સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ ના ચાર દિવસ પછી થયું એલાનઃ બનશે ફિલ્મ, “સુસાઈડ ઓર મર્ડર”

કોઈના મૃત્યુ ના ગણતરીના દિવસો પછી એવા સમાચાર આવે કે એ વ્યક્તિ ઉપર ફિલ્મ બનવા જઈ રહી છે તો શું તમે એ સમાચાર માની લો? એવું જ કંઈક બોલિવૂડમાં થયું છે, અલબત્ત બોલિવૂડમાં તો બધું શક્ય છે. સુશાંત સિંહ રાજપૂત ને લઈને હવે એવા જ કંઈક સમાચાર સામે આવ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતે આવું મોટું પગલું કેમ ભરી લીધું એ સવાલ ઉપર પાછલા ઘણા દિવસથી જુદા જુદા માધ્યમ માં ચર્ચાઓ થઈ રહી છે. અને આ વાતની જાણ પોલીસ પણ કરી રહી હતી ત્યાં પાછલા લગભગ ૩૦ વર્ષથી એક મ્યુઝિક કંપની ચલાવનારા વિજય શેખર ગુપ્તા નિર્ણય કરી લીધો કે તેઓ સુશાંત પર આધારિત એક ફિલ્મ બનાવશે. ફિલ્મનું નામ પણ રાખી લીધું છે અને જલ્દી જ આ ફિલ્મની શૂટિંગ પૂરી કરીને રિલીઝ કરવાની પ્લાનિંગ પણ તેઓએ કરી લીધી છે.

ડિરેક્ટર વિજયનું એવું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના આવા પગલા પાછળ તેના હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઈ અને તેના કારણે જે તણાવ પેદા થયો તે જવાબદાર હોઈ શકે છે. ડિરેક્ટરે જણાવ્યું હતું કે બોલિવૂડમાં અમુક નિર્માતાઓને જ વર્ચસ્વ છે. જેથી આ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ નહીં ધરાવનારાઓ અને બહારથી આવનારા કલાકારો સાથે ખૂબ જ ભેદભાવ થાય છે, તેવા લોકો સાથે ખૂબ ખરાબ રીતે વર્તન પણ કરવામાં આવે છે. અને આવા લોકોને સ્ટાર કિડ ની તુલનામાં ખૂબ જ વધારે સંઘર્ષ કરવો પડે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેઓએ જણાવ્યું હતું કે આ ફિલ્મ ના માધ્યમથી ઇન્ડસ્ટ્રીમાં આવનારા તમામ લોકો ની કહાની જણાવશે, જે લોકો કંઈક સપનું લઈને બોલીવૂડમાં આવે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોની મોનોપોલી અને નેપોટિઝમનો શિકાર થઈ જાય છે. તેઓના જણાવ્યા અનુસાર ઈન્ડસ્ટ્રીમાં આવનારા લોકોની સંખ્યા ખુબ મોટી છે.અને તેઓની ફિલ્મનો આધાર આવા જ બધા ગામના લોકોના સંઘર્ષને તેઓની ઉપજેલી હતાશા છે જેના કારણે કોઈ પણ સરસ જિંદગીમાં આટલું મોટું પગલું ઉઠાવવા માટે મજબૂર થઈ જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સુશાંત સિંહ રાજપૂત નો જન્મ ૨૧ જાન્યુઆરી ૧૯૮૬ના રોજ બિહારના પટના માં થયો હતો. તેઓની ઉંમર માત્ર ૩૪ વર્ષ જ હતી. તેઓએ પોતાના કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન થી કરી હતી અને ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો 2013માં તેઓએ કાઈપો છે ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ સિવાય તેઓએ બીજી પણ ઘણી ફિલ્મો કરી હતી, ખાસ કરીને એમ એસ ધોની ના જીવન પરથી બનેલી ફિલ્મ માં તેના અભિનયને ઘણી પ્રશંસા મળી હતી. અને 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ છીછોરે માં પણ તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેઓના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી, અને તેઓના મૃત્યુ પછી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બોલીવુડ જગત સહિત રાજનૈતિક હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team