સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ઘરની શું જરુર છે, આ વેંચી નાખો... તો પતિએ પત્નીને જવાબમાં એવું કહ્યું...
તપતા સૂરજના મધ્યમ કિરણો બારીમાંથી રૂમમાં પ્રસરી રહ્યા હતા જ્યારે વિવેક અને માહી પોતાના મમ્મીના ઘરે પહોંચ્યા, સરપ્રાઈઝ આપવા માટે પહેલા કોઈને જણાવ્યું નહોતું કે તેઓ આવી રહ્યા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માહી પણ બજારમાંથી મીઠાઈ અને નાની એવી કેક લઈને આવી હતી, દરવાજે પહોંચીને ડોરબેલ વગાડી એટલે થોડા સમય પછી દરવાજો ખુલ્યો, કોણ છે એવા શબ્દો સામે ઊભેલા સુનિતાબેન બોલ્યા દરવાજો આખો ખૂલ્યો કે તરત જ વિવેક અને માહી દેખાઈ ગયા, તેના ચહેરા ઉપર તરત જ મુસ્કાન આવી ગઈ.
માહી પણ તેની સાસુને જોઈને હરખાઈ ગઈ, ગળે લગાડીને કહ્યું મમ્મી, સરપ્રાઈઝ! આજે અમે તમને સરપ્રાઈઝ આપવા માટે આવ્યા છીએ. શેની સરપ્રાઈઝ? અરે તમારો આજે જન્મદિવસ છે, એટલે જ તો અમે આજે સવારે વહેલા નીકળી ગયા હતા.
કેક કટીંગ કરીને જન્મદિવસ ઉજવ્યો, સુનિતાબેન ને આ બધું ઓછું અનુકૂળ આવતું તેમ છતાં દીકરા વહુનું માન રાખવા માટે તેઓએ થોડી કેક ખાઈ લીધી, કંઈ કામ હોવાથી તેઓ પાછા રૂમમાં ચાલ્યા ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વિવેક અને માહી ત્યાં હોલમાં રહેલા સોફા ઉપર બેઠા હતા,. ઘણા દિવસે તેઓ તેના મમ્મીના ઘરે આવ્યા હતા. સરપ્રાઈઝ પણ આપી દીધી પરંતુ સરપ્રાઈઝ નો જશ્ન લાંબા સમય સુધી ચાલ્યો નહીં, ચા પીતા વખતે વાતોનો રુખ અચાનક જ તે જુના પરંતુ મજબૂત મકાનની બાજુ ચાલ્યો ગયો. જ્યાં સુનિતાબેન એકલા જ રહેતા હતા.
ચા ની ચુસકી લેતા લેતા માહી એ અચાનક કહ્યું વિવેક, આપણે મમ્મીનું આ ઘર વેચી નાખીએ તો? એની બદલામાં એક નાનો ફ્લેટ લઈ લઈએ, થોડા પૈસા પણ બચી જશે અને આ આવડું મોટું ઘર માતા એકલા રહે છે તો શું કામનું? અને સાથે સાથે ફ્લેટમાં કોઈ હેલ્પ કરવા વાળું પણ મળી રહેશે.
વિવેકનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. આ સાંભળીને વિવેક જગ્યા પરથી ઉભો થઈ ગયો અને તેની પત્નીને કહ્યું, શું કહી રહી છો માહી? તું આ ઘર વેચવાની વાત કરી રહી છે? પિતાના અવસાન પછી માતાએ જ ખૂબ જ મહેનત કરીને આ ઘરને બચાવ્યું છે, સાથે સાથે તેણે જ અમને ઉછેર્યા છે. માતાએ તેને બચાવવા માટે લોહી અને પરસેવો આપ્યો છે અને તું તેને વેચવાની વાત કરે છે? તેના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો.
માહી પણ ચોંકી ગઈ. તેણે વિચાર્યું ન હતું કે આ વાત વિવેકનેઆટલી બધી અસર કરશે, તે સમજાવવા માંગતી હોય કે બીજા કોઈ ઉદેશ્યથી પરંતુ તેને આ વાત આજે વિવેક સામે રાખી દીધી હતી. પણ વિવેકે વચ્ચેથી કહ્યું, આપણે મમ્મીનું ઘર નહીં વેચીએ, બરાબર? અહીં તે ખુશ અને સલામત છે. તેને બીજું કંઈ જ જોઈતું નથી.
ચર્ચા થોડી ઉગ્ર બની ગઈ હોવાથી આ બધી વાતચીત દીવાલની પહેલી બાજુ રૂમમાં રહેલા સુનીતાબેન ને સંભળાઈ રહી હતી,. આંસુ તેની આંખોમાંથી ચમકી રહ્યા હતા, પરંતુ ચહેરા પર ખુશીની ઝલક હતી. દીકરાએ કહેલા શબ્દને કારણે તેનું દિલ ભરાઈ આવ્યું હતું. તેને અહેસાસ થયો કે તે ભલે એકલા રહેતા હોય પરંતુ એકલા છે નહીં.
તેની પાસે એ દીકરો અને વહુ હતા જે તેઓની એવી જ સંભાળ રાખી રહ્યા હતા, જેવી સંભાળ તેઓએ તેની રાખી હતી. એ રાત્રે વિવેક અને માહી તે માતાના ઘરે જ સૂઈ ગયા. માહીને પોતાની ભૂલનો અહેસાસ પણ થઈ ગયો, મોડી રાત સુધી તેને નીંદર પણ નહોતી આવી.
સવારે તૈયાર થઈને દર્શન કરીને નીકળતી વખતે સુનિતાબેન ને ભેટી પડી અને રડતા રડતા બોલી રહી હતી કે મમ્મી, મને માફ કરજો આ ઘર વેચવાનો વિચાર જે મને આવ્યો હતો તે બિલકુલ ખોટો હતો, આવું મારે ન કહેવું જોઈએ.
સુનીતા બેનએ માહીને પોતાની નજીક ગળે લગાવી અને કહ્યું “બેટા, એવું જરૂરી નથી કે દરેક બલિદાન દેખાય. ક્યારેક તો તે માત્ર અંદરથી જ અનુભવાય છે. તમે બંને મારી સાથે છો બસ એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે. આ ઘર વેચવાની કોઈ જરૂર નથી. આપણા ત્રણનો પ્રેમ આ ઘરની જાણે રોનક છે.
વિવેક અને માહી બંને સમજી ગયા કે તેમની માતા શું કહે છે. તે દિવસે તે શીખ્યો કે બલિદાન બતાવવાની જરૂર નથી, તે ફક્ત હૃદયથી અનુભવાય છે. અને તમારા સંબંધને જીવંત રાખવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે એકબીજા પ્રત્યે આદર અને સમર્પણ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ સ્ટોરી એટલું તો શીખવી જાય છે કે સંબંધોમાં ભૂલો થવી સ્વાભાવિક છે, પરંતુ તેને સુધારવાનો પ્રયાસ કરવાથી જ તે મજબૂત બને છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.