6 વર્ષની દીકરીની બચવાની કોઈ જ સંભાવના નહોતી અને ચાલુ ઓપરેશને અચાનક એવું થયું કે ડોક્ટર સહિત ત્યાં હાજર રહેલા બધા લોકો…

દીકરીએ કહ્યું ડોક્ટર અંકલ હું ડરી બિલકુલ નથી રહી કારણ કે પહેલા મને થોડો ડર લાગતો હતો પરંતુ જ્યારથી મને મમ્મી પપ્પાએ કહ્યું છે કે બાળકોના હૃદયમાં ભગવાન રહે છે ત્યારથી મને વિશ્વાસ છે કે ભગવાન મને કશું નહીં થવા દે. ત્યાર પછી તેને ડોક્ટરને કહ્યું મારે તમને એક વસ્તુ કહેવી છે કે જ્યારે તમે મારું હૃદય બહાર કાઢો ત્યારે એમાં રહેલા ભગવાન કેવા દેખાય છે એ મને જણાવજો… ડોક્ટર સાહેબ દીકરીની આ વાત પર હસવા લાગ્યા…

થોડા સમય પછી ઓપરેશન શરૂ થઈ ગયું, ઓપરેશન દરમિયાન ડોક્ટરોની ટીમે દીકરીની બધી તપાસ કરી અને માલુમ થયું કે આમાં કશું થઈ શકે એમ નથી. દીકરીને બચાવી શકાય તેમ નથી, દીકરીના હૃદયમાં લોહીનો પ્રવાહ બિલકુલ ઓછો થઈ ચૂક્યો છે.

નિરાશ થઈને એ ડોક્ટરે પોતાના બીજા ડોક્ટર ની સામે જોઈને નિરાશ થઈને સ્ટીચ કરવાનો આદેશ આપ્યો. એવામાં જ ડોક્ટરને યાદ આવ્યું કે દીકરીએ તેને છેલ્લી વખત કહ્યું હતું કે મારા હૃદયમાં ભગવાન રહે છે. અને તરત જ ડોક્ટરે લોહી વાળા હાથ એકબીજા સાથે જોડીને પ્રાર્થના કરી અને ભગવાનને કહ્યું હે ભગવાન, મારો બધો જ અનુભવ તો આ દીકરીને બચાવવા માં અસમર્થ છે પરંતુ જો તમે આ દીકરીના હૃદયમાં બિરાજમાન હોય તો મહેરબાની કરીને કંઈક કરો.

વર્ષોથી હૃદય રોગના નિષ્ણાંત થઈ ચૂકેલા એ ડોક્ટરના આંખમાંથી પ્રાર્થના કરતી વખતે આંસુ સરી પડ્યા.

કદાચ આટલા વર્ષોમાં એ ડોક્ટરના આંખમાંથી પહેલી વખત આંસુ પડ્યા હતા, તે પોતાની પ્રાર્થના કરી રહ્યા હતા એવામાં તેની બાજુમાં રહેલા સાથી ડોક્ટરે તેને બોલાવ્યા. અને એ ડોક્ટરને ચમત્કારમાં જરા પણ વિશ્વાસ નહોતો પરંતુ ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા એ જોઈને કે એ દીકરીના હૃદયમાં ફરી પાછો રક્ત સંચાર થવા લાગ્યો.

એ ડોક્ટર ની આખી ઉંમરમાં એની સાથે પહેલી વખત આવું થયું હતું. ઓપરેશન તો સફળ થઈ ગયું પરંતુ સાથે સાથે ડોક્ટર નું જીવન પણ પહેલાથી બિલકુલ બદલાઈ ગયું.

ઓપરેશન સફળ થયા પછી દીકરી જ્યારે હોશમાં આવી ત્યારે ડોક્ટરે તેને કહ્યું બેટા હૃદયમાં ભગવાન જોયા તો નહીં પરંતુ અનુભવ એવો થઈ ગયો કે એ જિંદગીની દરેક પળમાં ભગવાન આપણી સાથે જ હોય છે એવું અનુભવ્યું.

આ ઘટના પછી ડોક્ટર ના ઓપરેશન થિયેટરમાં એક બદલાવ આવી ગયો, તે નિયમિત રીતે પોતાનું ઓપરેશન શરૂ કરતાં પરંતુ ઓપરેશન શરૂ કરતાં પહેલાં દરેક લોકો પ્રાર્થના કર્યા પછી જ ઓપરેશન શરૂ કરતા.

ખરેખર ભગવાનની લીલા અપરંપાર છે. જો આ સત્ય ઘટના ની સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel