6 વર્ષની દીકરીની બચવાની કોઈ જ સંભાવના નહોતી અને ચાલુ ઓપરેશને અચાનક એવું થયું કે ડોક્ટર સહિત ત્યાં હાજર રહેલા બધા લોકો...
આ ઘટના ભારતના એક ખૂબ જ વરિષ્ઠ ડોક્ટર સાથે ઘટેલી છે અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી સત્ય ઘટના છે જેનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે. એક હૃદયરોગના વિશેષજ્ઞ ડોક્ટર હતા, તેની સાથે એક દિવસે જે ઘટના બની તેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.
એક દિવસ ડોક્ટર પાસે એક દંપતિ પોતાની છ વર્ષની દીકરીને લઈને આવ્યા. તેને કોઈ તકલીફ હોવાથી તપાસ કર્યા પછી ખબર પડી કે એ છ વર્ષની દીકરીના હૃદયમાં રક્ત સંચાર ઘણા અંશે ઓછો થઈ ચૂક્યો છે.
એટલે આ ડોક્ટરે તેના સાથી ડોક્ટરો સાથે પણ આ વિશે ચર્ચા કરી ત્યાર પછી ચર્ચા વિમર્શ કર્યા પછી ડોક્ટરે તે દંપતિ ને કહ્યું આ દીકરીની બચવાની સંભાવના ૩૦ ટકા જેટલી છે. અને દીકરીનું ઓપરેશન કરવું પડશે જેમાં ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે અને જો આ સફળ થઈ જાય તો દીકરી જીવી શકે તેમ છે નહીંતર તે માત્ર ગણતરીના મહિનાઓ જ જીવી શકે તેમ છે.
માતા-પિતા ભાવુક થઈ ગયા, અને છ વર્ષની દીકરી ની બચવાની સંભાવના ઓછી હોય તેમજ ઓપરેશન કરવું પડે એમ હોય ત્યારે કોઈ પણ મા-બાપ ભાવુક થાય એ સ્વાભાવિક બાબત છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માતા-પિતાએ ડોક્ટરને કહ્યું, ડોક્ટર સાહેબ અમારી એક જ દીકરી છે. ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી તો પછી તમે ઓપરેશનની તૈયારી કરો.
ઓપરેશન થવાનું હતું તે તારીખ ના પાંચ દિવસ પહેલાં જ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવાની હતી. અને ઓપરેશન ના પાંચ દિવસ પહેલાં જ મા-બાપ દીકરીને લઈને હોસ્પિટલ આવ્યા ને દાખલ કરાવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પાંચ દિવસ સુધી દીકરી સાથે ડોક્ટર અવારનવાર હેલ્થ ચેક કરવા આવતા અને સાથે સાથે એ ડોક્ટર દીકરી સાથે અવનવી વાતો પણ કરતા પાંચ દિવસમાં જ જાણે ડોક્ટર અને દીકરી એકબીજાના ફ્રેન્ડ બની ગયા હોય ઍ રીતે વાતો કરતા.
દીકરાના માતા-પિતાના ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો. સવાર-સાંજ દીકરીને તેઓ કહેતા રહેતા કે બેટા જરાપણ ગભરાતી નહિં કારણ કે બાળકોના હૃદયમાં તો ભગવાન પોતે રહે છે. અને એ તને કશું નહીં થવા દે.
થોડા દિવસો પછી સર્જરી હતી એ સર્જરીના દિવસે પણ માતા-પિતાએ તેને આ જ વસ્તુ જણાવી અને ડોક્ટરે પણ કહ્યું કે બેટા ચિંતા નહીં કરીશ ઓપરેશન પછી તમે બિલકુલ ઠીક થઈ જશો.
દીકરીએ કહ્યું ડોક્ટર અંકલ હું ડરી બિલકુલ નથી રહી કારણ કે પહેલા મને થોડો ડર લાગતો હતો પરંતુ જ્યારથી મને મમ્મી પપ્પાએ કહ્યું છે કે બાળકોના હૃદયમાં ભગવાન રહે છે ત્યારથી મને વિશ્વાસ છે કે ભગવાન મને કશું નહીં થવા દે. ત્યાર પછી તેને ડોક્ટરને કહ્યું મારે તમને એક વસ્તુ કહેવી છે કે જ્યારે તમે મારું હૃદય બહાર કાઢો ત્યારે એમાં રહેલા ભગવાન કેવા દેખાય છે એ મને જણાવજો... ડોક્ટર સાહેબ દીકરીની આ વાત પર હસવા લાગ્યા...
થોડા સમય પછી ઓપરેશન શરૂ થઈ ગયું, ઓપરેશન દરમિયાન ડોક્ટરોની ટીમે દીકરીની બધી તપાસ કરી અને માલુમ થયું કે આમાં કશું થઈ શકે એમ નથી. દીકરીને બચાવી શકાય તેમ નથી, દીકરીના હૃદયમાં લોહીનો પ્રવાહ બિલકુલ ઓછો થઈ ચૂક્યો છે.
નિરાશ થઈને એ ડોક્ટરે પોતાના બીજા ડોક્ટર ની સામે જોઈને નિરાશ થઈને સ્ટીચ કરવાનો આદેશ આપ્યો. એવામાં જ ડોક્ટરને યાદ આવ્યું કે દીકરીએ તેને છેલ્લી વખત કહ્યું હતું કે મારા હૃદયમાં ભગવાન રહે છે. અને તરત જ ડોક્ટરે લોહી વાળા હાથ એકબીજા સાથે જોડીને પ્રાર્થના કરી અને ભગવાનને કહ્યું હે ભગવાન, મારો બધો જ અનુભવ તો આ દીકરીને બચાવવા માં અસમર્થ છે પરંતુ જો તમે આ દીકરીના હૃદયમાં બિરાજમાન હોય તો મહેરબાની કરીને કંઈક કરો.
વર્ષોથી હૃદય રોગના નિષ્ણાંત થઈ ચૂકેલા એ ડોક્ટરના આંખમાંથી પ્રાર્થના કરતી વખતે આંસુ સરી પડ્યા.
કદાચ આટલા વર્ષોમાં એ ડોક્ટરના આંખમાંથી પહેલી વખત આંસુ પડ્યા હતા, તે પોતાની પ્રાર્થના કરી રહ્યા હતા એવામાં તેની બાજુમાં રહેલા સાથી ડોક્ટરે તેને બોલાવ્યા. અને એ ડોક્ટરને ચમત્કારમાં જરા પણ વિશ્વાસ નહોતો પરંતુ ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા એ જોઈને કે એ દીકરીના હૃદયમાં ફરી પાછો રક્ત સંચાર થવા લાગ્યો.
એ ડોક્ટર ની આખી ઉંમરમાં એની સાથે પહેલી વખત આવું થયું હતું. ઓપરેશન તો સફળ થઈ ગયું પરંતુ સાથે સાથે ડોક્ટર નું જીવન પણ પહેલાથી બિલકુલ બદલાઈ ગયું.
ઓપરેશન સફળ થયા પછી દીકરી જ્યારે હોશમાં આવી ત્યારે ડોક્ટરે તેને કહ્યું બેટા હૃદયમાં ભગવાન જોયા તો નહીં પરંતુ અનુભવ એવો થઈ ગયો કે એ જિંદગીની દરેક પળમાં ભગવાન આપણી સાથે જ હોય છે એવું અનુભવ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ ઘટના પછી ડોક્ટર ના ઓપરેશન થિયેટરમાં એક બદલાવ આવી ગયો, તે નિયમિત રીતે પોતાનું ઓપરેશન શરૂ કરતાં પરંતુ ઓપરેશન શરૂ કરતાં પહેલાં દરેક લોકો પ્રાર્થના કર્યા પછી જ ઓપરેશન શરૂ કરતા.
ખરેખર ભગવાનની લીલા અપરંપાર છે. જો આ સત્ય ઘટના ની સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.