નાનાભાઈએ મોટાભાઈને અપશબ્દો કહેતા સંબંધ બગડી ગયો વર્ષો પછી નાનાભાઈની દીકરીના લગ્નમાં એવું થયું કે...

ભાવિન અને ચિરાગ બન્ને ભાઈઓ તેના માતા-પિતા સાથે એક ઘરમાં જ રહેતા હતા. બન્ને ભાઈઓ ના લગ્ન થઈ ચૂક્યા હતા અને માતા-પિતા બન્ને ભાઈઓ તેની પત્ની અને બાળકો બધા સાથે જ રહેતા હતા. બન્ને ભાઈઓ ધંધો કરી રહ્યા હતા પરંતુ બંને નો ધંધો અલગ અલગ હતો.

એક દિવસ બંને ભાઈઓ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ અને આ બોલાચાલી આગળ વધીને ઝઘડામાં પરિવર્તિત થઈ ગઈ. વાત એટલી બધી આગળ વધી ગઈ કે નાનાભાઈ ભાવિને તેના મોટાભાઇ ચિરાગને અપ શબ્દ કહી દીધા. બંને ભાઈઓ વચ્ચે મતભેદ થતો પરંતુ વાત આટલી આગળ પહેલી વખત જતી રહી હતી. ચિરાગ ને તેના નાના ભાઈ એ કહેલા શબ્દો સાંભળીને ખૂબ જ લાગી આવ્યું હતું.

અને આ જ કારણે બંને ભાઈઓ એકબીજાથી અલગ થઈ ગયા, બંને એકબીજાથી અલગ રહેવા પણ જતા રહ્યા અને પરિવારમાં જાણે તિરાડ પડી ગઇ હોય એ રીતે આ ઘટના બન્યા પછી બન્ને ભાઈઓ એકબીજાને મળતા પણ નહીં અને કોઈ દિવસ વાત પણ ન કરતા.

મોટાભાઈ ચિરાગ ને સંતાનમાં એક દીકરો હતો જ્યારે નાના ભાઇ ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા. બાળકોની ઉંમર પણ હવે લગ્ન કરવા જેવડી થઇ ચૂકી હતી, નાના ભાઈની દીકરી વિવાહ યોગ્ય હોવાથી એનું નક્કી કરવામાં આવ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને જોતજોતામાં નક્કી થયા પછી લગ્ન પણ નક્કી થયા પરંતુ લગ્નના લગભગ એક અઠવાડિયા પહેલા ભાવિને વિચાર્યું કે મોટો ભાઈ એ ખરેખર મોટોભાઈ જ હોય છે, તેને ભૂલમાં મોટાભાઈને અપ શબ્દ કહી દીધા હતા. તેની ભૂલ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો અને તેના મોટાભાઈ પાસે માફી માંગવાનું વિચાર્યું.

એ જ દિવસે મોટા ભાઈ ના ઘરે જઈને ભાવિને પહેલા બનેલી ઘટના માટે અને કહેલા અપશબ્દો માટે માફી માંગી અને કહ્યું મને માફ કરી દો મોટાભાઈ મેં તમને એ દિવસે જે અપશબ્દો કહ્યા હતા તેના માટે હું આજે ખૂબ જ શરમ અનુભવું છું. અને માફી માંગુ છું મારી દીકરી ના લગ્ન નક્કી થયા છે, તો એનું આમંત્રણ આપવા માટે આવ્યો છું.

નાનાભાઈએ ઘણું કહ્યું પરંતુ મોટાભાઈ નું હૃદય બિલકુલ પણ પીગળ્યું નહીં અને તેને લગ્નમાં આવવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું નહીં અને આવવાની પણ ના પાડી દીધી. નાનો ભાઈ વિચારમાં પડી ગયો કે હવે મોટા ભાઈ ને કઈ રીતે મનાવવામાં આવે?

લગ્ન માટે થોડા દિવસો જ બાકી હતા, લગ્નની કંકોત્રી મંદિરમાં આપવા માટે ગયો. ત્યારે અચાનક તેને યાદ આવ્યું કે આ મંદિરમાં મોટાભાઈ પણ અવાર નવાર આવે છે અને મંદિરના પૂજારી સાથે તેઓને અવારનવાર ચર્ચા થતી રહેતી હોય છે. તેને અચાનક મનમાં એક વિચાર આવ્યો અને પૂજારી પાસે જઈને પોતાની બધી વાત જણાવી.

પૂજારી પણ બન્ને ભાઈઓ ને ઓળખતા હતા, તેને તરત જ કહ્યું કે હું તમારા મોટાભાઈ ને સમજાવવાની કોશિશ કરીશ, આવતીકાલે જ્યારે મંદિરમાં આવે ત્યારે હું તેની સાથે વાત કરીશ અને બધું ઠીક થઈ જશે.

બીજા દિવસે સવારે જ્યારે રોજિંદા સમય અનુસાર મોટો ભાઈ દર્શન કરવા આવ્યો ત્યારે પૂજારીએ તેને પોતાની પાસે બોલાવ્યા. પુજારી નું વ્યક્તિત્વ ખૂબ જ સારું હતું અને કાયમ લોકોની મદદ કરવામાં તેઓ આગળ રહેતા. અને આ બંને ભાઈઓ સાથે પણ અવારનવાર તે ઘણી વાતો કરતા. અને ભાઈઓ પણ જ્યારે કોઈ વસ્તુ માં ખબર ન પડે અથવા મુશ્કેલીમાં હોય ત્યારે ઘણી વખત તેની પાસેથી સલાહ લેતા.

પૂજારીએ તેને પોતાની પાસે બોલાવીને મોટાભાઈના ખબર-અંતર પૂછ્યા ત્યાર પછી કહ્યું કે તમારા ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે તો શું એ પ્રસંગની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ?

ત્યારે મોટા ભાઈએ તને જવાબ આપતા કહ્યું કે હું લગ્નમાં જવાનો જ નથી, વર્ષો પહેલા મારે મારા ભાઈ સાથે સંબંધ પુરા થઇ ગયા છે. પૂજારીએ પૂછ્યું કે કેમ શું થયું હતું? મોટાભાઈ એ બધી વાત કહી અને છેલ્લે કહ્યું કે એ અપશબ્દો મને આજે પણ હૃદયમાં એક કાંટાની જેમ ખૂંચે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પુજારી એકદમ શાંત થઈ ગયા. થોડા સમય કંઈ જ બોલ્યા નહીં પછી કહ્યું કે ભલે તમે લગ્નમાં ન જવા માંગતા હોય તો કોઈ વાંધો નહીં પરંતુ મને તમે એક સવાલ પૂછું તેનો જવાબ આપો, એમ કહી પૂજારી એ પૂછ્યું કે લગભગ થોડા દિવસો પહેલા તમે અહીં મંદિરે આવ્યા હતા અને આપણા બંને વચ્ચે ઘણી ચર્ચાઓ પણ થઇ હતી. ત્યારે મેં તમને જીવન ને લગતી ઘણી વાતો જણાવી હતી. શું એવા તો તમને યાદ છે? કારણકે આજે આપણે એ વાતો અધૂરી રહી ગઈ હતી જે આગળ વધારીશું.

ચિરાગ થોડા દિવસો પહેલા ની વાતો યાદ કરવા લાગ્યો, ઘણા સમય સુધી યાદ કરવાની કોશિશ કરી પરંતુ તેને બધું યાદ ન આવ્યું એટલે તેને કહ્યું કે માફ કરો પરંતુ મને બધું યાદ નથી. કઈ વાતની તમે વાત કરી રહ્યા છો?

ત્યારે પૂજારીએ જવાબ આપ્યો કે ચિરાગભાઈ, મેં તમને લગભગ એક અઠવાડિયા પહેલા ઘણી જીવનને લગતી સારી સારી વાતો શિખામણો જણાવી હતી. જો એ તમને યાદ નથી રહી તો પછી તમારા નાના ભાઈ દ્વારા કહેવામાં આવેલા અપ શબ્દો ને તમે આજે વર્ષો પછી પણ કેમ યાદ રાખીને જીવો છો? અને સારી વાતો યાદ ન રાખી શકો તો પછી તેને જીવનમાં અમલ કરવાની વાત તો દૂર રહી જાય અને તમે જીવનમાં કઈ રીતે આગળ વધી શકશો?

પૂજારીએ અચાનક તેના શબ્દો નો ભાર ફેરવીને કહ્યું માફ કરજો ચિરાગભાઈ પરંતુ તમને હું કંઈ સારી વાતો જણાવું તેને તમે લાયક જ નથી. એટલા માટે હવેથી મારી પાસે મહેરબાની કરીને ન આવતા.

ચિરાગની ભૂલ જાણે તેને સમજાઈ ગઈ, તેને અહેસાસ થવા લાગ્યો કે નાના ભાઈએ ભૂલ કરી હતી એ ભૂલની માફી માંગી લીધી પરંતુ હવે તેને માફી ન આપીને તે પોતે પણ ભૂલ કરી રહ્યો છે. જૂની વાતને મનમાં રાખીને જીવવાનો કોઈ ફાયદો નથી હવે આગળનું વિચારવું જોઈએ.

તરત જ પૂજારી પાસે પણ માફી માંગી અને તે સહ પરિવાર તેના નાના ભાઇના ઘરે ગયો અને ગળે લગાડીને કહ્યું, ભાવિન તો હવે ચિંતા નહીં કરતો. આપણી દીકરી ના લગ્ન હવે આપણે બંને મળીને કરાવીશું, કહો મને કે લગ્નની તૈયારીઓમાં શું બાકી રહી ગયું છે? બન્ને ભાઈઓ વર્ષો પછી એકબીજાને ભેટી રહ્યા હતા અને આવી રીતે હસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.

મોટા ભાઈ નો દીકરો પણ તેની બહેનને જાણે વર્ષો પછી જોઈ રહ્યો હતો. બધા લોકો લગ્નની તૈયારીમાં પડી ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team