૬૦ થી ૬૫ વર્ષનું એક કપલ હશે, તેનાં લગ્ન થયાં એ પણ લગભગ 30થી વધારે વર્ષો થઈ ચૂક્યા હતા. પરંતુ આ કપલ એટલે કે આ દાદા-દાદી નો ઝગડો ક્યારેય ખતમ થવાનું નામ ન લેતો, બંને એકબીજા સાથે કોઇ ને કોઇ વાત પર ઝઘડી પડતા.
આજુ બાજુના પાડોશી તો આ વાતને બખૂબી જાણતા એટલે બંને ઝઘડતા હોય તો પણ તે લોકો ઈગ્નોર કરતા પરંતુ બાજુના ઘરમાં નીચેના રૂમમાં રહેવા માટે એક નવો યુવક આવ્યો હતો, એ યુવકને શહેરમાં પરીક્ષા આપવાની હોવાથી થોડા દિવસો નું રોકાણ હતું પછી ફરી પાછો તે ઘરે જવાનો હતો.
રોજ સવાર પડે અને આ દાદા-દાદીનો ઝઘડવાનો અવાજ ચાલુ થઈ જાય, પેલો યુવક મનમાં ને મનમાં વિચાર કરે કે હું હજી અહીં આવ્યો એને બે દિવસ થયા ત્યાં તો એક વખત પણ મેં શાંત નથી સાંભળ્યા આખરે આ દાદા-દાદી કેમ ઝગડતા જ રહેતા હશે?
પૃષ્ઠોઃ આગળ વાંચો