નિવૃત્ત માણસનું રસ્તે જઈ રહેલા અજાણ્યા ગરીબ છોકરા પ્રત્યે દયાળુ વર્તન વાંચીને તમારી આંખમાં આંસુ આવી જશે
અશોકભાઈ એ ખુબ જ કરકસર ભર્યું જીવન જીવ્યા હતા. અને તેના દીકરા ને ભણાવ્યો હતો. અને પરિણામે આજે તેનો દીકરો અમેરિકા માં એક મોટી કંપની માં નોકરી કરે છે. અને લખો રૂપિયા નો પગાર પણ મળે છે.
તેનો દીકરો દર મહિને તેને જે ખર્ચ થાય તે સિવાય ની વધેલી રકમ અશોકભાઈ ને મોકલી આપતો. અને કહેતો કે તમારે જેમ વાપરવા હોય, તેમ વાપરજો, કારણ કે આખી જિંદગી કરકસર માં કાઢી છે. તો હવે આનંદ કરો. અને ખુશ રહો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ અશોકભાઈ એવું વિચારતા કે આખી જુવાની રૂપિયા અને મોજ શોખ વિના જ ચાલી ગઈ. અને હવે શું રૂપિયા વાપરી ને આનંદ કરવો તેના બદલે સાદાઈ થી અને મસ્તી થી રહેવું પણ રૂપિયા નો બગાડ કરીને નહિ.
પોતે જયારે બહાર જાય ત્યારે ખિસ્સા માં રૂપિયા સાથે રાખે, અને કોઈ જરૂરત વાળા મળે તો તેને સહાય કરે એક વખત અશોકભાઈ ઉનાળા ના બપોર ના સમયે ચાલતા ચાલતા બહાર જઈ રહ્યા હતા. ત્યારે તેને જોયું કે એક ગરીબ નો છોકરો ફૂલ ના હાર બનાવી અને ઉઘાડા પગે ચાલતા ચાલતા વેચી રહ્યો હતો.
અને તેને પગ પણ બળતા હોવાથી થોડીવારે દુકાન કે મકાન ના છાયા માં ઉભો રહી જતો હતો. અશોકભાઈ એ તરત જ નજીક માં આવેલી દુકાન માંથી છોકરા ના માપ ના જૂતા ખરીદ્યા. અને તે છોકરા પાસે જઈ ને પહેરાવ્યા નવા જૂતા જોઈ ને છોકરો તો એકદમ હરખાઈ ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને અશોકભાઈ નો હાથ પકડી ને કહ્યું કે તમે ભગવાન જ છો ને? કે ભગવાન ના દોસ્ત છો? સાંભળી ને અશોકભાઈ પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા. અને કહ્યું કે ના ભાઈ હું ભગવાન નથી કે તેનો દોસ્ત પણ નથી.
પણ તું મને આવું કેમ પૂછે છે? ત્યારે એ છોકરાએ કહ્યું કે હજુ ગઈકાલે જ મેં ભગવાન ના મંદિરે એક હાર ચડાવ્યો હતો. અને કહ્યું હતું કે મારી પાસે એટલા રૂપિયા ભેગા નથી થતા. કે હું એક જૂતા ની જોડી ખરીદી શકું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ મારા જેવા ગરીબ છોકરો તમને એક ફૂલ નો હાર ચડાવે તો તમે મને એક જોડી જૂતા તો અપાવી શકો ને? એટલે જ આજે ભગવાને તમને જૂતા અપાવવા માટે મોકલ્યા છે. બોલતા બોલતા છોકરા ની આંખો માંથી દળ દળ આંસુ ટપકવા લાગ્યા. અશોકભાઈ એ તેના માથે હાથ ફેરવતા તે શાંત થયો.
અને ખુશ થઇ ને ફરી પાછો ફૂલ ના હાર વેચવા માટે નીકળી પડ્યો. ત્યારે અશોકભાઈ પણ વિચારી રહ્યા હતા, કે ભગવાન તો ના બની શકાય પણ ભગવાન ના દોસ્ત બનવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી. અને કુદરતે બે જાતની વ્યવસ્થા બનાવી છે.
આપણી પાસે જે કઈ છે તેમાંથી પણ અનુકૂળતા મુજબ કોઈ ને આપણા થી થાય એટલી મદદ કરી ને જવું. અથવા બાકી બધું છોડીને જવું કારણ કે સાથે લઈ જવાની કોઈ જાત ની વ્યવસ્થા નથી રાખેલી.
સિવાય કે આપણા કર્મ માટે સારા કર્મ કરેલા સાથે હશે તો તેના સારા ફળ ભોગવવા મળે માણસ ની સાથે કાયમ ને માટે તેને કરેલા સારા કે ખરાબ કર્મ જ આવે છે અને તેને અનુસાર જ ફળ મળે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.