સીતા માતા દ્વારા આ શ્રાપ આપવામાં આવ્યો હતો, આજે વર્ષો પછી પણ આ શ્રાપ હજુ અકબંધ છે, જાણો શું કામ આપ્યો હતો શ્રાપ...
વાલ્મીકિ રામાયણમાં સીતા માતા દ્વારા પીંડ દાન આપીને રાજા દશરથના આત્માને મોક્ષ આપવાનો પ્રસંગ આવે છે. વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતા પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવા માટે ગયા ધામ પહોંચ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યાં બ્રાહ્મણો દ્વારા જણાવેલ શ્રાદ્ધ કર્મ માટે જરૂરી સામગ્રી મેળવવા માટે ભગવાન રામ અને લક્ષ્મણજી શહેરમાં ગયા હતા. ત્યારે બ્રાહ્મણોએ સીતા માતાને કહ્યું કે પિંડદાન કરવાનો સમય થઈ ગયો છે અને હવે વધારે સમય આપણી પાસે નથી. તો અત્યારે જ પિંડદાન કરી દેવું જોઈએ.
સીતા માતા ભગવાન રામ અને લક્ષ્મણ જી ની રાહ જોઈ રહ્યા હતા, થોડા સમય સુધી રાહ જોઈ પરંતુ તેઓને આવવામાં મોડું થઈ રહ્યું હતું. એવામાં રાજા દશરથના આત્મા એ પણ સીતા માતાને અહેસાસ કરાવ્યો કે પિંડદાન નો સમય વીતતો જાય છે માટે હવે જરા પણ મોડું ન કરશો.
જેથી સીતા માતા જાણે અસમંજસમાં પડી ગયા કે હવે શું કરવું? આખરે સીતામાતા એ નિર્ણય કર્યો કે તેના પિતાતુલ્ય સસરા નું પિંડદાન તે પોતે જ કરશે, સીતામાતાએ ફાલ્ગુ નદીની સાથે સાથે ત્યાં ઉપસ્થિત વટવૃક્ષ, કાગડો, તુલસી, બ્રાહ્મણ અને ગાયને સાક્ષી માનીને તેના સ્વર્ગીય સસરા રાજા દશરથ ના પિંડદાન નું કાર્ય પૂરા વિધિ-વિધાન સાથે પૂર્ણ કર્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને વિધિ પૂર્ણ થતા જ્યારે રાજા દશરથને પ્રાર્થના કરવામાં આવી ત્યારે તેઓ એ સીતામાતા પાસેથી હાથો હાથ પિંડદાન નો સ્વીકાર કર્યો. ત્યારે સીતામાતા એ વાત થી પ્રફુલ્લિત થઇ ગયા કે તેની પૂજા અને પિંડદાન નો રાજા દશરથે સ્વીકારી લીધી.
પરંતુ તેની સાથે એના મન માં એ ભય પણ હતો કે ભગવાન રામ આ વાત માનશે નહીં, કારણ કે પુત્ર ના હાથે થયેલ પિંડદાન નો જ સ્વર્ગસ્થ પિતા સ્વીકાર કરે છે. અને તેના સિવાય કોઈ ના હાથે સ્વીકાર થતો નથી. બધી વિધિ વિધાન પૂર્ણ થયા બાદ ભગવાન રામ અને લક્ષમણજી બ્રામ્હણ એ કહેલી વસ્તુ લઇ અને આવે છે.
ત્યારે સીતામાતા એ કહ્યું કે સમય નીકળી રહ્યો હતો, મેં મારા હાથે જ પિંડદાન કર્યું છે. પણ ભગવાન રામ અને લક્ષમણજી એ વાત માનવા માટે તૈયાર નહોતા કે પુત્રની હાજરી વિના અને જરૂરી સામગ્રી વિના પિંડદાન કેવી રીતે સ્વીકાર થઇ શકે?
ત્યારે સીતામાતા એ કહ્યું કે અહીંયા ઉપસ્થિત ફાલ્ગુ નદી, તુલસી, કાગડો, ગાય, વટવૃક્ષ અને બ્રાહ્મણ મારા દ્વારા કરેલા પિંડદાન ના સાક્ષી છે, ત્યારે ભગવાન રામે આ બધાને પિંડદાન કરવાની વાત સાચી છે કે નહિ? એ બાબતે પૂછ્યું... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે ફાલ્ગુ નદી, ગાય, કાગડો, તુલસી, અને બ્રાહ્મણ આ બધા એ ભગવાન રામ નો ક્રોધ જોઈ ને ખોટું બોલ્યા અને કહ્યું કે સીતામાતા એ પિંડદાન કર્યું નથી, ફક્ત એક વટવૃક્ષે જ સાચું કહ્યું કે હા સીતામાતા એ પિંડદાન કર્યું છે.
બીજા પાંચેય સાક્ષી દ્વારા ખોટું બોલવાથી સીતામાતા એ પાંચેય ને આજીવન શ્રાપ આપી દીધો, જેમાં ફાલ્ગુ નદી માં પાણી રહેશે નહિ. તે ખાલી નામ ની જ નદી રહેશે જે નદી આજે પણ સૂકી હોય છે. અને તેનું બધું પાણી જમીનમાંથી વહે છે, જોકે તાજેતરમાં થયેલા ફેરફારો અને અમુક મીડિયા રિપોર્ટ અનુસાર માનીએ તો ફાલ્ગુ નદી હવે આ શ્રાપમાંથી મુકત થઈ છે.
ગાય ને શ્રાપ આપ્યો કે તે પૂજનીય રહેવા છતાં તેના પુંછડાને પવિત્ર માનવામાં આવશે, અને તેની પૂજા કરવામાં આવશે. અને ખાવા માટે આમ તેમ ભટકવું પડશે. આજે પણ આપણે ગાય ના પૂંછડે થી પૂજા કરીયે છીએ.
સીતા માતા એ બ્રાહ્મણ ને શ્રાપ આપ્યો કે ક્યારેય સંતુષ્ઠ નહિ થાય, ગમે તેટલું ધન મેળવશે પણ, તેની દરિદ્રતા હંમેશા બની રહેશે, સીતામાતા એ તુલસી ને શ્રાપ આપ્યો હતો કે તે ક્યારેય ગયા ની માટી માં ઉગી શકશે નહિ, અને આજે પણ ગયા ની માટી માં તુલસી ઉગી શકતા નથી.
અને કાગડા ને હંમેશા લડાઈ ઝગડો કાર્ય પછી જ ખાવાનું ખાઈ શકશે, એક બીજા પાસેથી ઝૂંટવી ને પછી જ ખાઈ શકશે. આજે પણ કાગડો ક્યારેય એકલો ખાવાનું ખાઈ શકતો નથી.
સીતામાતા દ્વારા આ પાંચેય ને અપાયેલ શ્રાપ નો પ્રભાવ હજુ સુધી પાંચેય માં મળી આવે છે અને સાચું બોલવા ના બદલ માં વટવૃક્ષ ને લાંબા આયુષ્ય ના આશીર્વાદ આપેલા અને પતિવ્રતા સ્ત્રી તેનું સ્મરણ કરી ને તેના પતિ ના દીર્ઘાયુ ના આશીર્વાદ મેળવશે. જય સીતારામ.