લગ્ન થયાના બે જ દિવસ પછી પતિએ પત્નીને છુટા છેડા આપી દીધા, પરંતુ વર્ષો પછી એવું બન્યું કે પતિ...

સુરેશ અને ઉષા ના લગ્ન ને એક દિવસ થયો હતો. ત્યારે બપોરે બંને જમવા માટે બેસતા હતા એટલે ઉષા એ કહ્યું કે બા ને જમવાનું બાકી છે તમે બા ને નીંદર માંથી જગાડી દયો એટલે આપણે ત્રણેય સાથે જમવા બેસી જઇયે લગ્ન પ્રસંગ પૂરો થયો એટલે બા ને એટલો બધો થાક લાગ્યો હતો.

અને શારીરિક નબળાઈ પણ આવી ગઈ હતી સુરેશે કહ્યું કે બા જમી ને જ સુઈ ગયા હશે એટલે આપણે બંને જમી લઈએ બા ને નથી બોલાવવા ત્યારે ઉષાએ કહ્યું કે મને ખબર છે કે બા હજુ જમ્યા નથી. તે બેઠી થઇ ને બા ને જગાડવા લાગી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે સુરેશ ને ગુસ્સો આવ્યો અને ઉષા ની સાથે ઝગડવા લાગ્યો અને ઉષા ને તેના પિતા ના ઘરે મૂકી આવ્યો ઉષા સુશીલ અને સંસ્કારી પરિવાર ની દીકરી હતી તો પણ થોડા દિવસ પછી ઉષા ની સાથે છૂટાછેડા લઇ લીધા ઉષા ને પોતાનો કોઈ વાંક દેખાતો નહોતો અને હતો પણ નહિ તેથી તેને પણ છૂટાછેડા માં સંમતિ આપી દીધી.

અને બંને અલગ અલગ થઇ ગયા બે ત્રણ વર્ષ માં બંને ના બીજી જગ્યા એ લગ્ન થઇ ગયા અને પોતાના સંસાર માં ગુંચવાઈ ગયા ઉષા ને તેના નવા લગ્ન થી બે દીકરા નો જન્મ થયો હતો અને તે ખુબજ સુખી હતી બંને દીકરા પણ ઉષા ની જેમજ સંસ્કારી થયા હતા લગભગ વીસેક વર્ષ પછી દીકરાઓ મોટા થઇ ગયા હતા.

અને તેના લગ્ન પણ કરી નાખ્યા હતા ત્યારે ઉષા એ તેના દીકરા ની પાસે જાત્રા કરવાની ઇરછા વ્યક્ત કરી અને મોટો દીકરો અને વહુ બંને ઉષા ની સાથે ચારધામ ની યાત્રા કરવા નીકળી ગયાઅને બંને ઉષા ની સેવા પણ કરતા હતા.

ફરતા ફરતા એકાદ મહિના પછી તેઓ હરિદ્વાર પહોંચ્યા ત્યાં એક હોટેલ માં જમવા બેઠા હતા અને જમવાનું થાળી માં પીરસાઈ રહ્યું હતું કાચ ની બારી માંથી ઉષા ને એક વૃદ્ધ વ્યક્તિ નજર આવી તેને ફાટેલા કપડાં પહેર્યા હતા એકદમ ભૂખ્યો અને ઘણા દિવસ થી નહાયો નહોતો અને તેને દયા આવી.

અને દીકરા ને કહ્યું કે તે વૃદ્ધ ને આપણે જમાડવા છે પણ પહેલા તું તેને નવડાવી અને બાલ દાઢી સાફ કરાવી નવા કપડાં પહેરાવી અને હોટેલ માં જમાડવા માટે લઇ આવ ઉષા ના કહેવા મુજબ દીકરો તે વૃદ્ધ ને તૈયાર કરી ને હોટેલ ની અંદર લઇ ને આવે છે અને તેને જોતા વેંત ઉષા પોતાની ખુરશી પર થી ઉભી થઇ જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે ભિખારી જેવો લાગતો વૃદ્ધ બીજું કોઈ નહિ પણ ઉષા નો પહેલો પતિ સુરેશ હતો ઉષા એ તેને પૂછ્યું કે આ શું થઇ ગયું આવી હાલત માં કેમ ફરો છો ત્યારે સુરેશે કહ્યું કે મારા સંતાનો ને હું ઘર માં પોસાતો નથી તેથી મને ખાવાનું આપવાનું પણ બંધ કરી નાખ્યું છે અને ઘર માં દીકરાઓ કે વહુ મને મારકૂટ કરી લે છે.

એટલે હું બે વર્ષ થી હરિદ્વાર આવી ગયો છું અને મારા ઘર કરતા તો સુખી છું વાત સાંભળી ને ઉષા એ કહ્યું કે હું જયારે બા ને જમવા માટે બા ને જગાડી રહી હતી ત્યારે ગુસ્સો કરી અને મને છૂટાછેડા આપ્યા પણ ત્યારે તમને ઘર ના વૃદ્ધ વડીલ ની સાથે કેવી રીતે વ્યવહાર અને વર્તન કરવું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને ઘર ના વડીલો નું માન કેમ જાળવવું તે વાત ની ખબર પડી હોય તો આજે તમારે આ દિવસો જોવા ના પડે જેવો વ્યવહાર આપણે આપણા વડીલો ની સાથે કરીયે છીએ આપણા સંતાનો પણ આપણી સાથે એવો જ વ્યવહાર કરે છે અને તમે જે કર્યું છે તેનું ફળ અત્યારે તમારી સામે આવીને ઉભું છે.

દરેક ઘર ના સંતાનો તેને આપવામાં આવતી સલાહ કરતા વધારે અનુકરણ આપણે કેવું વર્તન કરીએ છીએ તેના પર ધ્યાન દેતા હોય છે એટલે સારા સંસ્કાર આપણા માં હોય અને સારી વર્તન પરિવાર ના દરેક ની સાથે કરતા હોય તો આપણા સંતાનો ને કોઈ જાત ની સલાહ દેવાની જરૂર નથી.

કારણ કે તે આપણા વર્તન માંથી જ બધું શીખતાં હોય છે નાની અમથી વાત છે પણ તેના દૂરગામી પરિણામો કેવા આવે છે તેનો એક જીવંત દાખલો છે માટે આપણને જે ના ગમતું હોય તે બીજા ને આપવું નહિ કારણ કે દુનિયા ગોળ છે બધું ફરી ફરી ને આપણી પાસે જ આવે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team