પતિએ પત્નીને પૂછ્યું તું આટલા વર્ષોથી ઘરનું બધું કામ કરી રહી છે તને કોઈ દિવસ કામ બાબતે ચિંતા નથી થતી? ત્યારે પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિ…

રમણીકભાઈ નું વ્યક્તિત્વ અત્યંત ચિંતાળું હતું, તેનો સ્વભાવ જ એવો હોવાથી કોઈપણ નાની વાત હોય તો પણ તેઓને તેમાં ખૂબ જ ચિંતા થવા લાગતી. નોકરી કરીને ફરી પાછા ઘરે આવે ત્યારે પણ તેઓ હંમેશા ઓફિસના કામમાં ખોવાયેલા હોય અથવા તેના વિચારો એટલા બધા આવતા હોય કે તેને કોઈ ને કોઈ વાતની ચિંતા થતી રહે અને ઘરના સભ્યો સાથે આનંદથી રહી પણ ન શકતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા સમય તો આવું બધું ચાલતું રહ્યું ધીમે ધીમે રમણીકભાઈ ના માથામાં દુખાવો થવા લાગ્યો, એટલે ફેમિલી ડોક્ટર ની પાસે જઈને દેખાડ્યું ત્યાર પછી લગભગ ઘણા બીજા ડોક્ટરોને બતાવ્યું મગજના સ્પેશિયલ ડોક્ટર ને પણ બતાવ્યું, અનેક રિપોર્ટ કરાવ્યા પરંતુ શરીરમાં કોઈ જ ખામી નહીં.

બધા ડોક્ટરનું કહેવાનું અંદાજે એટલું જ થતું કે રમણીકભાઈ ના શરીરમાં કોઈ જાતની ખામી નથી, અને દરેક ડોક્ટર તેને માનસિક રીતે હળવા રહેવા માટે સલાહ આપતા અને સૌથી અગત્યની સલાહ બધા એ જ આપી કે તમે ચિંતા ઓછી કરો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ રમણીકભાઈ નું વ્યક્તિત્વ જ એવું હોવાથી તે વાતવાતમાં ચિંતા કરવા લાગતા, એક દિવસની વાત છે જ્યારે રમણીકભાઈ ઘરે બપોરે જમીને ફળિયામાં હિંચકા પર બેઠા હતા.

અને ત્યાં બાજુમાં જ વોશ એરિયા હોવાથી તેના પત્ની ત્યાં વાસણ ઘસી રહ્યા હતા, તેનું ધ્યાન તરત જ પત્ની તરફ ગયું તેને જોયું કે સવારના અને બપોરના એમ કુલ મળીને અનેક વાસણ ત્યાં ભેગા થઈ ચૂક્યા હતા, પરંતુ પત્ની ભજન ગાતા ગાતા બધા વાસણ ધોઈને તેને એક કપડાથી સાફ કરી રહ્યા હતા.

અચાનક જ રમણીકભાઈ ને એક વિચાર આવ્યો, તે વિચારવા લાગ્યા કે ઘરનું બધું કામ કર્યા પછી પણ છેલ્લે આટલા બધા વાસણો સાફ કરવાના હોવા છતાં તેની પત્ની આનંદથી ભગવાનનું ભજન ગાતા ગાતા બધું કામ એકદમ સરળતાથી કરી રહ્યા હતા જાણે બીજી કોઈ તકલીફ જ ન પડી હોય, અને આ કામ તેઓ વર્ષોથી કરી રહ્યા હતા એ પણ કોઈ જાતની ફરિયાદ વગર.

તેને તેની પત્નીને પૂછ્યું તો આટલા વર્ષોથી ઘરનું બધું કામ કરી રહી છે તો તને કોઈ દિવસ ચિંતા નથી થતી કે આ કામ બધું કેવી રીતે પૂરું થશે અથવા આ કામ ક્યારે પૂરું થશે? ત્યારે પત્નીએ કહ્યું કે એવી ચિંતા કરીને ખોટો સમય બગાડવો તેનાથી સારું એ છે કે આપણે એ કામ ધ્યાનથી કરવા લાગીએ તો બને તેટલુ ઝડપી પૂરું થાય અને સાથે સાથે મગજમાં કોઈ જાતની ચિંતા પણ ન રહે.

થોડા જ સમય પછી રમણીકભાઈ પોતાના રૂમમાં અંદર જાય છે ત્યારે તેના ટેબલ માં રહેલા વધારાના કાગળ તે બહાર કાઢે છે, આ નકામા કાગળ ત્યાં પડ્યા પડ્યા જગ્યા રોકી રહ્યા હતા એટલે તેને બહાર કાઢીને બધા કાગળ ન કામ હોવાથી ફાડી નાખ્યા.

અચાનક જ તેને ફરી પાછો વિચાર આવ્યો કે હું ગઇ કાલની ચિંતા સાથે સાથે આજની અને આવતીકાલની ખોટી ચિંતા કરું છું, મારા કરતાં અનેક ગણો વધારે કામ મારી પત્ની કરે છે પરંતુ એને કોઈ દિવસ માથું દુખતું નથી. તેઓ પોતે એના જેટલું પણ કામ ન કરતા હોવા છતાં માથાનો દુખાવો થઈ ગયો.

બસ તે દિવસથી જ આ વિચાર આવ્યો એટલે રમણીકભાઈ નક્કી કર્યું કે પોતાના મનમાં રહેલા બધા જરૂરિયાત વગરના વિચારો ને અને નકામી ચિંતા ને તે નકામા કાગળ ની જેમ પોતાના મનમાંથી દૂર કરી નાખશે, થોડો સમય લાગ્યો પરંતુ થોડા સમય પછી જ તેઓની તબીયત માં સુધારો આવવા લાગ્યો અને થોડા જ સમયમાં જાણે ચમત્કાર થયો હોય તેમ તેઓ એકદમ સ્વસ્થ થઈ ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આપણા જીવન માં જે ચિંતાઓ વીતી ગઈ છે, તેના માટે આપણે કશું કરી શકીએ નહિ, એ બધી ચિંતા ને કચરા ટોપલી માં ફેંકી દેવી જોઈએ, ભવિષ્ય માટે ચિંતન કરવું પણ, ચિંતા કરવી નહિ. હજુ સુધી જગત માં કોઈ પણ વાત નો ઉકેલ ચિંતા કરવાથી આવ્યો નથી, અને ભવિષ્ય માં પણ આવશે નહિ, માટે કર્મ કરો અને ચિંતા છોડો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team