સસરાએ એક વહુને ગૃહલક્ષ્મી કહ્યું એટલે તરત બીજી ત્રણ વહુઓએ પૂછ્યું, તમે તેને ગૃહલક્ષ્મી કેમ કહ્યું? સસરાનો જવાબ સાંભળી બીજી વહુઓ...
અશોક મહારાજ કાશી માં સંસ્કૃત અને વિધિ વિધાન નું જ્ઞાન લઇ ને પોતાના ગામ આવ્યા હતા. પરંતુ ગામ નાનું હોવાથી તેને આ ભણતર નો ખાસ કંઈ ફાયદો થતો નહિ. અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી જે પણ કાર્ય કરવાનું હોય તે કરી આપતા પોતે બહુ જ્ઞાની હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ તેમના જ્ઞાનની અહીંયા કોઈ ને કઈ કિંમત નહોતી, અશોક મહારાજ ના લગ્ન પણ મોટી ઉંમરે થયા. લગ્ન પછી પાંચવર્ષ પછી તેઓના ઘરે એક દીકરીનો જન્મ થયો. આ દીકરીનું નામ આરતી પાડવામાં આવ્યું. આરતી બોલવાનું મોડું શીખી હતી. એકની એક દીકરી હોવાથી તેનો ખૂબ જ લાડકોડથી ઉછેર થયો હતો.
આરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. સ્કૂલનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેના મામાને ત્યાં ભણવા માટે જતી રહી હતી. મામાને ત્યાં તેનું ભણતર પૂરું થયું. એવામાં તેની ઉંમર પણ લગ્નને લાયક થઈ ગઈ હોવાથી તેના પિતાએ યોગ્ય પાત્ર શોધી ને પરણાવવાનું નક્કી કર્યું. પરંતુ તે ગામડા માં રહેતા હોય તે અને પોતાની નબળી આર્થિક પરિસ્થિતિ લગ્ન નક્કી કરવામાં અવરોધ ઊભા કરતી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
દીકરીની માતા તો એવું ઇચ્છતી કે દીકરીના લગ્ન શહેરમાં સારી નોકરી કરતા છોકરા સાથે કરવામાં આવે. પરંતુ તેને કોઈ છોકરો હા પાડતો જ નહીં. જ્યારે પણ કોઈ આરતી ને જોવા માટે આવે ત્યારે દીકરી ના શ્રેષ્ઠ ભણતર વિશે તેમજ દરેક ક્ષેત્રના વખાણ કરે પરંતુ લોકોને જાણે તેનાથી કંઈ લેવા દેવા ન હતું.
દીકરી લગ્નમાં શું દહેજ લઈને આવશે અને લગ્નમાં જમાઈને શું મળશે બસ આટલે થી જ બધી વ્યવહારિક વાત અટકી જતી હતી. અને એટલા માટે જ તેના લગ્ન કરાવવા તે હવે માતા-પિતા માટે ચિંતાનો વિષય થઈ ગયો હતો.
તેઓ પાસે ત્રણ ગાય હતી અને થોડી ખેતી પણ હતી. જેમાં અશોકભાઈ માણસો રાખીને ખેતી કરાવતા. તેમાંથી થોડી આવક પણ થઈ જતી અને દીકરી પણ ઘરકામમાં હોશિયાર હોવાથી ગાયની સેવા કરવી, દૂધ કાઢવું વગેરે કામ પણ કરતી.
એક દિવસ અશોક મહારાજ ને ત્યાં શહેર માંથી બીજા કર્મકાંડી બ્રાહ્મણ પાસેથી સરનામું લઇ ને એક વ્યક્તિ આવે છે. અને ધાર્મિક વિધિ અંગે લગભગ બે કલાક સુધી ચર્ચા થઇ. આ બે કલાક માં તે આરતી ના સંસ્કાર જોઈને ખૂબ જ પ્રભાવિત થયા. અને અશોક મહારાજ ને પૂછ્યું આ તમારી દીકરી છે? ત્યારે તેના જવાબમાં કહ્યું હા અને પછી તે આરતી ના લગ્ન ની વાતો કરવા મંડ્યા કે સારું ઘર મળી જાય એટલે આરતી ના લગ્ન કરી દેવા છે. પણ દહેજ કેટલું આપશો એમાં જ આરતી નું કાર્ય અટકી જાય છે.
આ વાત સાંભળતા જ આવેલ ભાઈ ને જાણે વાત કરવાનો મોકો મળી ગયો અને કહ્યું કે તમારી ઇરછા મુજબ નો છોકરો છે, પણ શહેર માં નથી. નાના ગામ માં છે. જેનું ભણવાનું તો પૂર્ણ થઇ ગયું છે પણ હજુ નોકરી શોધે છે. પણ ઘર માં સારું છે, ખેતીવાડી સારા છે, અને આર્થિક રીતે પણ તેઓ સદ્ધર છે.
ત્યારે અશોક મહારાજે કહ્યું કે હું મારી પાસે દેવા માટે ની સગવડતા ઓછી છે. હું મારી રીતે જેટલું કરી શકું તેટલું કરીશ, ત્યારે આવેલ ભાઈ એ કહ્યું કે મારે ચાર દીકરા છે અને ચારેય ને ભણાવ્યા છે જેમાંથી ત્રણ ના લગ્ન થઇ ગયા છે. અને બધા અલગ અલગ શહેર માં રહે છે. અને ચોથા નંબર નો દીકરો જેનું ભણવાનું પૂર્ણ થયેલ છે. અને અત્યારે ગામ ની સ્કૂલ માં નોકરી કરે છે. પણ ભવિષ્યમાં તેને સરકારી સ્કૂલ માં નોકરી મળી જશે.
મેં ત્રણ છોકરા ના લગ્ન માં ખુબ દહેજ લીધું છે, પણ મેં કે મારી પત્ની એ હજુ સુધી વહુ ના હાથ નો ચા પણ પીધો નથી. ત્રણેય વહુ શહેર ની છે. અને એકેય વહુ ને ભોજન બનાવતા કે ઘર નું કોઈ કામ આવડતું નથી. ગાય ની સેવા કરવાથી નફરત છે, અને જયારે ગામ માં રહેવા આવે તો મહેમાન ની જેમ રહે, અને બધા ઉપર હુકમ કર્યે રાખે, ટીવી જોયે રાખે અને મોબાઈલ લઇ ને બેસી રહે અને હવે મારા ઘર માં તમારી આરતી અમારા ઘર ની વહુ તરીકે જોવા ની આશા રાખું છું.
હું હમણાં જ આવું છું તેમ કહી અને અશોક મહારાજ અંદર ગયા. અને પત્ની સાથે વાત કરી ત્યારે આરતી પણ ત્યાં જ ઉભી હતી, બંને ની સહમતી લઇ ને અશોક મહારાજ પાછા આવ્યા. અને પાછળ પાછળ આરતી ચા નાસ્તો લઇ ને આવી. બંને પક્ષે વાત પાક્કી થઈ ગઈ. અને આરતી ના હાથ માં શુકન આપી ને રવાના થયા.
બે દિવસ પછી છોકરા છોકરીને મેળવવામાં આવ્યા અને એકબીજાને પસંદ કરતા ની સાથે બંનેની સગાઇ કરી નાખવામાં આવી. સગાઈ કર્યા પછી થોડા સમય પછી લગ્નનું પણ નક્કી કરવામાં આવ્યું. જોતજોતામાં બંનેના લગ્ન પણ થઇ ગયા.
આરતી તેના સાસરે ગઈ પછી ત્યાં તો જાણે નસીબ પર થી પાંદડું ખસી ગયું હોય એમ ઘરના કામકાજ માં બધે આરતી સાથ દેતી, ગાય ની સેવા હોય, ઘરકામ હોય, કે રસોઈ નું કામ હોય. બધા કામ આરતી ખૂબ જ સારી રીતે કરતી.
તેના પતિને પણ સારી નોકરી મળી ગઈ. એક વખત ચારે વહુઓને હાજરીમાં આરતી ને તેના સસરા એ ગૃહલક્ષ્મી કહેતા તેની બીજી ત્રણેય વહુ નારાજ થઈ ગઈ. અને બોલી કે અમે આટલું દહેજ લઇ ને આવી. અને આરતી તો એવું કંઈ નથી લાવી, તો તમને એમાં ક્યાં ગૃહલક્ષ્મી દેખાય ગઈ? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે તેના સસરા એ એટલું જ કહ્યું કે આરતી ના આવવાથી તેના પતિ ને સારી નોકરી મળી ગઈ, તેના પગલે ઘરમાં બધી વાત માં આનંદ થઈ ગયો છે. જે તમે ત્રણ માંથી એકેયે કોઈ દિવસ બધા રાજી રહે એવું કઈ કર્યું નથી. અને એટલા માટે જ સાચા અર્થમાં આરતી જ ગૃહલક્ષ્મી છે. બધી વહુઓના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.