વર્ષો પહેલા આવેલ દુષ્કાળમાં કેવી રીતે એક શેઠે તેના બધા કારીગરો ને સોનુ આપીને મદદ કરી હતી તે આખો બનાવ વાંચવા જેવો છે…

એક દિવસ એક મિત્ર ની સાથે એક સંસ્થા ની મુલાકાતે જવાનું થયું, સંશ્થા ના બધા પંખા ની ઉપર નજર પડી ત્યાં મોટામોટા અક્ષરે દાંતાનું નામ લખેલું હતું. જે મારા મિત્ર નું જ હતું, હું કઈ બોલ્યો નહિ એટલે તેને મને સામે થી કહ્યું કે આ ચારેય પંખા અમે દાન માં આપેલા છે. એટલે મેં કે કહ્યું કે એ તો મોટામોટા અક્ષરોની જાહેરાત થી જ ખબર પડી ગઈ. મારી આ વાત સાંભળી તેને જરા પણ ગમ્યું નહિ.

ઘરે આવી ને હું વિચારતો હતો કે ચાર પંખા માં તો પોતે એવડા મોટા અક્ષરે નામ લખાવ્યું ત્યાં મને નાનપણ માં સાંભળેલી વાતો યાદ આવી કે જેમાં દાન દેવા વાળા કે કોઈ ને મદદ કરવા વાળા ને પોતાના નામ ની ખબર નો પડે તેની ચિંતા રહેતી…

આવો જ એક પ્રસંગ છે એક શેઠ કે જે આવી રીતે મદદ કરતા હતા તેની દુકાન માં વીસ માણસો કામ કરતા હતા, એ સમયે દુષ્કાળ પડ્યો હતો. અને જીવનજરૂરી ચીજ વસ્તુ બધી ખુબ જ મોંઘી થઇ ગઈ હતી. ત્યારે દુકાન માં કામ કરતા માણસો ના જીવન માં એવો સમય આવી ગયો કે કોઈ ના કપડાં ફાટી ગયા હોઈ તો થીગડાં મારી ને કામે આવતા. પરંતુ નવા કપડાં લેવાની સગવડતા રહેતી નહિ, અને બધા એટલા ઈમાનદાર હતા કે શેઠ વધારાની કઈ મદદ કરે તો લેવાની પણ ના પડી દેતા.

થોડા દિવસ પછી શેઠે ને એક વિચાર આવ્યો અને મહેતાજી ને બોલાવ્યા અને કહ્યું કે અંદર કબાટ માં પડેલી સોના ની લગડી વર્ષો થી એમ ને એમ પડી છે, જેમાં ભેજ અને ધૂળ લાગી ગઈ હશે જેને બધા મજૂરો ને બોલાવી ને સાફ કરાવી લો અને તડકે સુકવી દો જેથી તેનો ભેજ પણ નીકળી જાય.

મહેતાજી એ તો મજુર ને બોલાવી ને આ બધું કામ કરાવી લીધું બધા માણસો ત્યાં થી ચાલ્યા ગયા પછી શેઠ અને મહેતાજી બે જ હાજર હતા. ત્યારે વજન કર્યો તો જરા પણ ઓછું થયું નહિ. બીજા દિવસે શેઠે મહેતાજી ને બોલાવી ને તેને કંઈક સમજાવ્યું અને બધા માણસો ને બોલાવી ને કહ્યું કે આ લગડીઓ બરાબર સાફ થઇ નથી. આને બીજી વખત સાફ કરો, અને તડકે સુકવી નાખો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel