રાજાને બે વ્યક્તિએ એક જ સરખી વાત કરી તેમ છતાં એક વ્યક્તિને સોનામહોરો આપી તો બીજાને જેલભેગો કરી દીધો કારણકે...

એક વખત એક રાજા ને સપનું આવ્યું કે તેના બધા દાંત અચાનક તૂટી ગયા અને તેના મોઢામાં આગળનો એક મોટો દાત જ બચ્યો હતો. રાજા ને થયું કે આ સપનાનો શું મતલબ હશે એટલે સવારે રાજાએ દરબારમાં પોતાનું સપનું સંભળાવજો અને તેનું ફળ શું હશે.

કોઈને ફળાદેશ ખબર તો નહોતી પરંતુ મંત્રીઓ એવી સલાહ આપી કે આપણે સપનાના વિશેષજ્ઞો ને બોલાવીને આ સપનાનો ફળાદેશ પૂછવો જોઈએ. એટલે રાજ્યમાં એવી જાહેરાત કરવામાં આવી કે જે પણ કોઈ, વિદ્વાન, જ્ઞાની રાજા અને તેના સપના નું પરિણામ જણાવશે તેને યોગ્ય ઇનામ આપવામાં આવશે.

આખા રાજ્યમાં આ સમાચાર પ્રસરી ગયા એટલે ઘણા લોકો દરબારમાં આવ્યા પરંતુ રાજાને કોઈના પણ જવાબ થી સંતોષ થયો નહીં.

એક દિવસ એક વિદ્વાન માણસ દરબારમાં આવ્યો જેને કાશીથી પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી દરબાર માં આવીને કહ્યું મહારાજ હું તમારા સપના નો સાચો ફળાદેશ જણાવી શકું છું. રાજા સહિત તમામ દરબારીઓ એ વ્યક્તિ તરફ કુતૂહલથી જોવા લાગ્યા. રાજાએ પોતાનું સપનું સંભળાવ્યું અને પછી કહ્યું કે જણાવો ભાઈ મારા આ સપનાનો શું ફળાદેશ હોઈ શકે છે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પેલી આવેલી વ્યક્તિએ કહ્યું મહારાજ તમારું સપનું ખૂબ જ બેકાર છે આ સપના ના ફળ સ્વરૂપે તમારા સામે જ તમારા પરિવારના બધા સભ્યો મરી જશે અને તમે સૌથી છેલ્લે બધા સભ્યો ગુમાવ્યા પછી મૃત્યુ પામશો. આ સાંભળીને રાજા ને ગુસ્સો આવી ગયો અને એ ગુસ્સો એ હદે વધી ગયો કે તરત જ એ વ્યક્તિને બંદી બનાવી દીધો અને જેલમાં ધકેલી દીધો.

થોડા દિવસો પસાર થયા પછી ફરી પાછો એક સાધારણ માણસ તે દરબારમાં આવ્યો અને બોલ્યો મહારાજ તમે મને તમારું સપનું જણાવો હું તેનો સાચો ફળાદેશ ભણાવવાની કોશિશ કરીશ. રાજાએ પોતાનું આખું સપનું સંભળાવ્યું સપનું સાંભળીને એ વ્યક્તિ થોડો વિચારમાં પડી ગયો થોડો વિચાર કર્યા પછી તે વ્યક્તિએ રાજાને કહ્યું મહારાજ તમને ખૂબ જ સારું સપનું આવ્યું છે, પ્રજાજનો ઉપર ભગવાનની વિશેષ કૃપા છે કે તમારા જેવા ધર્માત્મા સદાચારી અને પ્રજાપાલક રાજા અમને મળ્યા અને તમને ભગવાને દીર્ઘ આયુષ્ય આપ્યું છે. મહારાજ તમે તમારા પરિવારમાં સૌથી લાંબું જીવશો અને આ રાજ્યનું સૌભાગ્ય છે કે તમે વરસો સુધી આ રાજ્યમાં રાજ કરશો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સપનાનો આવો ફળાદેશ સાંભળીને રાજા એકદમ ખુશ થઈ ગયા અને તે વ્યક્તિ પ્રત્યે પોતાની ખુશી વ્યક્ત કરી. તે વ્યક્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું તેમજ એ વ્યક્તિને ઘણી સોનામહોરો આપી. અને ધન પણ આપ્યું.

હવે અહીં બંને વ્યક્તિઓએ સપનાનું એક જ પરિણામ કહ્યું કારણ કે બંનેના સપનાના ફળાદેશ નો અર્થ તો સમાન જ હતો. છતાં પણ એક વ્યક્તિને કેદ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો તો બીજાને વિશેષ માન સન્માન સાથે સોનામહોરો તેમજ સંપત્તિ મળી. આવું કેમ થયું?

કારણકે એક વ્યક્તિ મહાન વિદ્વાન હોવા છતાં તેના જવાબ અને વાણીમાં ઉચિત શબ્દ નો ઉપયોગ ન કરી શક્યો જ્યારે અન્ય વ્યક્તિ ખૂબ જ સાધારણ હોવા છતાં તેના જવાબ અને વાતચીતમાં યોગ્ય અને સાચા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

આપણી રોજબરોજની બોલી વાણી વાતચીત અને વર્તનમાં વિશેષ મહત્વ હોય છે. યોગ્ય આ દર્દ ભર્યા શબ્દોનો ઉપયોગ કરીને મીઠું તેમજ નમ્રતાથી બોલીને આપણે દુશ્મન ના મનમાં પણ પ્રેમ ભરી શકીએ છીએ અને એવી જ રીતે જો ખોટા શબ્દો તેમજ અસભ્ય શબ્દોનો ઉપયોગ કરીએ તો આપણા પ્રિયજનોના હૃદયમાં પણ નફરત પેદા કરી શકીએ છીએ.

એટલા માટે જ વ્યક્તિએ હંમેશા પોતાના બોલવામાં, માન-સન્માન દેવામાં અને વર્તનમાં યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તેમજ પોતાની ભાષામાં મધુરતા રાખવી જોઈએ.

કદાચ એટલા માટે જ કહેવાતું હશે કે વ્યક્તિની પ્રથમ ઓળખ તેની વાણી અને તેના શબ્દો તેમજ તેના વર્તનથી થાય છે કે આ વ્યક્તિ કેવી છે અને તેનું વ્યક્તિત્વ કેવું છે?

કોઈપણ વ્યક્તિ માં 100 ગુણો હોવા છતાં જો અસભ્ય અથવા અસત્ય બોલવાનો એક પણ અવગુણ હોય તો આ એક અવગુણ જ તેના 100 ગુણોનો નાશ કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો તેમજ આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team