લગ્ન થયા ના એક વર્ષ પછી સાસુ અવસાન પામ્યા, સાસુના અવસાન પછી વહુએ ઘરની હાલત એવી કરી નાખી કે...

માનસી તેના લગ્ન પછી ઘણી વાર તેના માતા પિતા ને મળવા આવતી પણ લગભગ એકાદ વર્ષ પછી તે તેના પિતાજી ના ઘરે આવી હતી. અને ઘરના સભ્યો ની સાથે બેઠા બેઠા ગપ્પા મારી રહી હતી. ત્યાં જ ઘર નો દરવાજો ખુલ્યો અને એક મહિલા ઘર માં આવી, જે એકદમ ગરીબ દેખાઈ રહી હતી.

એકદમ સાદા કપડા અને ચપ્પલ પહેર્યા હતા. માનસી તેને ઓળખી ના શકે, માનસીના ભાભી એ તેને પાણી આપ્યું અને તેના મમ્મીએ કહ્યું કે આને ઓળખી કે નહીં, આ પૂજા છે. ત્યારે માનસી એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂજાની સામે જોવા લાગી. પરંતુ તે હજુ તેને ઓળખી ન શકે. કારણ કે ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન થયા હતા.

તેનું જીવન અત્યંત વૈભવી હતું, માનસી અને પૂજા બંને એક જ શેરીમાં રહેતા હતા. પૂજાના સસરા નો પરિવાર પણ તેના દૂરના સગા થતા હોવાથી એકબીજાના ઘરે જવાનું થતું. પૂજાના સાસુ ખૂબ જ હોશ થી દીકરાને પરણાવી અને પૂજાને લાવ્યા હતા. ઘરમાં વહુ લાવવાના ઘણા સપના જોયા હતા.

અને તેને એવું લાગી રહ્યું હતું કે ભગવાને દુનિયાની બધી ખુશી એક સાથે વહુના સ્વરૂપમાં આપી દીધી છે. પરંતુ ઈશ્વરની ઈચ્છા સામે કહેવાય છે કે કોઈનું કંઈ ચાલતું નથી. તેમ પૂજાના સાસુનું નાની બીમારી પછી અવસાન થઈ ગયું. ત્યારે પૂજા ખૂબ જ જોરથી રડી રહી હતી પરંતુ સાસુ ના ગયા ના થોડા દિવસો પછી જ પૂજા તે ઘરની એકમાત્ર સ્ત્રી હતી. અને હવે વહુ માંથી જાણે શેઠાણી બની ગઈ હોવાથી તેનામાં અભિમાન પણ આવી ગયું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

વાત વાતમાં ઘરના સભ્યો સાથે લડાઈ કરી લેતી, અને તેના સસરા હજુ તેની પત્નીના વિયોગ માંથી બહાર પણ નહોતા નીકળ્યા તેનું જીવવું જાણે હરામ કરી નાખ્યું હતું.. ઘરના બધા સભ્યો સાથે તેને બનતું નહીં. તેના સસરાનો એકદમ આનંદી સ્વભાવ હતો અને હવે તેને જોઈને પણ દયા આવે તેવું જીવન થઈ ગયું હતું.

પોતે ઘરના માલિક હોવા છતાં તેને ત્રીજા માળ ઉપર આવેલી નાની એવી ઓરડીમાં રહેવા માટે મજબૂર કરી નાખ્યા હતા. અને પેટ ભરીને જમવા પણ મળતું નહીં.. ક્યારેક તેના સસરા શેરીમાં બહાર આવે તો તેના કપડા પણ સ્વચ્છ ન હોય અને તે કોઈની સાથે ઊભા રહીને કોઈ વાત પણ ન કરતા.

આમને આમ દુઃખી થઈને એક દિવસ તેણે પણ જિંદગીથી હાર માની લીધી કારણ કે તેની ઉંમર પ્રમાણે તેનાથી હવે વધુ સહન થાય તેમ ન હતું.. સુખી સંપન્ન પરિવારના વડીલ ને આવી રીતે રહેવા માટે મજબૂર કરી દીધા હતા.

પૂજા ને માનસી ના ભાભી અને મમ્મી એ ત્રણ થેલી ભરીને ખાવા માટે કરિયાણું આપ્યું ત્યારે પૂજા એ ઈશારા થી કહ્યું કે હવે હું બીજી વાર આવું ત્યારે કપડાં હોય તે આપજો અને ચા પીવડાવી અને તે ચા પી અને ચાલી ગઈ પણ તે એકપણ વાર તેના મોઢે થી કશું બોલી નહિ તેને જે પણ વાત કહી તે બધી ઈશારા થી જ કહી.

પૂજા ત્યાંથી ગઈ ત્યાર પછી માનસીના મમ્મી એ કહ્યું કે પૂજાના સસરા ના અવસાન પછી તેનો સમય પલટાઈ ગયો અને તેના પતિએ ધંધામાં ખૂબ જ મોટી નુકસાની કરી, બધું વેચાઈ ગયું તેમ છતાં તેનું દેણું હજુ નથી પૂરું થયું. દુકાન મકાન બધું જ લેણદારોએ લઈ લીધું છે. અને તે લોકો અત્યારે ભાડાના મકાનમાં રહે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેનો પતિ નોકરી એ જાય છે અને ત્યાં એક દિવસ તેને ચક્કર આવી જતા પડી ગયો. અને જાણે તેની ઉપર મુસીબતના પહાડ તૂટી પડ્યા હોય તેમ તેના પતિને પેરેલિસિસ નો હુમલો આવ્યો અને હવે તે કશું કામ કરી શકે તેમ નથી. તેને જ્યારે જરૂર હોય ત્યારે આપણી પાસે આવીને જે વસ્તુ જોઈતી હોય તે લઈ જાય છે.

પૂજાને પણ મોઢામાં ચાંદા પડી ગયા છે અને ડોક્ટરે કહ્યું છે કે તેને કેન્સર છે તેથી તે પણ કંઈ નથી બોલી શકતી જે મોઢેથી તેને તેના સસરાને જેમ ફાવે તેમ બોલી હતી તે મોઢામાંથી હવે એક પણ શબ્દ નીકળતો નથી. ઘરના વડીલોનું દિલ દુખાવીને પૂજા એ આખરે શું મેળવ્યું? કર્મ ક્યારેય છોડતા નથી આ તેનો દાખલો છે.

આપણે ભલે વડીલને લાડ ના લડાવી શકીએ પરંતુ તેની સાથે પ્રેમાળ વર્તન સારો વ્યવહાર તો કરી જ શકીએ છીએ. કારણ કે આપણને નાનપણથી મોટા કરવામાં શું તકલીફ પડી છે તે તેઓને જ ખબર હોય છે. અને આપણે જો ઘેર વ્યવહાર કરીએ તો તેના અંતિમ સમય મા તે દુઃખી થઈને જાય છે અને આપણે કરેલા કર્મ આપણે જ ભોગવવા પડે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જીવન માં ઘણા લોકો ઘર ના વડીલો ની સેવા કરી અને તેના સાચા દિલ થી નીકળેલા આશીર્વાદ મેળવે છે. અને વડીલો નું ગઢપણ અને સાથે સાથે તેનું જીવન પણ સુધારે છે. અને પરિવારના બધા સભ્યો એકબીજા ની હૂંફ થી ફૂલે ફાલે છે. તેની સામે અમુક લોકો એવા પણ છે, જે ઘરના વડીલો ને ખુશ રાખવાના બદલે તેને હેરાન કરે છે. અને પરિણામે કરેલા કર્મ ભોગવવા પડે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team