માતા પિતાને પોતાના ભાઈએ જ ઘરમાંથી કાઢી મુક્યા એટલે તે સ્ત્રીએ તેના પતિને વાત કરી, પતિ વાત સાંભળીને રૂમમાં ચાલ્યો ગયો, થોડા સમય પછી બહાર આવી પત્નીને કહ્યું…

જ્યોતિના લગ્નને આજે પાંચ વર્ષ પુરા થઈ ચુક્યા હતા, જ્યોતિ ના લગ્ન એ ખૂબ જ પ્રતિષ્ઠિત અને સુખી સંપન્ન પરિવારમાં કરવામાં આવ્યા હતા. ખૂબ જ ધામધૂમથી જ્યોતિ અને કાર્તિક ના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

જ્યોતિના પિતાએ કાર્તિકને લગ્ન વખતે તેની પાસે રહેલી મૂડીમાંથી 30 લાખ રૂપિયા આપ્યા હતા, કાર્તિકે એક રૂપિયો પણ લેવાની ના પાડી હતી પરંતુ જ્યોતિના પિતાએ કહ્યું હતું કે દીકરી અને દીકરા ના સરખા ભાગ કરીને તમને આપું છું એટલા માટે આ રાખી લો.

કાર્તિકે રૂપિયા લેવા માટે ના ફરી પાછી પાડી પરંતુ જ્યોતિના પિતાએ પરાણે તેના જમાઈને રૂપિયા આપ્યા અને 30 લાખ તેના મોટા દીકરાને આપીને બાકીની થોડી બચત ના રૂપિયા તેને પોતાની પાસે રાખ્યા હતા.

સાસરીમાં પણ જ્યોતિ એકદમ સમૃદ્ધ ઘરમાં રહેતી હોવાથી ખુશ હતી, અને તેનો પતિ કાર્તિક ખુબ જ હોશિયાર અને ધંધા નો પારંગત હતો. અને ધંધો પણ ખુબ જ હતો, પણ બોલવામાં અતિ લોભી માણસ હતો. કોઈ પણ વાત હોય જેટલું ઓછું બોલી ને ચાલે એટલું જ બોલતો.

આજે લગ્નની પાંચમી વર્ષગાંઠ હોવાથી જ્યોતિ સવારથી તેની વર્ષગાંઠ ઉજવવા માટે તૈયારીઓ કરી રહી હતી, લગભગ બધી તૈયારીઓ પુરી થઇ ચૂકી હતી. એવામાં તેના ફોન ઉપર ફોન આવ્યો, ફોન ઉપાડ્યો તો તેને એક ખરાબ સમાચાર મળ્યા.

સમાચાર એવા હતા કે તેના પિતાજી ની તબિયત સારી રહેતી નહોતી, અને આ પાંચ વર્ષ માં તેને તેની પાસે રાખેલી બચતની રકમ દવા માં વપરાઈ ગઈ, અને હવે તેની પાસે કશું જ બચ્યું નહોતું. ત્યારે તેના દીકરા એ તેના માતા પિતા ને ઘર માંથી બહાર કાઢી મુક્યા.

અત્યારે જ્યોતિ ના માતા પિતા એક મંદિર માં આશરો લઇને રહે છે, આ સાંભળી ને જ્યોતિ તેના માતા પિતા ને મળવા માટે દોડી ગઈ. અને બધી વાત ચિત્ત કરી ને ઘરે પછી આવી પણ પોતાના માં બાપ આવી રીતે ઘર ની બહાર હોય, તેની દીકરી નું મન ક્યાંય લાગે નહિ. અને કોઈ કામ માં મન લાગે નહિ.

પોતાના લગ્ન માં આખા ગામ માં વટ પડી જાય તેવો જલસો કરાવ્યો હતો, નાનપણ થી ભાઈ બેન ને મોટા કર્યા ભણાવ્યા, ગણાવ્યા, અને ખુબજ લાડકોડ થી ઉછેર કર્યો. અને આજે એ દીકરો તેના માતા-પિતા સાથે આવું કેમ કરી શકે?

અને આજે તેને તેના જ દીકરા એ ઘર માંથી તેની બચત ના રૂપિયા ના હોવા ના કારણે કાઢી મુક્યા હતા. તેની આંખમાંથી આસું બંધ થવાનું નામ જ નહોતા લેતા.

જ્યોતિ તેને પતિ ને વાત કરવાનો વિચાર કરતી હતી, કે મારા માતા પિતા ને આપણા ઘરે લઇ આવીએ, પણ તેના પતિને આ વાત કહેતા તેની હિમ્મત ચાલી નહિ, કારણ કે તેને ઓછું બોલવાની આદતના હિસાબે ક્યાંય તે ગુસ્સો કરે તો શું કરવું?

રાત્રે જ્યોતિ તેના પતિ અને સાસુ સસરા બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા, ત્યારે કાર્તિકે જ્યોતિ ને પૂછ્યું કે તું કેમ આટલી ઉદાસ દેખાય છે? શું મૂંઝવણ છે કંઈક કહે તો ખબર પડે?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel