સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની આ વાત લગભગ કોઈ નહીં જાણતા હોય, કનૈયાલાલ મુનશીને પ્રતિનિધિ તરીકે હૈદરાબાદ મોકલીને પોતે રેડિયોના પ્રસારણમાં કહ્યું…
તમને બધાને તમારા અધ્યક્ષ ને ફાટેલા અને થીગડાં મારેલા કુર્તા માં જોઈ ને શરમ તો નહિ આવે ને? આ શબ્દ ત્યારે બોલેલા જયારે સરદાર વલ્લભભાઈ પટેલ દિલ્હી વિશ્વવિદ્યાલય ના છાત્ર સંઘ ના અધ્યક્ષ હતા.
અને તેને વાર્ષિક ઉત્સવ ની અધ્યક્ષતા કરવાનો આગ્રહ કર્યો હતો ત્યારે સરદાર વલ્લભભાઈ પાસે ત્રણ કુર્તા હતા. અને બધા માં ક્યાંક ને ક્યાંક થીગડાં મરેલા હતા, અંતે તેને કહ્યું કે એક કુર્તા માં પીઠ ઉપર થીગડું મારેલું છે, પરંતુ તેની પર શાલ ઓઢી ને આવી જઈશ. જેથી થીગડું છુપાવી શકાય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ પરિસ્થિતિ માં તેને તેની દીકરી મણિ ને કહ્યું કે દૂધ ના વપરાશ માં કાપ મૂકી ને આવતા મહિને એક નવો કુર્તો બનાવવો છે, આમ તો તેના પગાર નો મોટો ભાગ વિધવા આશ્રમ માં સહાય માં ચાલ્યો જતો હતો. અને ફક્ત એકસો રૂપિયા માં જ ઘર ખર્ચ ચાલતું હતું.
એક મહાન માણસ ના ત્યાગ અને તપસ્યા નો પ્રતાપ હતો કે જોત જોતા માં બધા દેશી રજવાડા ને ભારતીય સંઘમાં ભેળવવા નું અદ્વૈત કાર્ય કર્યું હતું. પરંતુ જ્યારે હૈદરાબાદ ના કાસીમ રિજવી એ થોડા નાટક કર્યા ત્યારે કનૈયાલાલ મણિલાલ મુનશી ને પોતાના પ્રતિનિધિ તરીકે હૈદરાબાદ મોકલેલા.
અને સાંજે રેડિયો ના પ્રસારણ માં હુકમ કર્યો કે રિજવી એ મારા પ્રતિનિધિ સાથે કોઈ પણ જાતનો દુર્વ્યવહાર કર્યો, તો હું હૈદરાબાદ નું નામ દુનિયા ના નકશા માંથી મિટાવી દઈશ આ સાંભળતા જ રિજ્વી એ હથિયાર હેઠા મુક્યા.
સરદાર વલ્લભભાઈ પટેલ માટે એવું કહેવાય છે કે જયારે તે રેડિયો પર બોલતા હોય ત્યારે બ્રિટન ના પ્રધાનમંત્રી ચર્ચિલ પણ રેડિયોમાં તેને સાંભળવા માં મશગુલ થઈ જતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રાષ્ટ્ર નિર્માણ માં પોતાનું જીવન ખપાવી દેનાર અને આવા તો અનેક ઉદાહરણ તેમના જીવન માંથી ડગલે અને પગલે આપણને મળે આપણા ભારત ના સરદાર વલ્લભભાઈ પટેલ ને તેની જન્મ જયંતિ ના દિવસે શત શત વંદન… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો તમે સરદાર પટેલના આવા બીજા રસપ્રદ અને ગૌરવવંતા કિસ્સાઓ વાંચવા માંગતા હોય તો અમને કમેન્ટ કરીને જાણ કરજો, જેથી આવા અનેક બીજા કિસ્સાઓ શેર કરીએ.