઈને સરનામું પૂછી હતો ઘણા લોકો ખોટા રસ્તે ભટકાવી મૂકે છે.
ખૂબ જ સીધો અને સચોટ સંદેશ છે આપણી સામે કે દુનિયાના મહાન દાનવીર ને પણ તેને જે આપ્યું તે જ સ્વર્ગમાં મળ્યું. તો આપણે જેવું કરીએ છીએ એવું જ પામીએ છીએ. આપણો હિસાબ કેવી રીતે થશે એ આપણે જાણીએ છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.