પ્રજા કેટલી જાગૃત છે તે જોવા માટે રસ્તા વચ્ચે રાજાએ પથ્થર રાખ્યો, એ પથ્થર કોઈએ ના હટાવ્યો પછી એક ખેડૂત આવ્યો અને એ પથ્થર હટાવ્યો તો, તેની નીચેથી એવું નીકળ્યું કે…
આ વાત ઘણા જૂના જમાનાની છે, એક રાજા પોતાની પ્રજા માટે તેમજ પ્રજાના સુખ સગવડ માટે દિવસ-રાત મહેનત કરીને અનેક પ્રકારના આયોજન કરતા. જેથી આવનારા સમયમાં તેની પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અને પ્રજા પોતાનું કામકાજ સુખેથી તેમજ શાંતિથી કરી શકે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ઘણી વખત આ રાજા છૂપા વેશમાં પ્રજા તેના વિશે શું કહે છે તે જાણવા માટે નીકળતા, અને પ્રજા પાસેથી પોતાના વિશે જાણીને જરૂર પૂર્વક પોતાના માં ફેરફાર પણ કરતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આવી જ રીતે એક દિવસ રાજાને થયું કે પ્રજાને કોઈ તકલીફ પડે તો તે મારી પાસે આવવાની છે પરંતુ અત્યારે પ્રજાને તકલીફ ન પડે તે માટે લગભગ બધું કામ થઈ રહ્યું છે, એટલે પોતે પ્રજા કેટલી જાગૃત છે તેના પોતાના પ્રશ્નોને લઈને તે જોવા માટે છૂપા વેશે ગામમાં જવાનું નક્કી કરે છે.
રાજા રાત્રિના સમયે ગામની બહાર જવાના રસ્તા પર પહોંચી જાય છે, ત્યાં એક ખૂબ જ મોટો પથ્થર રસ્તા પર મૂકી દે છે અને બાજુમાં રહેલા વૃક્ષ પાછળ છુપાઈને બધું જોવા લાગે છે કે લોકોની પ્રતિક્રિયા કેવી છે.
ગામના લોકો બહાર જવા માટે એ જ રસ્તા ઉપરથી પસાર થતા હતા, બધા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા આ પથ્થર રસ્તાની એક્સાઇડ રાખવામાં આવેલ હતો, પરંતુ જે લોકો ત્યાંથી પસાર થાય એ પથ્થરની બાજુમાં રહેલા બીજા રસ્તામાં થઈને જતું રહે.
પ્રજામાંથી કોઈએ તે પથ્થર હટાવવાનો વિચાર ન કર્યો. અને તેથી ઊલટું અમુક લોકો તો ત્યાંથી જતી વખતે રાજાને દોષ દેવા લાગ્યા કે અહીં આટલો મોટો પથ્થર રસ્તા ઉપર પડ્યો છે પરંતુ રાજાને પ્રજાની કંઈ પડી નથી. આ રસ્તા સાફ કરાવીને રાજા એ પથ્થરો હટાવવા જોઈએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રાજા વૃક્ષ પાછળ છુપાઈને બધું સાંભળી રહ્યા હતા, એવામાં એક ખેડૂતો ત્યાંથી પસાર થયો. ખેડૂત પોતાનું ગાડુ લઈને ખેતરમાં ખેતી કરવા માટે જઈ રહ્યો હતો, તેનું ધ્યાન તરત જ રસ્તામાં પડેલા પથ્થર પડ્યો. તેને ગાડુ રસ્તાની સાઇડમાં રાખીને પથ્થર પાસે આવીને પથ્થર હટાવવા લાગ્યો, પથ્થર ખૂબ જ મોટો હોવાથી ખૂબ જ મહેનત ની જરૂર પડે તેવું હતું.
આજુ બાજુમાં કોઈ માણસોનો હતું તેમ છતાં તે ખેડૂતે અંતે મહા મહેનતે તે રસ્તામાંથી પથ્થર હટાવ્યો. અને રસ્તાની સાઇડમાં કોઈને નડે નહીં તેમ રાખી દીધો. અને ફરી પાછો ગાડામાં બેસવાની જઈ રહ્યો હતો ત્યાં જ તેનું ધ્યાન પડ્યું કે જે જગ્યાએથી પથ્થર હટાવ્યો ત્યાં એક પોટલી પડી છે, આ પોટલી ખોલી ને જોયું તો તેમાં સોના મહોરો રાખેલી હતી.
ખેડૂતે આ પોટલી લઈને તેની પાસે સાચવીને રાખી દીધી, અને ફરી ગાડુ લઈને પોતાના ખેતરમાં કામ કરવા માટે જવા લાગ્યો. આ બધું રાજા વૃક્ષ પાછળ છુપાઈને જોઈ રહ્યા હતા. અને તેને એ વાતનો સંતોષ થયો કે ભલે ઘણા લોકો તેનો વાંક કાઢી ને ચાલ્યા ગયા હોય પરંતુ આ એક ખેડૂતે પોતાની ફરજ સમજીને રસ્તા નો પથ્થર રસ્તાની સાઈડમાં કરી નાખ્યો.
બીજા દિવસે રાજા જ્યારે પોતાના દરબારમાં બેઠા હતા ત્યારે બધા લોકો સાથે પથ્થર ની વાત કરતા હતા એવામાં જ અચાનક એક વ્યક્તિ દરબારમાં દાખલ થાય છે, રાજા તરત જ તેને ઓળખી ગયા કે આ એ જ ખેડૂત છે. જેને ગઈકાલે પથ્થર હટાવ્યો હતો.
એક ખેડૂત રાજા પાસે આવ્યા છે અને રસ્તામાં પથ્થર નીચે છુપાવેલી સોના મહોરો રાજાને આપતા કહે છે કે ગઈકાલે રસ્તામાં પથ્થર પડ્યો હતો જે હટાવ્યો ત્યારે મને આ પોટલી મળી છે જેમાં સોનામહોર પડી છે. રાજા તેની ઈમાનદારીથી અનેક ઘણા પ્રભાવિત થઈ ગયા, તેના ગામના લોકોને ચાલવામાં તકલીફ ન પડે એટલે તે ખેડૂતે લોકો પ્રત્યે પ્રેમ દર્શાવીને આ પથ્થર દૂર કર્યો હતો.
રાજા એ બધું તેની નજર સમક્ષ જોયું હતું, ખૂબ જ પ્રભાવિત થઈને ખેડૂતનું રાજાએ સન્માન કર્યું. અને તેની પાસેથી પોટલી લઈને તેમાં અનેક બીજી સોનામહોરો નાખીને ફરી પાછી તે પોટલી તેને ભેટ સ્વરૂપે આપતાં કહ્યું કે રાજા ગમે તેટલું કામ કરે પરંતુ પ્રજાની પણ ફરજ અને જવાબદારી છે કે ગામ લોકોને પડતી તકલીફ માં પોતે પણ સાથ સહકાર આપે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.