પતિ પત્નીનો ઝઘડો થયો એટલે પત્ની રીસામણે જતી રહી, 15 દિવસ પછી પતિ તેને તેડવા ગયો તો પત્નીએ એવું કહ્યું કે પતિ…
મયુરી ના લગ્ન થયાને આજે લગભગ 2 વર્ષ થઈ ચૂક્યા હતા. અને છ મહિના પછી ત્રીજું વર્ષ પણ પૂર્ણ થવાની તૈયારીમાં હતું. પરંતુ અચાનક જ તેને તેના પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થઈ ગયો અને આ ઝઘડો ખુબ જ વધવા લાગ્યો. ઝઘડો એટલો બધો વધી ગયો કે તે તેના પતિથી નારાજ થઈને પિયર આવી ગઈ.
પિયર આવી ને તરત જ બધી વાત કરી, બધા લોકોને જાણ થતા સગા સંબંધી પણ ત્યાં પિયરમાં તેને મળવા માટે આવ્યા. અમુક ખોટા સગાસંબંધીઓએ અને અમુક તેના પિયર ના લોકોએ તેને કહ્યું તે જે કર્યું છે તે ખૂબ જ બરાબર કર્યું છે. અને મયુરી પણ નારાજ થઈને અહીં પિયરમાં રિસામણે આવી ચૂકી હતી.
થોડા દિવસો સુધી તેના પતિના ઘણા ફોન આવ્યા હતા પરંતુ તેને એક પણ ફોન ઉપાડ્યો નહી, લગભગ બે અઠવાડિયા પછી પતિ તેને સમજાવીને પાછી લઈ જવા માટે મયુરી ના પિયર આવ્યા હતા, પરંતુ મયુરી એ પાછી જવાની ચોખ્ખી ના પાડી દીધી. અને આવેલા પતિ નું પણ અપમાન કરી નાખ્યું.
થોડો સમય વીત્યા પછી લોકોની વાતોમાં આવીને મયુરી એ તેના પતિ ઉપર દહેજનો ખોટો કેસ કર્યો. કેસ કરવાને લીધે પતિની ધરપકડ કરવામાં આવી, પતિ સાથે પુછતાછ પણ કરવામાં આવી. કોર્ટ કચેરીના ધક્કા ઓ શરૂ થઈ ગયા. પરંતુ થોડા સમય પછી જ તેના પતિ છૂટી ગયા કારણકે કેસ પહેલેથી જ ખોટો હતો.
પતિ તેને લેવા માટે તેના ઘરે આવ્યા હતા, પરંતુ ઊલટાનું માથે કેસ કરીને મયુરી આવું પગલું હશે તેવું તેના પતિએ વિચાર્યું પણ નહોતું. ત્યાર પછી પતિએ છૂટાછેડા આપી દીધા, પિયરમાં અને અમુક સગાસંબંધીઓ પણ આ નિર્ણયથી રાજી થઈ રહ્યા હતા, મયુરી પણ શું થઈ રહ્યું છે એ વિચાર્યા વગર રાજી થઈ રહી હતી.
તેને તેના પતિથી આઝાદી મળી ગઈ હોય એમ માનીને તે ખૂબ જ ખુશ થઇ રહી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો. એક વર્ષ બે વર્ષ એમ મયુરી ના છૂટાછેડા થયા ને ચાર વર્ષ વીતી ગયા હતા.
તેના પતિએ તો છૂટાછેડાના છ મહિના પછી જ બીજા લગ્ન કરી લીધા હતા. પરંતુ ચાર વર્ષ પછી પણ મયુરી તેના પિયરમાં જ રહેતી હતી. વર્ષો પહેલા બનેલી ઘટનાઓ આજે તેને એક પછી એક સામે દેખાઈ રહી હતી.
ખૂબ જ વિચાર કર્યા પછી તેને નક્કી કર્યું કે હવે તે એક પત્ર તેની માતાને લખીને ઘર છોડીને જતી રહેશે. પત્રમાં લખ્યું હતું કે
મમ્મી,
હું ઘર છોડીને જાઉં છું. મને આ ઘરમાં રહેવું હવે જરા પણ પસંદ નથી. છ વર્ષ પહેલાં જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે લગ્નજીવનમાં શરૂઆતમાં થોડી તકલીફ પડી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ ત્યાર પછી હું પણ સાસરીમાં સેટ થઈ ચૂકી હતી, અમારે બંનેને એક બાબતે ઝઘડો થયો અને બે વર્ષ પછી હું પિયર આવી ત્યારથી અત્યાર સુધી મને ઘણો પસ્તાવો થઈ રહ્યો છે.
આપણા સગા સંબંધીઓએ અને આપણા ઘરમાં થી પણ મને જે સલાહ આપવામાં આવી હતી એ સલાહ મુજબ મેતો કેસ પણ કર્યો અને અંતે છૂટાછેડા પણ થઈ ગયા. પરંતુ વર્ષો પછી આજે મને ઘણા વિચારો આવે છે ત્યારે એટલું જરૂર કહેવા માંગીશ કે એ વખતે જો મેં તમારી બધાની વાતો માં આવી જઈને જે કર્યું તે ન કર્યું હોત તો આજે મારા પણ મારી બહેનપણીઓ ની જેમ બાળકો હોત.
ભલે અમે ઝઘડીએ પરંતુ સાથે રહેવા વાળા પતિ આજે મારી સાથે પણ હોત. હું કોઈનો વાંક કાઢવા નથી માંગતી પરંતુ બધા લોકોને માત્ર એટલું કહેવા માંગું છું કે બધા લોકો તમને સલાહ આપશે પરંતુ તમારો સાથ આપનારા ઘણાં ઓછા લોકો નીકળે છે. અને જ્યારે ખબર પડે કે આપણી જિંદગી બરબાદ થઈ ગઈ ત્યારે બીજું કંઈ કામ નહીં આવે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
સાસરીમાં મારુ માનપાન જોઈને હું ખૂબ જ હરખાતી, આપણા ઘર કરતાં પણ ત્યાં અત્યંત સારું વાતાવરણ હતું. મને અહીંયા કરતા પણ ત્યાં વધારે ગમતું પરંતુ ખબર નહીં એક નાના ઝઘડા ને કારણે આટલું મોટું પરિણામ આવશે એની ખબર નહોતી, અને છુટાછેડા સમયે પણ હું બધા સંજોગો માટે તૈયાર હતી પરંતુ આજે વર્ષો પછી જ્યારે વિચાર કરીએ ત્યારે એવું લાગે કે કોઈપણ ની વાતો માં આવ્યા વગર જો મેં શાંતિથી વિચાર કરીને મારી રીતે નિર્ણય લીધો હોત તો પતિ ત્યારે તેડવા આવ્યા ત્યારે હું તેની સાથે જતી રહી હોત.
ઝઘડો થઈ જાય ત્યારે સંબંધોને પુરા કરવાથી કંઈ જ મળતું નથી, એનાથી સારું એ છે કે તમે બે ચાર દિવસ માટે નારાજ થઈ જાઓ. પરંતુ સંબંધ પુરા કરવાથી કંઈ જ મળતું નથી.
પત્રમાં છેલ્લે તેણે લખ્યું કે મારી ચિંતા ન કરતા, હું મારી રીતે મારી જિંદગી પસાર કરી લઈશ. પિયરમાં છૂટાછેડા પછી ઘણા સમય વિતાવ્યો ત્યારે મને એ પણ એહસાસ થઈ ગયો કે જો હું સાસરીમાં હોત તો કેટલી ખુશ રહી શકી હોત.
પત્ર વાંચીને મયુરી ના માતા ના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી, વર્ષો જૂની બધી વાતો તેના નજર સમક્ષ આવી ગઈ. દીકરી ના શબ્દો ખૂબ જ કડવા હતા પરંતુ તેની માતાને આ શબ્દો સત્ય પણ લાગતા હતા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.